________________
૧૩૯
૩૨/૧૨૪૭ ક્ષણ. - x- તેમાં અહીં આરંભ ક્ષણ રૂપ અંત પરિગ્રહણ કરીએ છીએ. તથા અત્યંત - અનાદિ કાળ જેનો છે, તે આ અત્યંત કાળ.
સહ ભૂલેન - કષાય અવિરતિ રૂપથી વર્તે છે તે સમૂલક. સંપૂર્ણ દુઃખમય સંસાર, અહીં અસાતાને જ દુ:ખરૂપે ગ્રહણ કરવી. આ પક્ષમાં મૂળ રાગ અને દ્વેષ, તેને પ્રકર્ષથી છોડે છે તે પ્રમોક્ષ, તે આત્માના દુઃખના અપગમ હેતુ છે. હવે તેનું પ્રતિપાદન કરે છે.
અથવા પ્રમોક્ષ – દૂર કરવું તેને કહેનારના, પ્રતિપૂર્ણ ચિત કે વિચારો વડે સાંભળો. એકાગ્ર - એક આલંબનના અર્થથી ચિત્તનો ભાવ તે ધ્યાન. અને તે ધર્મ આદિ ધ્યાન. એકાંત હિતકર છે. હિત - તત્ત્વથી મોક્ષ જ છે.
• સૂત્ર - ૧૨૪૮ -
સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી આજ્ઞાન અને મોહના પરિહારથી, રાગહેપના પૂર્ણ ક્ષયથી - જીવ એકાંત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે.
• વિવેચન - ૧૨૪૮ -
જ્ઞાન - આભિનિબોધિકાદિના, સંપૂર્ણ અને પાઠાંતરથી અવિતથના પ્રભાસન અર્થાત નિર્મલીકરણ વડે. આના વડે જ્ઞાનાત્મક મોક્ષ હેતુ કહ્યો.
અજ્ઞાન - મતિ અજ્ઞાનાદિ, મોહ - દર્શન મોહનીય. આ અજ્ઞાન અને મોહનો પરિહાર. મિથ્યાશ્રત શ્રવણ અને કુદૃષ્ટિ સંગ પરિત્યાગદિ વડે કરવો. આના વડે તેને જ સમ્યગદર્શન રૂપ કહ્યો.
તથા ઉક્તરૂપ રાગ-દ્વેષના વિનાશથી, તેના જ ચારિત્રપણાનું અભિયાન છે. રાગ દ્વેષના જ કષાયરૂપત્નથી તેના ઉપઘાતકત્વનું અભિધાન છે. તેનો આ અર્થ છેસમ્યગદર્શન જ્ઞાન ચા િવડે એકાંત સુખ એવો મોક્ષ પ્રાપ્ત કરે છે. આ દુઃખના પ્રમોક્ષના અવિનાભાવીથી ઉપલક્ષિત છે. તે
જ્ઞાનાદિ વડે દુઃખનો પ્રમોક્ષ છે, આનો પ્રાપ્તિ હેતુ શો છે? • સૂત્ર - ૧૨૪૯ -
ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાંતમાં નિવાસ કરવો, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું, ધૈર્ય રાખવું. એ દુઃખોથી મુક્તિનો ઉપાય છે.
• વિવેચન - ૧૨૪૯ -
આ જે અનંતર મોક્ષ ઉપાય કહ્યો. અનંતર કહેવાનાર માર્ગની પ્રાપ્તિનો હેતુ, જે યથાવત્ શાસ્ત્રાભિધાયક ગુરુ અને શ્રુત કે પર્યાયાદિ વૃદ્ધ છે તેની સેવા - પર્યપાસના કરવી. આ ગુરુકુળવાસનું ઉપલક્ષણ છે. તેમાં જ્ઞાનાદિ સુપ્રાપ્ય થાય છે. - ૮ - ૪ - ગુફળવાસ હોવાથી કુસંસર્ગ થતો જ નથી. પાર્થસ્થાદિનો વિશેષથી પરિહાર કરવો. કેમકે તેનો અલ્પ પણ સંગ મહાદોષના નિબંધનત્વથી અભિહિત છે. તેનો પરિવાર કર્યા પછી પણ સ્વાધ્યાય તત્પરતા વિના જ્ઞાનાદિની પ્રાપ્તિ ન થાય. સ્વાધ્યાય અર્થે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org