SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨/૧૨૬૮ થી ૧૩૪૫ ૧૪છે. મુનિ તેમાં લિપ્ત થતાં નથી. (૧૨૭૩) મનોજ્ઞ રૂપની આશાનું અનુગમ જ કરનારો અનેકરૂપ બસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જે અધિક મહત્વ દેનાર ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પરિતાપ આપે છે અને પીડા પહોંચાડે છે. (૧૨૭૪) રૂપમાં અનુપાત અને પરિગ્રહને કારણે રૂપના ઉત્પાદનમાં સંરક્ષણમાં, સંનિયોગમાં તથ્ય વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી ? તેને ઉપભોગકાળમાં પણ વૃતિ મળતી નથી. (૧૨૭૫) રૂપમાં અવૃક્ષ તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પામતો નથી. તે અસંતોષ દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બીજાની વસ્તુને ચોરે છે. (૧ર૭૬) રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા વૃષણાથી અભિભૂત થઈને તે બીજાની વસ્તુનું અપહરણ કરે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂથ વધે છે. પરંતુ કપટ અને જૂઠનો પ્રયોગ કરવા છતાં તે દુ:ખથી મુક્ત થતો નથી. (૧૨9) જૂઠ બોલતા પહેલાં, તેની પછી અને બોલવાના સમયમાં પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ થાય છે. એ પ્રમાણે રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનારો દુઃખી અને આશ્રયહીન થાય છે. (૧ર૭૮) આ પ્રમાણે રૂપમાં અનુરક્ત મનુષ્યને ક્યાં, ક્યારે અને કેટલું સુખ થશે ? જે પામવાને માટે મનુષ્ય દુખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. (૧૨૭૯) આ પ્રમાણે રૂપ પ્રતિ હેક કરનાર પણ ઉત્તરોત્તર અનેક દુ:ખોની પરંપરાને પ્રાપ્ત થાય છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે, તે વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. (૧૨૮૦) રૂપમાં વિરક્ત મનુષ્ય શોક સહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં પણ લિપ્ત થતો નથી. જેમ જળાશયમાં કમળનું પબ જળથી લિપ્ત થતું નથી. (૧૨૮૧) શ્રોત્રનું ગ્રહણ શબ્દ છે, જે શબ્દ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે શબ્દ ઢેબમાં કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. તેમાં જે સમ છે તે વીતરાગ છે. ' (૧૯૮૨) શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે. શબ્દ શોત્રનો ગ્રાહ્ય છે. જે ગગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, તેનું કારણ તે અમનોજ્ઞ કહેવાય છે. (૧૨૮) જે મનોજ્ઞ શબ્દોમાં તીવ રૂપે આસક્ત છે, તે રાગાતુર આકાળમાં જ વિનાશને પામે છે. જેમ શબ્દમાં અતુમ મુગ્ધ હરણ મૃત્યુને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009030
Book TitleAgam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy