SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/૨૨૨ ૩ ૯ પગલે તેનો ધંશ સંભવે છે. અનંતર કહેલા કામભોગોમાં અભિરિત સ્વરૂપમાં રસ - અત્યંત આસક્તિરૂપ, તેનાથી ગૃદ્ધ - તેની આકાંક્ષાવાળા તે કામભોગ રસમૃદ્ધો અથવા રસ - પૃથક્ જ શૃંગાદિ, ભોગનો અંતર્ગત છતાં તેનું પૃથક્ ઉપાદન, અતિગૃદ્ધિ વિષયતા જણાવવા માટે છે. તેઓ અસુરનિકાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત આવા તેઓ કંઈક ક્યારેક અનુષ્ઠાનથી અનુતિષ્ઠ છતાં પણ અસુરોમાં જ ઉપજે છે - - પછી શું થાય ? • સૂત્ર - ૨૩ - ત્યાંથી ઉદ્ભવતને પણ તેઓ સંસારમાં ઘણો કાળ સુધી ભમે છે ઘણાં અધિક કમથી લેવાવાને કારણે તેમને બોધિધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. • વિવેચન - ૨૨૩ - અસુર નિકાયથી નીકળીને બીજે અનુર્ગતિરૂપ વિપુલ કે વિસ્તીર્ણ સંસારમાં ભટકે છે. અથવા ઘણાં પ્રકારે ચોર્યાશી લાખમાં સાતત્યથી ભટકે છે - અનુસરે છે. અનંતાથી તે ઘણાં કર્મો -ક્રિયમાણપણાથી જ્ઞાનાવરણ આદિ ઘણાં કર્મોના લેપ અર્થાત ઉપચય, તેના વડે લિસ અર્થાત્ ઉપચિત થઈને જિનધર્મની પ્રાતિરૂપ બોધિ તેમને અતિશય દુપ્રાપ્ય થાય છે. - X- X- જે કારણે આ ઉત્તરગુણ વિરાધનામાં દોષ છે, તે કારણે તેની આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. (શંકા) આ દ્રવ્યશ્રમણો જાણવા છતાં પણ કેમ આવા લક્ષાણાદિ પ્રયોજે છે ? (સમાધાન) લોભથી, તેથી જ આકુલિત આત્મની દુપૂરતા કહે છે. • સૂત્ર - ૨૨૪ - પ્રતિપૂર્ણ એવો આ સમગ્ર લોક પણ જે કોઈ એકને આપી દેવાય, તો પણ તે તેનાથી સંતુષ્ટ થશે નહીં. (કેમકે) આ આત્મા એટલો દુષ્કર છે. • વિવેચન • ૨૨૪ - પરિપૂર્ણ છતાં પણ, જે સુરેન્દ્રાદિ આ પ્રત્યક્ષ જગત જે ધન - ધાન્ય- હિરણ્યાદિ ભરેલ છે, તે આપી દે, ઘણાંને શું કામ? કોઈ એકને જ કે જેણે કોઈકને કદાચિત આરાધિત કરેલ હોય, તેને આપી દે, તો પણ તે સંતુષ્ટ થશે નહીં. - “મને આટલું મળ્યું” એવી તુષ્ટિ પામશે નહીં. - x x- આવા કારણથી દુઃખે કરીને પૂરવા શક્ય તે દુપુર, એવા આ પ્રત્યક્ષ આત્મા છે એમની ઇચ્છા પરિપૂર્ણ કરવી અશક્ય છે. તે કેમ સંતોષ પામતો નથી, તેનો સ્વ સંવિદિત હેતુ કહે છે - • સૂત્ર - ૨૨૫ - જેમ લાભ થાય, તેમ લોભ થાય છે, લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પક્ષ થનાર કાર્ય કરોડથી પણ પૂર્ણ ન થયું. • વિવચન - ૨૨૫ - જે પ્રકારે અર્થની પ્રાપ્તિ થાય, તે પ્રકારે લોભ - વૃદ્ધિની આકાંક્ષા થાય છે. તેનાથી શું ? લાભથી લોભ પ્રકર્ષથી વધે છે. અહીં વીપ્સાર્થ લેવાં જેમ જેમ લાભ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy