________________
ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ/૧ શોભે તે ધીર, પરીષહાદિથી ક્ષોભિત ન થનાર, એવો શિષ્ય, જ્યારે ગુરુ આદેશ કરે ત્યારે અવશ્ય ઉભો થઈને ત્યાં જાય. અને ગુરુના આદેશનો સ્વીકાર કરે.
ફરી પ્રતિરૂપ વિનયને જ કહે છે - • સુત્ર - ૨૨
આસન કે શય્યા ઉપર બેસીને ગરને કોઈ વાત ન પૂછે, પણ તેમની સમીપે આવીને ઉભુટુક આસને બેસીને, હાથ જોડીને પૂછે.
• વિવેચન - ૨૨
આસને બેસીને સૂત્રાદિ ન પૂછે, સંથારામાં રહીને પણ ન પૂછે. તે અવસ્થામાં પૂછતાં દોષ લાગે. બહુશ્રુત હોય અને સંશય થાય તો પણ ન પૂછે. પૂછતી વેળા અવા ન કરે. ૪- તો શું કરે ? ગુરની પાસે આવીને ઉત્કટુક આસને બેસીને કારણે આસને રહીને સૂવાદિ પૂછે. પ્રીતિપૂર્વક, બે હાથ જોડીને - અંજલિ જોડીને પૂછે. ગુરુ તેને શું કરે તે કહે છે -
• સૂત્ર - ૨૩
એ પ્રમાણે વિનયયુક્ત શિષ્ય વડે પૂછાતા, ગુરુ સૂત્ર • અર્થ અને તદુભાય, તે બંનેનું યથાશુત નિરૂપણ કરે.
• વિવેચન - ૨૩
ઉક્ત પ્રકારે વિનયયુક્ત, સૂત્ર - કાલિક ઉત્કાલિકાદિ, અર્થ - તેનો જ અર્થ, તદુભય - સૂત્ર અર્થ બંનેની જિજ્ઞાસા કરતાં, સ્વયં દીક્ષિત કે ઉપસંપદા પ્રાપ્ત શિષ્યને વિવિધ વ્યાતિથી બધું પ્રગટ કરે. જે પ્રકારે ગુરુ પાસેથી સાંભળે, તેમજ કહે. પણ સ્વબુદ્ધિથી ઉદ્વેક્ષા ન કરે. આના વડે આગમ અભિહિત ચાર પ્રકારના આચાર્ય વિનય અંતર્ગત પ્રતિપત્તિ કહી. શ્રુત વિનયનો નિર્દેશ કર્યો x-x-x
હવે શિષ્યનો વચનવિનય કહે છે - • સુત્ર - ૨૪.
ભિક્ષ અસત્યનો પરિહાર કરે, ન ચયાત્મક ભાષા ન બોલે, ભાષાદોષનો પરિહાર કરે અને સદા માયાનું વર્જન કરે.
• વિવેચન - ર૪
સૃષ - અસત્ય, ભૂતનિહવાદિ, સર્વપ્રકારે ત્યજે. અવધારણા રૂપ ભાષા કદી ન બોલે. બાકીના પણ વાણીના દૂષણો - સાવધ અનુમોદના આદિનો ત્યાગ કરે. માયા શબ્દથી ક્રોધાદિ, તેના હેતુને સર્વકાળ વર્ષે
• સૂત્ર - ર૫
કોઈ પૂછે તો પણ પોતાના માટે, બીજાના માટે કે બંનેને માટે સાવધ ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભેદક વચન ન કહે.
• વિવેચન - ૨૫ સાવધ- સપાપ, નિરર્થ- અર્થ રહિત, જેમકે- આ વંધ્યાપુત્ર જાય છે, ઇત્યાદિ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org