________________
૯ ૪
ઉત્તરાધ્યયન મૂલભૂગ-સટીક અનુવાદ/૧ સ્તંભો ઇત્યાદિ યુક્ત વસતિ મળે. બીજાને જીર્ણ વિશીર્ણ, ભગ્ન, કટક, હુંકા આદિથી સંવૃત્ત દ્વારોમાં તૃણ, કચરો, તુષ, ઉંદર, ઉકરડો, ધૂળ, રાખ, મૂત્ર, મળ આદિથી સંકીર્ણ, શ્વાન, નોળીયા, બિલાડાના મૂત્રાદિની દુર્ગન્ધયુક્ત વસતિ પ્રાપ્ત થાય. મને આવી કે તેવી શય્યા મળવાથી શો હર્ષ કે વિષાદ કરવાનો હોય ? મારે તો ધર્મના નિર્વાહ માટે વિવિક્તત્વ જ આશ્રયની અન્વેષણા કરવાની હોય. બીજાથી શું? આવા પ્રકારે કલ્યાણ કે પાપક આશ્રયમાં સુખ કે દુઃખને સહન કરે. પ્રતિમા કલ્પને આશ્રીને એક રાત્રિ અને સ્થવિરકલ્પને આશ્રીને કેટલીક રાત્રિએ - અહોરાત્ર જાણવા.
અહીં નિર્વેદ દ્વાર છે. અહીં “અદ્વાવ” એ સૂત્ર અવયવ અર્થથી સ્પર્શનું ઉદાહરણ નિર્યુક્તિકાર કહે છે -
• નિક્તિ - ૧૦૮, ૧૦૯ + વિવેચન - આ બંને નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર વૃદ્ધસંપ્રદાયથી કહે છે -
કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ હતો. તેને બે પુત્રો હતા. - સોમદત્ત અને સોમદેવ. તે બંને કામભોગથી નિર્વિર્ણ થઈને પ્રવજિત થયા. સોમભૂત અણગારના શિષ્ય થયા. બંને બહુશ્રુત અને બહુઆગમ થયા. તે બંને કોઈ દિવસે સંજ્ઞાતપલ્લીમાં આવ્યા. તેમના માતા-પિતા ઉજજેનીમાં ગયા. તે દેશમાં બ્રાહ્મણો વિકટ પાણી પીતા હતા. તેઓએ તેમાં અન્ય દ્રવ્ય મેળવીને બંનેને આપ્યું. કેટલાક કહે છે - વિકટ જ અજાણતાં આપ્યું. તે બંનેએ પણ તેને વિશેષથી ન જાણતાં પીધું. પછી પીડાવા લાગ્યા. તે બંનેને થયું કે આપણે ખોટું કર્યું. આ પ્રમાદ છે. આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરવું જ શ્રેષ્ઠ છે. તે બંનેએ એક નદીના કાંઠે, તેના કાષ્ઠની ઉપર પાદપોપગત અનશને રહ્યા.
ત્યાં અકાળે વર્ષા થઈ, પૂર આવ્યું. જળ વડે વહન કરાતા સમુદ્રમાં લઈ જવાયા. તે બંને તેને સમ્યફતયા સહન કર્યું. આયુષ્ય હતું તે પાળીને શય્યા પરીષહ સહન કર્યો. આ પ્રમાણે સમ કે વિષમ શય્યાને સહન કરવી.
શસ્યામાં રહેલ ને તે ઉપદ્રવ પરત્વે ઉદાસીન રહેવા છતાં તે શય્યાતર કે બીજા દ્વારા ક્યારેક આક્રોશ પરીષહ સહન કરવો પડે, તે કહે છે.
૦ સુત્ર - ૨૩, ૨૪
જો કોઈ સાધને કોશ રે, તો તે તેમના પ્રત્યે ક્રોધ ન કરે. કોળી, જ્ઞાની સદેશ હોય છે. તેથી સાધુએ તેમાં સંજ્વલિત ન થવું. દારુણ ગ્રામકંટક જેવી ખુંચતી કઠોર ભાષા સાંભળી, સાધુ મૌન રહે, ઉપેક્ષા કરે, પણ તેને મનમાં ન લાવે (ન ગણકારે.)
• વિવેચન - ૩, ૪
આક્રોશ – તિરસ્કાર કરે, કોણ ? ધર્મની અપેક્ષાએ ધર્મબાહા કે આત્મવ્યતિરિક્ત. કોને ? સાધુને. જેમકે - હે મુંડ ! તને ધિક્કાર છે. તે અહીં કેમ આવેલો છે ? તે વચનથી વિપરીત ભાવ ન પામે કે સામો આક્રોશ કરીને સળગે નહીં. તેની નિર્વતના અર્થે દેહ દાહ લૌહિત્ય પ્રતિ આક્રોશના અભિવાતાદિ વડે અગ્નિવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org