SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર તેઓ આવા પ્રકારે કેમ છે? કેમકે ઉગ્રતપસ્વી છે. મહેસિ - મહાન, બાકીના સ્વર્ગાદિની અપેક્ષાએ મોક્ષની અભિલાષા કરનારા. અથવા મહર્ષિ - ઘોર વ્રતી, ઘોર પરાક્રમી એમ હોવાથી અગ્નિમાં જેમ પતંગસેના આક્રમણ કરે છે, આ ઉપમા છે. જેમ પતંગની સેના મોટી હોય છે, તેની જેમ અગ્નિમાં પડતાં જલ્દીથી ઘાતને પામે છે. તમે જે ભિક્ષની અનુકંપા કરો છો, ભોજન સમયે તેમાં દીન આદિને અવશ્ય આપો છો, આ શિષ્ટ સિદ્ધાંતને ભૂલીને તમે આમને કંઈ આપવાને બદલે તાડન કરી રહ્યા છો. તેથી આ આસીવિષાદિ વિશેષણ યુક્તમુનિ, નખ વડે પર્વતને ખોદવા વગેરેની માફક આમને ભોજનકાળે પણ આ ભોજનાથને હણો છો. હવે વકૃત્ય માટે ઉપદેશ આપે છે. આ મુનિનો સ્વ રક્ષણાર્થે આસરો લો. - તેમની પાસે જાઓ. મસ્તક વડે પ્રણામ કરવા પૂર્વક આ જ અમારું શરણ છે, તેમ સ્વીકારો. કેવી રીતે ? બધાં મળીને. શા માટે ? જો તમે જીવવા ઇચ્છતા હો તો. જો તે કોપાયમાન થાય તો જીવિતવ્ય આદિના રક્ષણ માટે બીજું કઈ સમર્થ નથી. એવું કેમ કહો છો ? તે ક્રુદ્ધ થશે તો બધું બાળીને ખાખ કરી દેશે. • x- - x હવે તેનો પતિ છાત્રોને તેવા જોઈને શું કરે છે ? તે કહે છે - • સૂત્ર - ૩૮૮, ૩૮૯ - મુનિને તાડન કરનારા છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભુજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી. આ પ્રમાણે છાત્રોને કાઇની જેમ નિશ્ચષ્ટ જોઈને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્ની સાથે લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યા - અંતે ! અમે તમારી જે નિંદા અને હેલણ કરી તેની ક્ષમા કરો. • વિવેચન - ૩૮૮, ૩૮૯ - અધોબાધિત કરાયેલા અર્થાત નીચે નમી ગયેલા, અવકોટિત - નીચેની તરફ વાળી નંખાયેલા, પૃષ્ઠ અભિમુખ કરાયેલા મસ્તકવાળા, - X- X- પ્રસારિત - ફેલાયેલી ભુજા જેમની છે તેવા, તેનાથી તે ચકર્મચેષ્ટા અર્થાત્ અવિધમાન - કર્મ હેતુથી વ્યાપારપણાથી રહિત થયેલા. અથવા કરાય તે કર્મો, અગ્નિમાં સમિધ પ્રક્ષેપણાદિ, તે વિષયક ચેષ્ટા તે કર્મચેષ્ટા અહીં ગ્રહણ કરાય છે. આંખો ફાટી ગયેલ, તે પ્રસારિત લોચનો જેમના છે તે. વળી લોહીના કોગળા કરતા, જેમના મુખ ઉર્ધ્વ તરફ થઈ ગયો છે, તેને કારણે જિલ્લા બહાર લબડી રહી છે તેવા - x x-. ઉક્ત રૂપે પોતાના છાત્રોને જોઈને. કેવા ? અત્યંત નિશ્ચેષ્ટપણાથી લાકડા જેવા થઈ ગયેલા, વિમનસ્ક થઈ ગયેલા, વિષાદને પામેલા - કઈ રીતે આ છાત્રો સારાસાજા થશે, તેવી ચિંતા વડે વ્યાકુળ. એવા દર્શન પછી સોમદેવ નામે બ્રાહ્મણ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy