________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
• સૂત્ર-૬
પોતાના હિતને ઇચ્છતો ભિક્ષ સડેલ કાનવાળી કુતરી અને વિષ્ઠાભોજી સુવર સમાન દુઃશીલથી થનારી મનુષ્યની હીન સ્થિતિને સમજીને પોતાને વિનયમાં સ્થાપિત કરે છે.
• વિવેચન-૬
.
દર્શનમાં અશોભન એવા ભાવ - બધેથી કાઢી મૂકવા રૂપ લક્ષણ સાંભળીને, પૂર્વોક્ત કુતરી તથા ભુંડની ઉપમાવત્ મનુષ્યના અશોભનરૂપને સાંભળીને આત્માને હવે કહેવાનાર વિનય રૂપમાં સ્થાપે. કોણ ? આત્માના આલોક અને પરલોકરૂપ પથ્ય-હિતને ઇચ્છનાર. -x
જો એમ હોય તો તે સાધુ (શિષ્ય) શું કરે ?
·
४८
♦ સૂત્ર
એ કારણે વિનય કરવો જોઈએ, જેનાથી શીલની પ્રાપ્તિ થાય. બુદ્ધપુત્ર છે, મોક્ષાર્થી છે. તે ક્યાંયથી પણ કાઢી મૂકાતો નથી.
• વિવેચન-2
જે કારણે વિનય દોષના દર્શનથી આત્મા સ્થાપવો જોઈએ, તે કારણે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે આત્માને વિનયમાં સ્થાપવો જોઈએ. આ વિનયનું ફળ શું છે? જે કારણે અહીં આત્માનું અવસ્થાપન ઉદ્દેશેલ છે, તે આશંકાને માટે કહે છે - વિનયથી ઉક્તરૂપ શીલની પ્રાપ્તિ થાય છે. આના વડે વિનયનું શીલપ્રાપ્તિ ફળ કહ્યું. તેનું પણ ફળ કહે છે - તત્ત્વને પામેલા તીર્થંકરાદિ વડે કહેવાયેલ અને તેના નિજક જ્ઞાનાદિ, તેને જ બુદ્ધો વડે આત્મીયત્વથી તત્ત્વપણે કહેલ હોવાથી તે બુદ્ધોક્તનિજક છે, તેને પામવાની ઇચ્છાવાળા પુત્ર સમાન શિષ્યો તે બુદ્ધપુત્ર અને જેમાં નિરંતર પૂજા છે તે આ નિયાગ - મોક્ષ. તેના અર્થીને ગચ્છ કે ગણાદિથી બહાર કરાતા નથી. પણ બધાં ગુણના આધારરૂપ વિનિતપણાથી બધે જ મુખ્ય કરાય છે.
આ વિનય કઈ રીતે પામવો તે કહે છે -
-
• સૂત્ર
શિષ્ય ગુરુજનોની પાસે સદા પ્રશાંત ભાવથી રહે, વાચાળ ન બને અર્થપૂર્ણ પદોને શીખે, નિરર્થક વાતોને છોડી દે.
૦ વિવેચન-૮
અતિશય ઉપશમવાળા, ક્રોધના પરિહાર વડે અંતરથી અને પ્રશાંત આકાર પણે બહારથી શાંત તેવા નિશાંત થાય. વાચાળ ન બનીને આચાર્ય આદિ સમીપે રહે. હેય, ઉપાદેય, ઉભય રૂપ અર્થને જાણે અર્થાત્ આવા આગમ વચનોને જાણે અથવા મુમુક્ષુ વડે પ્રાર્થના કરતા અર્થ - મોક્ષ, તેના વડે યુક્ત - ઉપાયપણાથી સંગત અર્થ એવા યતિજન ઉચિત અર્થને વિપરીત એવા નિરર્થક કે વૈશ્વિક વાત્સ્યાયનાદિ સી કથા વગેરેનો પરિહાર કરે. અહીં નિશાંત, આ શબ્દ વડે પ્રશમાદિને આશ્રીને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org