________________
૧૦૮
રીતે આ સુદૃષ્ટ થતી નથી, તે રીતે સ્વતઃ જ કહે છે -
-
• સૂત્ર
૩૯ -
કુશ, સૂપ, તૃણ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યાકાળે જળનો સ્પર્શ - આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લોકો પ્રાણીઓ અને ભૂતોનો વિનાશ કરતા એવા પાપકર્મી રહ્યા છો.
♦ વિવેચન - ૩૯૮ -
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
કુશ - દર્ભ, સૂપ, તૃણ - વીરણાદિ. કાષ્ઠ- સમિધ આદિ અને અગ્નિને સર્વત્ર પરિગ્રહણ કરો છો. સંધ્યાકાળે અને પ્રાતઃ કાળે જળને આચમન આદિમાં પરામૃશ કરો છો. પ્રાણના યોગથી પ્રાણી અથવા પ્રકર્ષથી વસે છે તે પ્રાણી. પ્રાણ - બે ઇંદ્રિય આદિ કેમકે પાણીમાં પૂરા આદિ રૂપે તે સંભવે છે. लूत વનસ્પતિ, ઉપલક્ષણથી પૃથ્વી આદિ એકેન્દ્રિયો. એનો વિશેષ કે વિવિધ બાધ્યમાન અર્થાત્ વિનાશ કરો છો. ફરી પણ કેવળ પહેલાં જ નહીં, પરંતુ વિશુદ્ધિકાળમાં પણ પાણી અને અગ્નિ આદિ જીવનું ઉપમર્દન કરતા જડ લોકો એવા તમે પ્રકર્ષથી અશુભ કર્મોને એકઠાં કરો છો. તેનો આશય આ પ્રમાણે છે - કુશલો જ કર્મ મળના વિલયરૂપ તાત્ત્વિકી જ શુદ્ધિને માને છે, જ્યારે તમારા અભિમત યાગ સ્નાનમાં યૂપાદિ પરિગ્રહ અને જળ સ્પર્શમાં અવિનાભાવથી જીવની હિંસાના હેતુપણાથી કર્મમળનો ઉપચય અને બંધ જ થાય છે તેથી કર્મ વિશુદ્ધિનો સંભવ જ નથી, તો તમે કઈ રીતે તેને શુદ્ધિમાર્ગણ સુદૃષ્ટ તમે કહો છો ? વાચકવર્ય કહે છે - શુભ ભાવશુદ્ધિ રૂપ આધ્યાત્મિક શૌચનો ત્યાગ કરીને જ્યાં જળ આદિ શૌચ ઇષ્ટ છે, તે મૂઢ માર્ગ જ છે.
આ પ્રમાણે તેના વચનો સાંભળીને સમુત્પન્ન શંકાવાળા યાગ પ્રતિ ત્યારે એ પ્રમાણે પૂછે છે -
♦ વિવેચન - ૩૯૯ -
-
-
૦ સૂત્ર - ૩૯૯ -
હે ભિક્ષુ ! અમે કઈ રીતે પ્રવૃત્તિ કરીએ, કઈ રીતે યજ્ઞ કરીએ ? કઈ રીતે પાપકર્મોને દૂર કરીએ ? હે યક્ષપૂજિત સંયત ! મને બતાવો કે તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞ કર્યો બતાવે છે ?
Jain Education International
કયા પ્રકારે અમે યાગમાં પ્રવર્તીએ ? હે ભિક્ષુ ! - મુનિ ! તથા યાગને કઈ રીતે કરીએ ? કઈ રીતે પાપ - અશુભ કર્મો કે જે પૂર્વે ઉપાચિત કરેલા હોય તેને પ્રેરિત કરીએ - નિવારીએ ? તે અમને કહો. હે સંયત ! પાપસ્થાનોથી સમ્યક્ અટકેલા, હે યક્ષપૂજિત - યક્ષો વડે અર્ચિત ! અમે કર્મોને નિવારવાના ઉપાય રૂપ યાગ કેમ કરીએ? કેમકે અમારા યાગને તમે દૂષિત કહો છો, તો આપ જ અમને યાગનો ઉપદેશ આપો. કદાચ અવિશિષ્ટ જ યજનનો ઉપદેશ કરે, એવી આશંકાથી કહે છે
-
કયા
For Private & Personal Use Only
www.jainelibrary.org