SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ સમૂહનો નિગ્રહ કરનાર, માર્ગગામી, મહામુનિ થઈ ગયા. એક દિવસ રામાનુગામ વિરતા વાણારસી પહોંચ્યા. (૯૬૫) વાણારસીની બહાર મનોરથ ઉધાનમાં પ્રાસુક શય્યા અને સંસ્કારક લઈને ત્યાં રહ્યા. • વિવેચન - ૯૬૩ થી ૯૬૫ - બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ માતાની જાતિ અન્યથા હોય તો બ્રાહ્મણ ન થાય. તેથી વિપ્ર કહ્યું. અવશ્ય યાયાજી, ક્યાં? યમ એટલે પ્રાણાતિપાત વિરતિ, આદિ રૂપ પાંય, તે જ યજ્ઞ- ભાવ પૂજારૂપત્વથી વિવક્ષિત પૂજા પ્રતિ યમયજ્ઞ. ત્યાં વિધ્ય વિપાયાર નિરતપણાથી રહેતો. યમ - પ્રાણીના સંહારકારિતાથી યમ, તેવો આ યજ્ઞ તે યમયજ્ઞ અર્થાત દ્રવ્યયજ્ઞ. સ્પર્શન આદિ સમૂહમાં સ્વસ્વ વિષયથી નિવર્તન વડે ઇન્દ્રિય ગ્રામ નિગ્રાહી. તેથી જ મુક્તિ પથ જનાર, તેઓ વિચરતા વાણારસી બહારના ઉધાનમાં આવ્યા. ત્યારે તે નગરી જેવી હતી, ત્યાં જે થતું હતું તે કહે છે. • સૂત્ર - ૯૬૬, ૯૬૭ - તે સમયે તે નગરીમાં વેદજ્ઞાતા વિજયઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો... માસક્ષમણના પારણે ભિક્ષા માટે તે જયઘોષ મુનિ ત્યાં વિજયઘોષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. • વિવેચન - ૯૬૬, ૯૬૩ - તે કાળે જ્યાં વાણારસીમાં વેદવિદ્ યજ્ઞ કરતો હતો. ત્યાં ભિક્ષાર્થે જયઘોષ મુનિ પધાર્યા. ત્યારે યાજકે જે કર્યું, તે કહે છે - • સૂત્ર - ૯૬૮ થી ૯૦૦ - (૯૬૮) યજ્ઞકત બ્રાહ્મણ ભિક્ષાર્થે આવેલ મુનિને ઇન્કાર કરે છે કે - હું તમને ભિક્ષા આપીશ નહીં. હે ભિક્ષા અન્યત્ર યાચના કરો. (૯૬૯) જે વેદના જ્ઞાતા છે, વિપ્ર છે, યજ્ઞ કરનાર દ્વિજ છે, જ્યોતિષના અંગોનો જ્ઞાતા છે, ધર્મ શાસ્ત્રનો પારગામી છે - (૯૭૦) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. હે ભિક્ષા આ સર્વકામિત અન્ન તેને જ આપવાનું છે. • વિવેચન ૯૬૮ થી ૯૭૦ - વિજયઘોષ બ્રાહમણ જે યજ્ઞકર્તા હતો, તેણે ભિક્ષાર્થે આવેલા મુનિને ભિક્ષા આપવાની ના પાડી. કહ્યું કે - અહીંથી બીજે જઈને યાચના કરો. એમ શા માટે કહ્યું? જે વિપ્ર જાતિના છે, યજ્ઞના પ્રયોજનવાળા છે, સંસ્કારથી જે દ્વિજ છે, જ્યોતિષ શાસ્ત્રના વેતા છે, અહીં જ્યોતિષનું ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે, અન્યથા પઅંગમાં તેનું ગ્રહણ છે જ. ધર્મશાસ્ત્ર પારગ છે. ચોદવિધાનો પારગામી છે, તેથી જ જે ભવસમુદ્રથી ઉદ્ધરવા સમર્થ છે. તેવાને જ સર્વને અભિલપિત, છ રસયુક્ત આ ભોજન આપવાનું છે. મુનિને એ પ્રમાણે કહેતા તેણે શું કર્યું? તે કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy