SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રાપૂર્વકભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂલભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન ખાવું કે પીવું ન કલ્પે. હે જાત ! તું સુખ સમુચિત છે, શીત કે ઉષ્ણ, ભૂખ કે તરસ, ચોર કે બાલ, દંશ કે મશક એ બધાંને સહન કરવા સમર્થ નથી. વાતિક, પૌતિક, શ્લેખિક કે સાંનિયામિક વિવિધ રોગ કે આતંક સહન કરવા સમર્થ નથી, સારા-ખરાબ ગ્રામ કંટક કે બાવીશ પરીષહો સહન કરવા સમર્થ નથી, ઉદીર્ણ ઉપસર્ગોને સમ્યક્ અધ્યાસિત કરી શકે તેમ નથી. વળી નિશે તારો વિયોગ ક્ષણવાર પણ સહન કરી શકીએ તેમ નથી, તો હમણાં રહે, રાજયલક્ષ્મીને ભોગવ, પછી પ્રવજ્યા લેજે. ત્યારે તે કંડરીકે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય તે પ્રમાણે જે તમે કહો છો. પરંતુ હે દેવાનુપ્રિય!આ નિર્ચન્જ પ્રવચન નપુંસક, કાયર, કાપુરુષ, આલોકમાં પ્રતિબદ્ધ, પરલોકથી પરાંનું મુખ, વિષય તૃષ્ણાવાળા સામાન્ય લોકોને દુરનુચર છે, પરંતુ ધીરને નિશ્ચિતને, વ્યવસિતને તેમાં નિશ્ચે કાંઈ દુકરકારક નથી. તેથી હે દેવાનુપ્રિય! દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યારે તે કંડરીકને જ્યારે પુંડરીક રાજા ઘણી બધી આખ્યાપના આદિ વડે કહેવા - સમજાવવા આદિ માટે સમર્થન થયા ત્યારે અનિચ્છાએ જ દીક્ષા લેવા માટેની અનુમતિ આપી. ત્યાર પછી તે પુંડરીક કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - મહા, મહાઈ, મહાઈ, મહાનિષ્ક્રમણ મહિમાને કરો. યાવત કંડરીક પ્રવજિત થયો. પછી કંડરીક મુનિ સામાયિકાદિ અગિયાર અંગોને ભણ્યા. ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ અને તપ-ઉપધાન પૂર્વક વિચારે છે. પણ કોઈ દિવસે તેમને અંત-પ્રાંત યાવત રોગાતંક ઉત્પન્ન થયો. યાવતુ દાહ વ્યુત્ક્રાંત થયો, યાવત વિચરે છે - ત્યાર પછી તે સ્થવિર ભગવંતો અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરણ કરતો. ગ્રામાનુગ્રામ વિહરતા, પુંડરીકિણીમાં નલિનીવન ઉધાનમાં પધાર્યા. ત્યારે તે પુંડરીક રાજા આ વૃત્તાંતને પામ્યા. પામીને ચાવતું ત્યાં જઈને પર્યાપાસે છે. ભગવંતે ધર્મકથા પ્રસ્તુત કરી. ત્યારે પંડરીક રાજા ધર્મ સાંભળીને જ્યાં કંડરીક અણગાર હતા ત્યાં જાય છે. જઈને કંડરીક મુનિને વંદે છે. વાદીને પ્રણમે છે. ત્યારે તેણે કંડરિક મુનિના શરીરને વ્યાબાધા અને રોગ સહિત જોયું. પંડરીક રાજા જ્યાં સ્થવિરો હતા ત્યાં આવ્યા, સ્થવિરોને વંદન કર્યું. વાંદીને આ પ્રમાણે કહ્યું - હે ભદંતો ! હું કંડરીક અણગારની યથા પ્રવૃત ચિકિત્રિતા પ્રાસુક એષણીય વડે, યથા પ્રવૃત્ત ઔષધ ભૈષજ્ય અને ભોજન-પાન વડે ચિકિત્સા કરીશ. હે ભદંતો ! આપ, મારી યાનશાળામાં પધારો. ત્યારે સ્થવિરોએ પુંડરીક રાજાની આ વાતનો સ્વીકાર કર્યો, સ્વીકારીને યાવતુ યાનશાળામાં વિચરે છે. ત્યારપછી તે પુંડરીક રાજા કંડરીક મુનિની ચિકિત્સા કરાવે છે. ત્યારપછી તે મનોજ્ઞ અશનાદિનો આહાર કરતા, તેના રોગાતંક જલ્દીથી ઉપશાંત થયા, તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy