SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કર ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ શીત, ઉષ્ણ, દંશમશક. ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને જલ્લ (મેલ) આ ૧૧ વેદનીય કર્મના ઉદયથી પરીષહો થાય છે. • નિયુક્તિ ૭૯ + વિવેચન - પરીષહોની સંખ્યા ૨૨ છે. બાદર સં૫રાય નામના ગુણસ્થાન સુધી બધાં પરીષહો સંભવે છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચૌદ પરીષહો સંભવે છે. સાત ચારિત્રમોહનીય પ્રતિબદ્ધ અને દર્શન મોહનીય પ્રતિબદ્ધ એક એ આઠનો ત્યાં અસંભવ છે. છદ્મસ્થવીતરાગ નામના ગુણસ્થાને ઉક્તરૂપ ચૌદ પરીષહો જ સંભવે છે. કેવલીને સુધા આદિ વેદનીય પ્રતિબદ્ધ ૧૧ પરીષહો સંભવે છે. • નિયુક્તિ - ૮૦ + વિવેચન . w B એષ્યો - તે એષણા - એષણા શુદ્ધ, અનેષણીય · તેનાથી વિપરીત તેવા ભોજનનું અનુપાદાન - ગ્રહણ ન કરવું, કદાચ ગ્રહણ થાય તો પણ ભોજન ન કરવું, નૈગમ, સંગ્રહ, વ્યવહારનયોના મતે અધ્યાસના - સહન કરવું, તેમ જાણવું. સ્થૂળદર્શી - ભુખ વગેરેને સહેવું તે અન્નાદિના પરિહારરૂપ જ ઇચ્છે છે. શબ્દાદિ ત્રણ નયો અને ઋજુ સૂત્રના મતે પ્રાસુક અન્નાદિ, તે કલ્પને ગ્રહણ કરતો ખાવા છતાં પણ અધ્યાસિત કરે છે, તેમ જાણવું. તે જ ભાવપ્રધાનતાથી ભાવ અધ્યાસના જ માને છે. તે માત્ર ન ખાનારને નથી, પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિથી સમતાવસ્થિતને પ્રાસુક અને એષણીય આહાર વડે ધર્મધૂરાના વહન માટે ભોજન કરનારને પણ અધ્યાસના છે. હવે નયદ્વાર કહે છે • નિયુક્તિ - ૮૧ + વિવેચન પર્વતના ઝરણાનું જળ પામીને સુધા આદિ પરીષહો ઉત્પન્ન થાય છે, તેને નૈગમ નય પરીષહ કહે છે. જો તે ક્ષુધાદિ ઉત્પાદક વસ્તુ ન હોત તો ક્ષુધા આદિ જ ન થાય. તેના અભાવે શું કોણ સહન કરશે, તેથી પરીષહનો અનુભવ જ થાય. તેથી તેના ભાવ ભાવિત્વથી પરીષહમાં તે પ્રધાન હોવાથી જ પરીષહ છે. -x-x - બધાં ભેદોને કહેવા શક્ય નથી, તેથી કેટલાંક જ ભેદ કહે છે. તેમ બાકીના નયોમાં યથોક્ત શંકામાં કહેવું. વેદના - સુધાદિ જનિત અસાતા વેદના, તેનાથી ઉત્પાદક પરીષહ. -x-xવેદના - ક્ષુધાદિ અનુભવરૂપ છે. તેને આશ્રીને જીવમાં પરીષહ થાય તેમ ઋજુસૂત્રનય પણ માને છે. ઇત્યાદિ -x-x- તે જીવનો ધર્મ હોવાથી જીવમાં કહ્યો, અજીવમાં વેદના ન હોય, તેથી જીવમાં પરીષહ કહે છે. (નયના જ્ઞાન વિના આ વ્યાખ્યાઓ સમજવી કઠીન છે, માટે લખતા નથી) હવે વર્તના દ્વાર કહે છે • નિયુક્તિ - ૮૨ + વિવેચન - Jain Education International ઉત્કૃષ્ટ પદે વિચારતા ૨૦ પરીષહો પ્રાણીને વર્તે છે. જધન્યપદને આશ્રીને એક પરીષહ છે, પણ ઉત્કૃષ્ટ પદે ૨૨ - એક સાથે ન વર્તે, તે કહે છે - શીત અને ઉષ્ણ, ચર્યા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy