________________
૨૨0
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧) કાયકીત્યુચ્ય- જેમાં સ્વય-પોતે હાસ્ય વિના જ ભ્રમર, નયન, વદનાદિના વિકારો કરે છે, જેથી બીજાને હસવું આવે. - - -
(૨) વાફ કૌત્કચ્ય - એવી રીતે બોલે કે જેનાથી બીજાને હસવું આવે છે તથા વિવિધ જીવોના અવાજો કાઢીને મુખ વડે આતોધાદિને વગાડે છે, તે વાક કીલુચ્ચ કહેવાય - X- x
આવા કંદર્પ અને કહ્યુચ્યને કરે છે.
શીલ - જે પ્રકારે બીજાને વિસ્મય ઉપજાવે છે, ફળ નિરપેક્ષ એવી વૃત્તિ - સ્વભાવ - બીજાના વિમય ઉત્પાદન અભિસંધિ વડે જ તે તે મુખ વિકારાદિ કરવા,
હસન - અટ્ટહાસ્યાદિ કરવા. વિકથા - બીજાને વિસ્મય પમાડે તેવા વિવિધ ઉલ્લાપો કરવા.
ઉક્ત શીલ આદિ વડે વિમય યુક્ત બીજાને કરવા તે કંદર્પના યોગથી કંદર્પો છે. તેનાથી આ કાંદપ ભાવના કહી છે. અથવા તેના ભાવ આભ્યાસરૂપ આત્માને કહે છે. આ જ પ્રમાણે આગળની ભાવના પણ ભાવવી.
મંત્ર - પૂર્વે કહેલ છે, તેનો યોગ- વ્યાપારણ, તે મંગયોગને કરીને અથવા મંત્ર અને યોગ- તથાવિધ દ્રવ્યના સંબંધથી મંત્રયોગ તેને કરીને અર્થાત તેમાં પ્રવૃત્ત થઈને વર્તવું.
ભૂતિ - ભસ્મ, રાખ, માટી સંબંધી કર્મ- વસતિ આદિની રક્ષાર્થે તેનું પરિવેષ્ટન કરવું તે ભૂતિ કર્મ. - x- - -
શા માટે આ મંત્ર યોગ કે ભૂતિ કર્મ આદિ કરે? તે કહે છે -
સાતા - સુખને માટે, રસ - માધુર્ય આદિને માટે, હદ્ધિ - ઉપકરણ આદિ સંપત્તિને માટે અર્થાત્ તે - તે હેતુ કે નિમિત્તથી કરે.
અભિયોગ - તેને આભિયોગી ભાવના કહે છે, તેમ કહેવું. આમ કહીને સૂત્રકાર એવું જણાવે છે કે જે નિઃસ્પૃહતાથી અપવાદ રૂપે કવચિત કરે તો ગુણને માટે અર્થાત્ અદોષને માટે છે. - x x
જ્ઞાનની - શ્રુતજ્ઞાનની, કેવલી - કેવળજ્ઞાન પામેલાની, ધર્મનો ઉપદેશ દેનારની, આચાર્યની, સંઘની, સર્વે સાધુઓની નિંદા અર્થાત જે અવર્ણવાદ કે અચ્છાધા કરે છે. - x x x- કેવી રીતે ?
શ્રત જ્ઞાનની - જેમકે આ શું વારંવાર વ્રતની અને અપ્રમાદની આદિ વાત કહે છે, મોક્ષાધિકારીને વળી જ્યોતિષાદિથી શું?
કેવલીની - જેમકે, આ જ્ઞાનદર્શન ઉપયોગ અનુક્રમે શા માટે, બંને ભેગા વર્તતા હોય તો શું વાંધો? ઇચ્યાદિ. - x-x
ધર્માચાર્યની - ઘણાં કાગળા કુતરાના પણ સંઘો હોય જ છે ને, તો આ સંઘ વળી કઈ વિશેષતાવાળો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org