________________
૧૦૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ - સ્વાધ્યાયાદિની ક્ષતિ, તેનો અભાવ તે અપરિમંથ, તેને પામે છે. તથા ઉપધિથી નિકાંત તે નિરુપધિક જીવ વસ્ત્રાદિની અભિલાષારહિત થી, ઉપધિરહિત પણ શારીરિક, માનસિક સંકલેશને પામતો નથી. -- X-.
• સૂત્ર - ૧૧૪૮ -
ભગવન્! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? આહાર પ્રત્યાખ્યાનથી જીવ હિતની આશંસાના પ્રયત્નોને વિચ્છિન્ન કરી દે છે. તેને વિચ્છિન્ન કરીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી.
• વિવેચન - ૧૧૪૮ -
ઉપધિ પ્રત્યાખ્યાતા આહારને પણ પચ્ચકખે છે. જિનકલ્પિકાદિ એષણીય આહાર ન મળતા ઘણાં દિવસો ઉપવાસી જ રહે છે, તેથી આહાર પ્રત્યાખ્યાનને કહે છે - અષણીય ભોજનપાન નિરાકરણ રૂપથી પ્રાણને ધારણ કરવા રૂપ અભિલાષા તે જીવિતાસંસા, તેનો વ્યાપારકરણ તે જીવિતાશંસા પ્રયોગ, તેનો વિચ્છેદ થાય છે. આહારાધીન જ મનુષ્યોને જીવિત છે, તેથી તેના પ્રત્યાખ્યાનમાં તેની આશંસાનો વ્યવચ્છેદ થાય છે. તેમાં જીવિતાશાથી વિપ્રયોગ- વિવિધ વ્યાપારને વ્યવચ્છિન્ન કરે છે. જીવિતની આશાથી આહાર જ મુખ્ય વ્યાપાર છે. તેના પ્રત્યાખ્યાનમાં શેષ વ્યાપારનો વિચ્છેદ સુકર જ થાય છે. - *- તેથી તેવો જીવ અશનાદિ વિના સંકલેશ પામતો નથી. વિકૃષ્ટ તપોનુષ્ઠાનવાનું પણ બાધા અનુભવતો નથી.
• સૂત્ર - ૧૧૪૯ -
ભગવન! કષાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? કષાય પ્રત્યાખ્યાનથી વીતરાગ ભાવ પામે છે. વીતરાગભાવ પ્રાપ્ત જીવ સુખ અને દુઃખમાં સમ થઈ જાય છે.
• વિવેચન - ૧૧૪૯ -
ઉક્ત ત્રણે પ્રત્યાખ્યાનનું ફળ કષાયનો અભાવ જ છે. તેથી કષાય પ્રત્યાખ્યાન કહે છે. તેનાથી - ક્રોધાદિના નિવારણથી વીતરાગ અર્થાત્ સગ કે દ્વેષ રહિતતાને પામે છે. - - વીતરાગ ભાવ પામવાથી રાગ અને દ્વેષના અભાવે સુખ - દુ:ખમાં તુલ્ય થાય છે. રાગદ્વેષ વડે જ તેમાં વૈષમ્ય સંભવે છે. તેના અભાવમાં તો સમતા જ રહે છે.
• સૂત્ર • ૧૧૫૦ -
ભગવન ! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? યોગ પ્રત્યાખ્યાન વડે અયોગત્વને પામે છે. અયોગી જીવ નવા કર્મો બાંધતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્જરી કરે છે.
• વિવેચન - ૧૧૫૦ -
નિષ્કષાયીપણ યોગના પ્રત્યાખ્યાનથી જ મુક્તિ સાધક થાય, તેથી તેને કહે છે. યોગ - મન, વચન, કાયાનો વ્યાપાર, તેના પ્રત્યાખ્યાનથી - તેના નિરોધથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org