________________
પ્રમાણે જે અલગ વાક્યરચના છે તે કેટલાંકના મતથી કાળના અસત્વને જણાવવા માટે છે. ૪-૪૦- મિશ્રના વિષયત્વથી મિશ્ર સંબંધન સંયોગ જાણવો. તે આત્મ અને બાહ્ય લક્ષણથી તદુભયમાં ઉક્તરૂપ જ થાય છે. જેમકે ક્રોધી, દેવદત્ત, કૌધી કૌતિક, માની સૌરાષ્ટ્ર અહીં ક્રોધાદિ વડે ઔદયિક ભાવ અંતર્ગતત્વથી આત્મરૂપથી નામાદિ વડે આત્માના અન્યત્વથી બાહ્યરૂપથી સંયોગ. તે ઉભય સંબંધ સંયોગ છે. ૪-૪-૪ હવે બીજા પ્રકારે બાહ્ય સંબંધન સંયોગ કહે છે -
• નિર્યુક્તિ - પ૭ + વિવેચન -
આચાર્ય, શિષ્ય, પુત્ર, પિતા, માતા, પુત્રી, પત્ની, પતિ, શીત-ઉષ્ણ, તમસુ, ઉધોત અને છાયા (એ બાહ્ય સંબંધ સંયોગ છે.)
આચાર્ય – અભિવ્યાતિ કે મર્યાદાથી સ્વયં પંચવિધ આચારને પાળે છે કે બીજા પાસે પળાવે છે કે મુક્તિના અર્થી દ્વારા સેવાય છે તે આચાર્ય. શિષ્ય - શાસિત કરવો શક્ય હોય તે. પુત્ર - પિતાના આચારને અનુવર્તીપણે પોતાને પુનિત કરે છે. પિતા - સંતાનોનું રક્ષણ કરે છે. જનની - સંતાનને જન્મ આપે છે. આ બધાં બાહ્ય સંબંધન સંયોગ વિષયત્વથી બાહ્ય છે તેમ પૂર્વાચાર્યો કહે છે. આ વાક્ય બધે જ જોડવું.
દુહિતા - પુત્રી, માતાને કેવળ દુધને માટે દોહે છે તે. ભાચ – ભર્યા જેનું પોષણ કરે છે તે, પત્ની, પતિ-પત્નીનું રક્ષણ કરે છે. શીત- ઠંડી, ઉષણ - પ્રાણીને જે બાળે છે તે. છાયા - આતપને છીનવે છે તે. આતા - ચોતરફથી જગતને સંતાપે છે તે. ચ શબ્દ રામ, નોકર આદિ બાકીના સંબંધીના સમુચ્ચયને માટે છે.
નૈક્ત વિધિથી આ લક્ષણો કહ્યા.
હવે રહસ્ય કહે છે - આચાર્ય, શિષ્યથી અન્યત્વને લીધે બાહ્ય છે, તેથી જે તેના વડે શિષ્યનો સંયોગ - શિષ્ય એમ કહેતા અવશ્ય આચાર્યને આક્ષેપ કરે છે. એ રીતે આક્ષેપ્ય આક્ષેપક ભાવ લક્ષણ છે તે બાહ્યથી છે, એમ કરીને બાહ્ય સંબંધન સંયોગ છે તેથી તે વિષયમાં આચાર્યપણ ઉપચારથી તે પ્રમાણે કહેવાય છે, શિષ્યપણ આચાર્યથી અન્યત્વને લીધે બાહ્ય છે. ૪-૪- એ પ્રમાણે પુત્ર-પિતા આદિમાં પણ કહેવું. બધે સામાન્યથી પરસ્પર આક્ષેપ્ય - આક્ષેપક ભાવ છે. વિશેષ નિરૂપણામાં ઉપકાર્ય - ઉપકારક ભાવ, જન્મય - જનકભાવ, વિરોધ સંબંધ તે-તે સંબંધોમાં જાણવો.
હવે આચાર્ય-શિષ્ય મૂલત્વથી તેમનો અનુયોગ કહે છે - • નિર્યુક્તિ - ૫૮ + વિવેચન -
આચાર્યને આચાર્ય જ અન્ય સદેશ થાય છે, અનાચાર્ય થતો નથી. કેમકે બીજે આચાર્યના ગુણો અવિધમાન છે. આચાર્ય સિવાય બીજે છત્રીશ ગુણ યુક્તતા નથી. તેનાથી યુક્ત હોય તો તે બીજા પણ તત્વથી આચાર્ય જ છે. આ ૩૬ ગુણો કયા છે? પ્રત્યેક ચાર પ્રકારે - આઠગણિ સંપદા છે, તેથી બત્રીશ ગુણ, તેમાં આચારાદિ ચાર વિનયને ઉમેરતા - છત્રીશ ગુણો થાય છે. તે આઠગણિ સંપદા આ પ્રમાણે છે :
(૧) આચાર સંપત, (૨) શ્રુત સંપત, (૩) શરીર સંપત, (૪) વચન સંપત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org