________________
૮/૨૨૨
૩ ૯ પગલે તેનો ધંશ સંભવે છે. અનંતર કહેલા કામભોગોમાં અભિરિત સ્વરૂપમાં રસ - અત્યંત આસક્તિરૂપ, તેનાથી ગૃદ્ધ - તેની આકાંક્ષાવાળા તે કામભોગ રસમૃદ્ધો અથવા રસ - પૃથક્ જ શૃંગાદિ, ભોગનો અંતર્ગત છતાં તેનું પૃથક્ ઉપાદન, અતિગૃદ્ધિ વિષયતા જણાવવા માટે છે. તેઓ અસુરનિકાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત આવા તેઓ કંઈક ક્યારેક અનુષ્ઠાનથી અનુતિષ્ઠ છતાં પણ અસુરોમાં જ ઉપજે છે - - પછી શું થાય ?
• સૂત્ર - ૨૩ -
ત્યાંથી ઉદ્ભવતને પણ તેઓ સંસારમાં ઘણો કાળ સુધી ભમે છે ઘણાં અધિક કમથી લેવાવાને કારણે તેમને બોધિધર્મની પ્રાપ્તિ દુર્લભ છે.
• વિવેચન - ૨૨૩ -
અસુર નિકાયથી નીકળીને બીજે અનુર્ગતિરૂપ વિપુલ કે વિસ્તીર્ણ સંસારમાં ભટકે છે. અથવા ઘણાં પ્રકારે ચોર્યાશી લાખમાં સાતત્યથી ભટકે છે - અનુસરે છે. અનંતાથી તે ઘણાં કર્મો -ક્રિયમાણપણાથી જ્ઞાનાવરણ આદિ ઘણાં કર્મોના લેપ અર્થાત ઉપચય, તેના વડે લિસ અર્થાત્ ઉપચિત થઈને જિનધર્મની પ્રાતિરૂપ બોધિ તેમને અતિશય દુપ્રાપ્ય થાય છે. - X- X- જે કારણે આ ઉત્તરગુણ વિરાધનામાં દોષ છે, તે કારણે તેની આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ.
(શંકા) આ દ્રવ્યશ્રમણો જાણવા છતાં પણ કેમ આવા લક્ષાણાદિ પ્રયોજે છે ? (સમાધાન) લોભથી, તેથી જ આકુલિત આત્મની દુપૂરતા કહે છે.
• સૂત્ર - ૨૨૪ -
પ્રતિપૂર્ણ એવો આ સમગ્ર લોક પણ જે કોઈ એકને આપી દેવાય, તો પણ તે તેનાથી સંતુષ્ટ થશે નહીં. (કેમકે) આ આત્મા એટલો દુષ્કર છે.
• વિવેચન • ૨૨૪ -
પરિપૂર્ણ છતાં પણ, જે સુરેન્દ્રાદિ આ પ્રત્યક્ષ જગત જે ધન - ધાન્ય- હિરણ્યાદિ ભરેલ છે, તે આપી દે, ઘણાંને શું કામ? કોઈ એકને જ કે જેણે કોઈકને કદાચિત આરાધિત કરેલ હોય, તેને આપી દે, તો પણ તે સંતુષ્ટ થશે નહીં. - “મને આટલું મળ્યું” એવી તુષ્ટિ પામશે નહીં. - x x- આવા કારણથી દુઃખે કરીને પૂરવા શક્ય તે દુપુર, એવા આ પ્રત્યક્ષ આત્મા છે એમની ઇચ્છા પરિપૂર્ણ કરવી અશક્ય છે.
તે કેમ સંતોષ પામતો નથી, તેનો સ્વ સંવિદિત હેતુ કહે છે - • સૂત્ર - ૨૨૫ -
જેમ લાભ થાય, તેમ લોભ થાય છે, લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પક્ષ થનાર કાર્ય કરોડથી પણ પૂર્ણ ન થયું.
• વિવચન - ૨૨૫ -
જે પ્રકારે અર્થની પ્રાપ્તિ થાય, તે પ્રકારે લોભ - વૃદ્ધિની આકાંક્ષા થાય છે. તેનાથી શું ? લાભથી લોભ પ્રકર્ષથી વધે છે. અહીં વીપ્સાર્થ લેવાં જેમ જેમ લાભ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org