SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨/૩૮૮, ૩૮૯ ૧૦૫ હરિકેશબલ નામના મુનિને પ્રસન્ન કરવાને માટે પત્નીની સાથે - તે ભદ્રા નામક ભાર્યા સહિત, મુનિની જે અવજ્ઞા અન નિંદા કરી તે માટે ક્ષમાયાચના કરે છે. ફરી પણ તેમને પ્રસન્ન કરવા કહે છે - • સૂત્ર ૩૯૦ - ભગવન્ ! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ તો મહાન અને પ્રસન્ન ચિત્ત હોય છે. તેથી તેઓ કોઈ પરત્વે કોપવાળા થતા નથી. • વિવેચન ૩૯૦ - બાલ - બાળકો, છાત્રો, મૂઢ – કષાય મોહનીય ના ઉદયથી ચિત્ત રહિતતા કે વિપરીત ચિત્તને પામેલા. તેથી જ અજ્ઞ - હિતાહિત વિવેક રહિત. તેમણે જે તમારી અવજ્ઞા કરી, તેની હે ભદંત ! ક્ષમા કરો. આના વડે એમ કહે છે આ બાળકો મૂઢ અને અજ્ઞાત છે, તેમના ઉપર કોપ કરીને શું ? આ બધાં અનુકંપા કરવા લાયક છે. - × - x - ઋષિઓ - સાધુઓ તો ચિત્ત પ્રસતિરૂપ મહા કૃપાવાળા હોય છે. પરંતુ મુનિઓ ક્રોધને વશવર્તી હોતા નથી. ત્યારે મુનિ કહે છે - · - • સૂત્ર ૩૯૧ મારા મનમાં કોઈ દ્વેષ પહેલાં ન હતો, અત્યારે નથી આગળ પણ નહીં હોય. યક્ષો વૈયાવચ્ચ કરે છે, તેમણે જ કુમારોને હણ્યા છે. • વિવેચન ૩૯૧ પૂર્વે - પહેલા, આ કાળે, ભવિષ્ય કાળમાં મનમાં કોઈપણ પ્રદ્વેષ મને હતો નહીં, છે નહીં અને થશે નહીં. અહીં ભાવિ માટે પ્રમાણનો અભાવ છે છતાં જે અનાગતકાળ સંબંધી વચન કહ્યું, તેનો નિષેધ કરીને શ્રુતજ્ઞાનના બળથી ત્રણ કાળના પરિજ્ઞાન સંભવથી આ પ્રમાણે કહેલ છે. - x - x - - · - યક્ષ - દેવ વિશેષ, જેઓએ વૈયાવચ્યાર્થે પ્રત્યેનીકોને પ્રતિઘાત રૂપે કરેલ છે. તેથી જ આ કુમારોને તાડિત કે નિહત કરેલાં છે. પણ મારા મનમાં તેવો કોઈ દ્વેષ નથી. તેથી તેમના ગુણોથી આકૃષ્ટ ચિત્તથી ઉપાધ્યાયાદિએ કહ્યું - - • સૂત્ર - ૩૯૨ ધર્મ અને અર્થને યથાર્થ રૂપે જાણનારા ભૂતિપ્રજ્ઞ આપે ક્રોધ કરેલ નથી. અમે બધાં મળીને આપના ચરણનું શરણ સ્વીકારીએ છીએ. • વિવેચન - ૩૯૨ - અર્થ - જ્ઞેયપણાથી આ બધી જ વસ્તુ, અહીં પ્રક્રમથી શુભાશુભ કર્મ વિભાગ કે રાગ-દ્વેષનો વિપાક પરિગ્રહણ કરાય છે. અથવા અર્થ - અભિધેય, તે અર્થથી શાસ્ત્રો જ, તેને. ચ શબ્દથી તેમાં રહેલ અનેક ભેદો સૂચવે છે. થર્મ - સદાચાર કે દશવિધ યતિ ધર્મને. વિશેષથી વિવિધરીતે જાણતા અને તમે ક્રોધ કરો જ નહીં. ભૂતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy