SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય. ૩૬ ભૂમિકા ૧૮૫ અને છઠું મન. દયિકમાં ક્રોધાદિ ચાર મળીને દશ ભેદ થાય. એ પ્રમાણે અજીવના નિક્ષેપમાં પણ જ્યારે પુદ્ગલદ્રવ્ય અજીવ રૂપ સર્વગુણ પર્યાય રહિત પણે વિચારાય ત્યારે તવ્યતિરિક્ત દ્રવ્ય જીવ. ભાવમાં અજીવદ્રવ્યના - પુગલના દશવિધ પરિણામે અજીવ છે. અને તે પાંચ-પાંચ શુભાશુભ પણે વિવક્ષિત છે. તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પ્રમાણે જાણવા. વિભક્તિના નિક્ષેપમાં બે પ્રકારે વિભક્તિ છે. જીવોની અને અજીવોની. જીવોનું વિભાગથી અવસ્થાપન, એ પ્રમાણે અજીવોનું સ્થાપન. - X- - - *- ભાવ નિક્ષેપમાં દયિકાદિ ભાવ વિષયક છ પ્રકારો જાણવા. - ૮ - ૪ અહીં જીવ, અજીવ દ્રવ્ય વિભાગ અવસ્થાન રૂપથી અધિકાર છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂબાનુગમમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૪૬૫ - જીવ અને અજીવના વિભાગને તમે એકાચ મને મારી પાસેથી સાંભળો, જેને જાણીને ભિક્ષ સમ્યફ પ્રકારે સંયમમાં યત્નશીલ થાય. • વિવેચન - ૧૪૬૫ - જીવ - ઉપયોગ લક્ષણવાન, અજીવ - તેથી વિપરીત, વિભક્તિ – તેમના ભેદાદિ દર્શનથી વિભાગ વડે અવસ્થાપન. તે જીવાજીવ વિભક્તિને હું કહું છું. હે શિષ્યો ! તમે સાંભળો. કેવી રીતે? દર્શનમાં કહેલ જીવ, અજીવ વિભાગના અવગત તત્વથી તેમાં જ ચિત્ત પરોવીને, તે એકમન. અહીં જ શ્રદ્ધાવાળા થઈને. આ પ્રમાણે જીવ અને અજીવ વિભક્તિને જાણીને પછી ભિક્ષુ - શ્રમણ સમ્યક્ - પ્રશસ્ત યત્નવાતું બને. સંયમમાં - ઉક્તરૂપ સંયમ વિષયમાં. જીવાજીવ વિભક્તિના જ્ઞાનની માફક લોકાલોક વિભાગનું જ્ઞાન પણ સંયમ યતનમાં વિષયપણાથી ઉપયોગી છે, તેથી તે કહે છે - • સૂત્ર - ૧૪૬૬ - આ લોક જીવ અને અજીવમય કહેવાયેલો છે. અને જ્યાં આજીવનો એક દેશ કેવળ આકાશ છે, તે અલોક કહેવાય છે. • વિવેચન - ૧૪૬૬ - જીવ અને અજીવ રૂ૫ પ્રત્યેક પ્રાણીને પ્રત્યક્ષ આ લોક વિશેષથી કથિત છે, તેમ તીર્થકાદિએ કહેલ છે. જીવ અને અજીવોને યથાયોગ આધાર - આધેયપણાથી વ્યવસ્થિત લોક છે. આના વડે સજીવનો સમુદાય લક્ષ્ય કરાય છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલરૂપ તેનો એક અંશ તે આકાશને અલોક કહે છે. - X- ૪ - હવે જીવાજીવ વિભક્તિ પ્રરૂપણા દ્વારથી તેને કહે છે - • સૂત્ર - ૧૪૬૭ - દ્રવ્યથી, ક્ષત્રથી, કાળથી અને ભાવથી જીવ અને અજીવની પ્રરૂપણા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy