________________
૧૨૪
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ પ્રધાન બધી કળા તેણે ગ્રહણ કરી. જ્યારે તે આચાર્ય પાસે કલા ગ્રહણ કરતા હતા,
ત્યારે સહજાત દાસચેટો ઝઘડતા, વ્યાકુળતા ઉત્પન્ન કરતા ઇત્યાદિ કારણે તેઓ ન ભણ્યા, ન કળા શીખ્યા.
બીજા બાવીશ કુમારે જ્યારે કળા શીખતા હતા ત્યારે આચાર્યને ફટકારતા અને અવચનો કહેતા હતા. જ્યારે તે આચાર્ય તે બધાંને શિક્ષા કરતા, ત્યારે તે કુમારો જઈને માતાની પાસે ફરીયાદ કરતા હતા. ત્યારે તે માતાઓ આચાર્યને ખીજાતી કે કેમ મારો છો ? શું પુત્રજન્મ સુલભ છે ? એ કારણે તે બાવીશે પણ કળા ન શીખ્યા.
આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેની પુત્રી નિવૃતિ નામે કન્યા હતી. તેણીને શણગારીને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું- તને જે રચે તે તારો પતિ. ત્યારે તેણીએ કહ્યું કે જે - શૂર, વીર, વીક્રાંત હોય તે જ મારો પતિ થાય. રાજા વળી તેને રાજ્ય આપશે.
ત્યારપછી તે રાજકન્યા લશ્કર અને વાહન લઈને ઇંદ્રપુર નગર ગઈ. તે ઇંદ્રદત રાજાને ઘણાં પુત્રો હતા. ઇંદ્રદતે ખુશ થઈને વિચાર્યુ - નક્કી બીજા રાજા કરતાં તેઓ લખતર છે. તેણે નગરને પતાકાદિથી શણગાર્યું. ત્યાં એક અક્ષમાં આઠ ચક્રો, તેની આગળ શાલભંજિકા - પુતળી રાખી. તે પુતળીની આંખને વિંધવાની હતી.
ત્યારપછી ઇન્દ્રદત રાજા સન્નઈ થઈને પુત્રોની સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વાલંકાર વિભૂષિતા થઈ એક પડખે ઉભી રહી. તે સજાના દંડભટભોજિકા અને રંગમંચ દ્રૌપદીના રંગમંચાદિ જેવો હતો. તેમાં રાજાનો મોટો પુત્ર શ્રીમાલીકુમાર હતો. તેને કહ્યું - હે પુત્ર ! આ કન્યા અને રાજ્યને ગ્રહણ કરવાનું છે, તેથી આ પુતળીને વિંધ. ત્યારે તે કંઈ કળા ન જાણતો હોવાથી સમૂહ મધ્યે ધનુષ્ય પણ ગ્રહણ ન કરી
શક્યો.
કોઈએ જેમ તેમ કરીને ધનુષ્ય ગ્રહણ કર્યું, જેમ ફાવે તેમ બાણ છોડ્યું. તે ચક્રમાં ભટકાઈને ભાંગી ગયું. એ રીતે કોઈ એક આરાને પાર કરી શક્યું, કોઈ બે આરાને પાર કરી શક્યા. કોઈના બાણ બહાર જ નીકળી ગયા. ત્યારે રાજા ખેદ કરવા લાગ્યો - અહો ! હું આ પુત્રોથી અપમાનને પામ્યો.
ત્યારે અમાત્યએ કહ્યું- શા માટે ખેદ કરો છો ? રાજા બોલ્યા- આ બધાં વડે હું અપ્રધાન - ગૌણ થઈ ગયો. અમાત્યએ કહ્યું- તમારે હજી એક પુત્ર છે, જે મારો દોહિત્ર છે, તેનું સરેન્દ્રદત્ત નામ છે, તે વીંધવા માટે સમર્થ છે. રાજાએ કહ્યું - તમે મને તેની ઓળખ કરાવો. તે ક્યાં છે? અમાત્યએ તેને દેખાડ્યો. રાજાએ તેની આજ્ઞા આપીને કહ્યું કે- તને આઠ રથ ચક્રોને ભેદીને, પુતળીની આંખ વિંધીને, રાજ્ય અને નિવૃતિ કન્યાને પત્નીરૂપે પ્રાપ્ત કરવી યોગ્ય છે.
ત્યારે તે કુમારે “જેવી આપની આજ્ઞા” એમ કહીને તે સ્થાને જઈને ધનુષ્ય ગ્રહણ કર્યું. ચારે દિશામાં રહીને દાસપુત્રો તેને વિન્ન કરે છે. બંને પડખે બીજા બે જણાં હાથમાં ખડ્ઝ લઈને ઉભા હતા. જો કોઈ રીતે લચથી ખલના પામે તો કુમારનું માથું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org