SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર છે. જો કે તત્ત્વથી તેની આવી ઇચ્છા સંભવતી નથી, આ તો ઉપમા માત્ર છે. એ પ્રમાણે તે અહીં પરિકાંક્ષા કરે છે. શું છે એ પ્રમાણે ચિરસ્થાયી થાય ? સૂત્ર - ૧૮૧ - જ્યાં સુધી અતિથિ આવતો નથી, ત્યાં સુધી તે બિયારો જીવે છે. મહેમાન આવતાં જ તેનું માથુ છેદીને ખાઈ જવાય છે. • વિવેચન - ૧૮૧ - જ્યાં સુધી - એ કાળની અવધારણા છે. મહેમાન ન આવે ત્યાં સુધી. પછીના કાળે પ્રાણને ધારણ કરતો નથી. કોણ? ઘેટો, સુખી થઈને રહે છે અથવા તત્ત્વથી તો દુ:ખી જ છે. હવે મહેમાન આવતાં સુધી તેના પ્રાણ છે, પણ ઘેટાના મસ્તકના બે ટુકડા કરીને તેનો સ્વામી, મહેમાન સાથે બેસી ઘેટાને ખાઈ જાય છે. ક્વે કથાનકને આગળ કહે છે - પછી તે વાછડો, મહેમાન આવતા ઘેટાને હણાતો જોઈને તરસ્યો હોવા છતાં માતાના સ્તનની અભિલાષા કરતો નથી. માતા બોલી - કેમ પુત્ર ! ભયભીત થયો છે? હવે દુધ કેમ પીતો નથી ? વાછરડો બોલ્યો - હે માતા ! મને સ્તનપાનની ઇચ્છા કેમ થાય? મારી સામે તે બિચારો ઘેટો હમણાં કોઈ મહેમાન આવતા લબડતી જીભવાળો, ફાટી ગયેલી આંખવાળો, વિસ્વર રડતો, ત્રણ અને શરણ રહિત મારી નંખાયો. તે ભયથી મને દૂધ પીવું કેમ ગમે ? માતા બોલી - હે પુત્ર ! ત્યારે જ તને આ બધું કહેલું ને? આ તેણે વિપાકને પ્રાપ્ત કર્યો. આ દષ્ટાંત કહીને દાખત્તિક કહે છે - • સૂત્ર • ૧૮૨ - મહેમાનને માટે સમીહિત તે વે, જેમ મહેમાનની પ્રતિક્ષા કરે છે, તેમ ધર્મિષ્ઠ જ્ઞાની જીવ પણ નરકાસુની પ્રતિક્ષા કરે છે. • વિવેચન ૧૮૨ - જે પ્રકારે નિશ્ચયથી પૂર્વોક્ત સ્વરૂપનું ઘેટું મહેમાન માટે કલ્પિત થઈ, હું આને દેવાઈ જઈશ, તે માટેની પરિકાંક્ષા કરે છે, એ પ્રમાણે અજ્ઞાન અને અધર્મની અભિલાષા કરતો, અધર્મગણના યોગથી અતિશય અધર્મ - અધર્મિષ્ઠ તેના અનુકૂળ ચરિતથી વાંછે છે, શું? નરકજીવિતને. ઉક્ત અર્થનો વિસ્તાર કરતા કહે છે - • સૂત્ર - ૧૮૩ થી ૧૮૫ - - હિંસક, અજ્ઞાની, મિટાભાષી, મામાં લુંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી ક્યાંથી ચોરી ક્યું ? એમ નિરંતર વિચારનાર, ધૃત્ત.... સી અને બીજા વિષયોમાં આસક્ત, મહાઆરબી, મહાપરિગ્રહી, દારુ - માંસ ભોગી, બળવાન, બીજાને દમનાર... બકરાની જેમ કર-કર શબ્દ કરતા માંસાદિ ભક્સ ખાનાર ફાંદાળ, અધિક લોહીવાળો, ઘેટો જેમ મહેમાનની પ્રતિક્ષા કરે તેમ તે નરકના અણુની આકાંક્ષા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy