SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ) • વિવેચન - ૮૪૮ થી ૮૫o • પાર્થ નામક અરહંત લોકમાં પ્રદીપવત, સર્વ વસ્તુને પ્રકાશ વડે લોકપ્રદીપ, તેમના શિષ્ય મહાયશ કેશિ નામે કુમાર, અપરિણીત અને તપસ્વીપણાથી કુમારશ્રમણ હતા. જ્ઞાન અને સાત્રિના પારગામી, મતિ- શ્રુત- અવધિ ત્રણે જ્ઞાનયુક્ત, હેયોપાદેય વિભાગના જ્ઞાતા, શિષ્ય સમૂહથી સંકીર્ણ થઈ ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નામે નગર મંડલિમાં પ્રાસુક- નિર્દોષ વસતિ અને તેના શિલાફલકાદિ યાચીને તિક ઉધાનમાં રહ્યા. પછી શું થયું? • સૂત્ર • ૮૫૧ થી ૮૫૪ - (૮૫૧) તે સમયે ધર્મ - તીર્થના પ્રવર્તક જિન, ભગવાન વર્ધમાન હતા, જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. (૮૫ર) તે લોક પ્રદીપ ભગવંતના જ્ઞાન અને ચારિત્રના પારગામી મહાયશસ્વી શિષ્ય ગૌતમ સ્વામી હતા. (૮૫૩) બાર અંગોના જ્ઞાતા પ્રબુદ્ધ ગૌતમપણ શિષ્ય સંઘથી પરિવૃત્ત, ગ્રામનુગ્રામ વિચરતા શ્રાવતી નગરીમાં આવ્યા. (૮૪) નગર નજીક કોષ્ઠક ઉધાનમાં ક્યાં પ્રારક શસ્યા અને સંસ્કારક સુલભ હતા, ત્યાં રોકાયા - રહ્યા. • વિવેચન - ૮૫૧ થી ૮૫૪ - તે વખતે - તે કાળે, તે સમયે વર્તમાન નામે તીર્થકર હતા. ગૌતમ નામે, જો કે તેમનું નામ ઇંદ્રભૂતિ હતું, ગૌતમ ગોત્ર હતું. તે ગૌતમ નામે ભગવાન (ગણધર), બાર અંગના જ્ઞાતા પણ શ્રાવસ્તી પધાર્યા. પછી શું થયું? • સૂત્ર - ૮૫૫ થી ૮૫૯ - (૮૫) કુમાર શ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ બને ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા. (૮૫૬) સંયત, તપસ્વી, ગુણવાનું અને છકાય સંરક્ષક બંને શિષ્ય સંધોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું - (૮૫૭) આ ધર્મ કેવો છે? અને આ ધર્મ કેવો છે? આ ચાતુમિ ધર્મ છે, તે મહામુનિ પાર્શ્વ એ કહેલ છે. આ પંચ - શિક્ષાત્મક ધર્મ ભગવંત વર્ધમાને કહેલ છે. (૮૫૯) આ સેલક ધર્મ છે અને આ સાંતરોત્તર ધર્મ છે. એક લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં ભેદ શામાટે છે? • વિવેચન - ૮૫૫ થી ૮૫૯ - કેશિ અને ગૌતમ બંને શ્રાવસ્તીમાં વિચરતા હતા. આલીન - મન, વચન, કાય ગુપ્તિ આશ્રિત, અથવા પૃથફ રહેવાથી પરસ્પર ન જાણતા. તેઓ સારી રીતે જ્ઞાનાદિ સમાધિવાળા હતા. તે બંનેને સંયમી અને તપસ્વી શિષ્યોનો સમૂહ શ્રાવસ્તીમાં જ હતો. તે બધાં વિચારતા હતા કે - ગુણI: સભ્ય દર્શનાદિ, તેનાથી યુક્ત અને રક્ષણહાર આપણાં આ મહાવતરૂપ ધર્મ છે, તેમાં આ ધર્મ કેવા પ્રકારે છે? આચાર - આચરણ, વેશધારણ આદિ બાહ્ય ક્રિયાકલાપ. તે જ સુગતિની ધારણાથી ધર્મ છે. કેમકે બાહ્ય ક્રિયામાત્રથી પણ નવ સૈવેયક સુધીની ગતિ પ્રાપ્ત કરાવે છે. તેની પ્રાણિધિ Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy