________________
૩૨/૧૨૬૮ થી ૧૩૪૫
૧૪૯ (૧૩૦૭ થી ૧૩૧૯) જિલ્લાનો વિષય રસ છે. જે રસ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રસ દ્વેષનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે. ઇત્યાદિ - ૧૩ - સુત્રોને ચણ અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચહ્યું કે શ્રોત્રના સ્થાને જિલ્લા કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને રસ' કહેવો. બાકી આલાવા પૂર્વવત.
(૧૩૨૦ થી ૧૩૩૨) કાયાનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ ચગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે સ્પર્શ દ્વેષનું કારણ છે તેને અમોઝ કહે છે, ઇત્યાદિ - ૧૩ - સૂછોને ચા અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચા કે શ્રોત્રના સ્થાને “કાય’ કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને સ્પર્શ' કહેવો. બાકી આલવા પૂર્વવત.
(૧૩૩૩ થી ૧૩૪૫) મનનો વિષય ભાવ છે. જે ભાવ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે ભાવ તેનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે, ઇત્યાદિ - ૧૩ • સૂત્રોને ચક્ષ અને શ્રોત્રમાં કહેલા ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચ@ અને શ્રોત્રના સ્થાને “મન” કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને “ભાવ” કહેવો. બાકી આલાવા પૂર્વવત.
• વિવેચન - ૧૨૬૮ થી ૧૩૪૫ -
(૧૨૬૮ થી ૧૨૮૦) અહીં કુલ - ૭૮ સૂત્રો છે, જેનો સ્ત્રાર્થ કહ્યો. તેમાં ચક્ષુને - ૧૩ - સૂત્રો છે. ચક્ષુ એટલે ચક્ષુ ઇંદ્રિય, રૂપ-વર્ણન કે સંસ્થાન. રાગ- આસક્તિનો હેતુ છે. તેને મનોજ્ઞ કહ્યો, જે દોષનો હેતુ છે, તેને અમનોજ્ઞ કહ્યો. આ રાગ અને દ્વેષ બંનેથી જે પર છે, તે “વીતરાગ' કહેવાય છે. તથાવિધ રાગના અભાવથી વીતરાગ કહ્યા પણ રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય. તેથી તેમને “વીતàષ” પણ કહે છે. તેથી જ ચક્ષુ આવા રાગ કે દ્વેષમાં પ્રવર્તે તો “સમતા' એ જ આલંબન છે, તેમ કહ્યું.
- x- ૪ - રૂપ અને ચક્ષુનો ગ્રાહ્ય - ગ્રાહક સંબંધ કહેલ છે. ગ્રાહક વિના ગ્રાહ્યત્વ ન હોય અને ગ્રાહ્ય વિના ગ્રાહકત્વ ન હોય. એ રીતે આ બંનેનો પરસ્પર ઉપકારી • ઉપકારક ભાવ કહેલો છે. તેથી આ બંનેનો રાગ-દ્વેષની ઉત્પત્તિમાં સહકારી ભાવ જાણવો. તેથી જેમ “રૂપ” રાગદ્વેષનું કારણ છે, તેમ ચક્ષુ પણ છે. • x x x- પરંતુ વીતરાગને ચક્ષ રાગદ્વેષનું કારણ બનતા નથી, કેમ તેઓ બંનેમાં “સમ” હોય છે.
રાગ અને દ્વેષને ન ઉદ્ધરવામાં શો દોષ છે? કે જેથી તેના ઉદ્ધરણને અર્થે આ પ્રમાણે ઉપદેશ કરાય છે, તે કહે છે - રૂપમાં જે વૃદ્ધ છે અર્થાત રાગવાન છે, તે યથાસ્થિતિ આયુ પૂર્ણ થાય પહેલાં જ વિનાશ પામે છે, મરણાંત બાધારૂપ કલેશ પામે છે. જેમ પતંગીયુ દીપશિખાદિ જોઈને તેમાં લંપટ થઈને પ્રાણ ત્યાગ કરે છે. તેમને પણ ગૃદ્ધિ આદિથી આગ જ છે. - x-x- જેઓ રૂપમાં સદા હેષ પામે છે, તેનું શું? તે કહે છે
જે ક્ષણમાં ઠેષ ઉત્પન્ન થાય છે, તે શારીરિક આદિ દુઃખને પામે છે. તે પામેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org