SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ત્રણ ભેદો છે, અર્થથી તીર્થકર, ગણધર અને તેમના અંતેવાસીને, સૂત્રથી સ્થવિર, તેમના શિષ્ય અને પ્રશિષ્યની અપેક્ષાથી યથાક્રમે આનો આત્મા, અનંતર, પરંપર આગમમાં અવતાર છે. સંખ્યા પ્રમાણ અનુયોગ દ્વારાદિમાં વિસ્તારથી કહેલ છે, ત્યાંથી જ અવધારવું. તેમાં આના પરિણામસંખ્યામાં અવતાર છે. તેમાં પણ કાલિક-શ્રુત-દૈષ્ટિવાદ શ્રુત પરિણામ ભેદથી બે પ્રકારોમાં કાલિકશ્રુત પરિમાણ-સંખ્યા, દિવસ કે ત્રિમાં, પહેલી અને છેલ્લી પોરિસિમાં આ પાઠ નિયમથી છે. તેમાં પણ શબ્દની અપેક્ષાથી સંખ્યય અક્ષર, પાદ, શ્લોકાદિ રૂપથી સંખ્યાત પરિણામ રૂપ, પર્યાય અપેક્ષાથી અનંત પરિમાણ રૂપ છે કેમકે આગમના અનંતગમ પર્યાયત્વથી છે. વક્તવ્યતા - પદાર્થવિચાર, તે સ્વ-પર-ઉભય સિદ્ધાંતથી ત્રણ ભેદે છે. તેમાં સ્વસમય • અહંન્મતાનુસારી શાસ્ત્રરૂપ છે. પરસમયકપિલાદિ અભિપ્રાયાનુવર્તી ગ્રન્થ સ્વરૂપ છે, ઉભયસમય - ઉભયમત અનુગત શાસ્ત્ર સ્વભાવ છે. તેમાં આનો સ્વસમય વક્તવ્યતામાં અવતાર થાય છે, કેમકે અહીં સ્વસમય પદાર્થોનું જ વર્ણન છે. x x-. અધિકાર - “અહીં વિનયથી અધિકાર છે.” તે કહેલ છે. તથા સમવતાર યથાસંભવ કહેલ છે. તેથી ફરી કહેતા નથી. - x-. નિક્ષેપ ત્રણ ભેદે છે - ઓધનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂકાલાપક નિષ્પન્ન. - x x - ઓધ - અધ્યયનાદિના સામાન્ય નામ. ઓધ એટલે સામાન્ય શ્રુતાભિધાન, તે ચાર ભેદે છે - અધ્યયન, અક્ષીણ, આય અને ક્ષપણા. નામાદિ ચાર ભેદ ઋતાનુસાર વર્ણવીને ભાવોમાં ચારેમાં ક્રમથી વિનયશ્રુતને યોજવું. જેના વડે શુભ આત્મા બોધ, સંયમ કે મોક્ષનું અધ્યયન, અધ્યાત્મને લાવવું કે અધિક લઈ જવું પામે તે અધ્યયન. ઇત્યાદિ ચારે ગાથા પ્રગટાર્થ જ છે. વિશેષ એ કે- જે હેતુ વડે શુભ આત્મ અધ્યયન અર્થાત શુભ - પુન્યનું આત્મામાં અધિક્તાથી લઈ જવું તો તેમાં શુભ • સંકલેશ વિરહિત, અધ્યાત્મ-મન, તેમાં આત્માના અર્થને લઈ જવો. - *- અધિક નયન એટલે પ્રકર્ષવત પ્રાપ્ત કરવું. કોને? બોધને અર્થાત્ તત્ત્વને જાણવાને કે પૃથ્વી આદિ સંરક્ષણરૂપ સંયમને કે સંચિત કરેલા કર્મોના ક્ષયરૂપ મોક્ષને. તે કારણે પ્રાશ્વત અધ્યયન કહેવાય છે. અવ્યવચ્છિત્તિ નયને આશ્રીને અથતિ દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી, અલોક - અલોકાકારાવતુ. નામનિષ્પન્ન નિક્ષેપોમાં વિનયશ્રત એ દ્વિપદ નામ છે. તેથી વિનયનો અને શ્રતનો નિક્ષેપ અહીં અવશ્ય કહેવો. તેમાં વિનયનો નિક્ષેપ બહ વકતવ્યતા હોવાથી તેનો અતિદેશ કરવો અને કૃતનિક્ષેપો તે પ્રમાણે ન હોવાથી, તેને જણાવવા કહે છે - • નિર્યુક્તિ - ૨૯-વિવેચન વિનીયતે - જેના વડે કર્મો દૂર કરાય તે, વિનય. તે દશવૈકાલિકના વિનય સમાધિ નામ અધ્યયનમાં કહેલ છે. સ્થાન શૂન્યાર્થે તેમાંથી કંઈક કહે છે - વિનયનો અને શ્રુતનો નિક્ષેપ બંને ચાર ભેદ હોય છે. દ્રવ્ય વિનયમાં નેતર, સુવર્ણ આદિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy