________________
૫ ૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, તે સ્વાધ્યાય અને તપથી તે જ રીતે આચ્છાદિત છે, જે રીતે રાગથી અગ્નિ આચ્છાદિત હોય છે. (૯૮૧) જેને લોકમાં કુશળોએ બ્રાહ્મણ કહ્યા છે, જે અગ્નિ સમાન સદા પૂજનીય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૮૨) જે પ્રિય સ્વજનાદિ આવતા આસક્ત થતા નથી, જાય ત્યારે શોક કરતા નથી. જે આર્ય વચનામાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૩) કસોટી ઉપર કરેલા અગ્નિ દ્વારા દધુમલ થયેલ સોના જેવા વિરુદ્ધ છે, રાગ - દ્વેષ - ભયથી મુક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ..
(૯૮૪) જે તપસ્વી, કૃશ, દાંત છે. જેના માંસ અને લોહી આપતિ થઈ ગયા છે, જે સુન્નત છે. શાંત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૫) જે ત્રસ અને સ્થાવર જીવોને સમ્યફપણે જાણીને, તેમની મનવચન-કાયાથી હિંસા કરતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૬) જે ક્રોધ, હાસ્ય, લોભ કે ભયથી જૂઠ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૮૭) જે સચિત્ત કે અચિત્ત થોડું કે વધુ અદત્ત લેતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૮) જે દેવ, મનુષ્ય, તિય સંબંધી મૈથુનને મન, વચન, કાયાથી સેવતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૮૯) જે પ્રમાણે જળમાં ઉત્પન્ન કમળ જળથી લિપ્ત થતું નથી. તે પ્રમાણે જે કામ ભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૯૦) જે રસાદિમાં લોલુપ નથી, નિર્દોષ ભિક્ષાથી જીવન નિવહિ કરે છે. ગૃહ-ત્યાગી છે, જે અકિંચન છે, ગૃહસ્થોમાં અનાસક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૯૧) તે દુ:શીલને પશબંધના હેતુ સર્વ વેદ અને પાપકમથી કરાતા યજ્ઞ બચાવી શક્તા નથી, કેમ કે કમ બળવાન છે.
(૯૯૨) માત્ર મસ્તક મુંડાવાથી કોઈ શ્રમણ નથી થતો. ઓમનો જાપ કરવાથી બ્રાહાણ નથી થતો, અરયમાં રહેવાથી મુનિ નથી થતો. કુશના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી દાતા નથી. (૯૯૩) સમભાવથી શ્રમણ થાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય, જ્ઞાનથી મુનિ થાય અને તપથી તપસ્વી થાય છે.
(૯૯૪) કર્મથી બ્રાહાણ થાય છે. કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે અને કર્મથી શુદ્ધ થાય છે. (૯૯૫) અરહંતે આ તત્ત્વોની પ્રરૂપણા કરી છે. તેના દ્વારા જે સ્નાતક થાય, તે સર્વ કર્મથી મુક્તને બ્રાહ્મણ કહીએ છીએ.
(૯૯૬) આ પ્રમાણે જે ગુણ સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તે જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org