SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨/૩૬૬ ૯૭ આવું કહેવા છતાં તે મુનિ પ્રશમતા ધારણ કરીને કંઈપણ બોલતા નથી, તેનો સાંનિધ્યકારી હિંદુક્યક્ષ જે કરે છે, તે કહે છે - સૂત્ર - ૩૬૭ ત્યારે તે મહામુનિની અનુકંપાવાળા હિંદુક વૃક્ષવાસી યક્ષે પોતાના શરીરને છુપાવીને આવા વચનો ઉચ્ચાર્યા - ♦ વિવેચન - ૩૬૭ . - યક્ષ – વ્યંતર વિશેષ, તે અવસરે હિંદુકવૃક્ષવાસીએ તેનો સંપ્રદાય આ છે - તે હિંદુકવનમાં મધ્યે મોટુ હિંદુક વૃક્ષ હતું, ત્યાં તે રહેતો હતો. તેની નીચે ચૈત્ય હતું. ત્યાં તે સાધુ રહ્યા હતા. અનુરૂપ ક્રિયા પ્રવૃત્તિવાળો તે અનુકંપક, કોની ? તે હરિકેશબલ મહામુનિની, પ્રકર્ષથી પોતાના શરીરને આવરીને, અર્થાત્ તપસ્વી મુનિના શરીરમાં પ્રવેશીને અને સ્વયંને ગોપવીને. હવે કહેવાનાર વચનો કહ્યા. તે શું વચન હતા ? • સૂત્ર - ૩૬૪, ૩૬૯ - • હું શ્રમણ છુ, સંયત છું, બ્રહ્મચારી છું. હું ધન, પંચન રાંધવું, પરિગ્રહનો ત્યાગી છુ. ભિક્ષા કાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલ છુ... અહીં પ્રચુર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા અક્ષમાંથી કંઈક આ તપસ્વીને પણ મળે. 38/7 Jain Lausation International ૭ વિવેચન ૩૬૮, ૩૬૯ શ્રમણ – મુનિ, હું - પોતા માટે નિર્દેશેલ છે. કેવા ? એવી આશંકાથી કહે છે - સમ્યક્ યત તે સંયત - અસત્ વ્યાપારથી અટકેલ. તેથી જ બ્રહ્મચારી, તથા વિરત, નિવૃત્ત. શેનાથી ? થન ચતુષ્પદ આદિ, ચન આહાર બનાવવો, પરિગ્રહ દ્રવ્યાદિમાં મૂર્છા. તેથી જ બીજાએ પોતાના માટે જ નિષ્પાદિત કરેલ, તે પરપ્રવૃત્ત. તેને જ પણ પોતાના માટે કરેલ નહીં. ભિક્ષાકાળે અર્થાત્ અકાળે નહીં, ભોજનને માટે, આ યજ્ઞપાટકે હું આવેલ છું. આના વડે - “તુ કોણ છે ? તું અહીં કેમ આવ્યો છે ? નોં ઉત્તર આપ્યો. - · w એ પ્રમાણે કહેતા તેઓ કદાચ કહે કે - “અહીં કશું કોઈને અપાતુ નથી કે દેય પણ નથી.'' તેથી કહ્યું - દીન અને અનાથોને અપાતું, ખંડ ખાધ આદિ ખવાય તે, ભોજન - સૂપ આદિ તે ભોજન થાય છે. આ બધું અલ્પ પણ હોય, તેથી કહે છે - ઘણું અને બીજાએ કરેલું. - x - પ્રાણધારણ માટે તેની યાચના કરું છું - X - માટે તમે મને આપો. કદાચ આ ઉત્કૃષ્ટ વસ્તુની યાચના કરે તો ? તેથી તેનો આશય કહ્યો. કંઈ અંત-પ્રાંત બચેલું હોય તે આ યતિ કે તપસ્વીને પ્રાપ્ત થાય. •x-જે એ પ્રમાણે યક્ષે કહેતા યજ્ઞવાટવાસીએ કહ્યું - For Private & Personal Use Only . - www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy