SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ સાધુની સમીપે ધર્મ સાંભળીને ભક્ત પ્રત્યાખ્યાન કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે તેણે “શરણ' એમ સમજીને તળાવના બગીચામાં યજ્ઞ પ્રવર્તાવ્યો. તે જ અશરણ થયો. આવા પ્રકારે અહીં સમવતાર છે એ પ્રમાણે અમે આપના શરણમાં આવ્યા. અહીં મનુષ્ય જાતિને બસના સ્મરણાર્થે આ ત્રણ ઉદાહરણ તિર્યમ્ જાતિના વિચારવા. આચાર્યએ તે પ્રમાણે જ તેના પણ આભરણો ગ્રહણ કર્યા અને જલ્દીથી જવાને માટે માર્ગ ઉપર ચાલ્યા. ત્યાં તેણે માર્ગમાં અલંકારોથી ઉદ્ભટ એવી સાધ્વીને જોઈને, આચાર્યએ તેણીને કહ્યું - • નિર્યુક્તિ - ૧૩૯ + વિવેચન - હે અંજિતાક્ષિ! તારે બે કટક છે, તારે બે કુંડલ છે, તેં તિલક પણ કરેલ છે, હે પ્રવચનની ઉદાહ કરનારી ! દુષ્ટ શિક્ષિતા ! તું અહીં ક્યાંથી આવેલ છે ? તે માગધિકાર્ય છે. દર્શન પરીક્ષાર્થે સાધ્વીની વિફર્વણા કરી, તેણી આ પ્રમાણે બોલી - • નર્યુક્તિ - ૧૦૪, ૧૪૧ + વિવેચન સરસવના દાણા સમાન બીજાના છિદ્રોને જુએ છે ! પણ પોતાના બિલ્વ ફળ જેટલાં મોટાં દોષોને જાણવા છતાં જોતાં નથી. - તથા - તમે શ્રમણ છે, સંયત છે, બહિવૃત્તિથી બ્રહાચારી અને ઢેફા તથા સુવર્ણ સમવૃત્તિક છો. પણ તમારા પાત્રમાં શું છે? એ પ્રમાણે તેણી વડે આચાર્યની નિર્ભર્સના કરાઈ, તેમ છતાં આગળ જાય છે. માર્ગમાં લશ્કરને આવતું જોયું. દંડિક ત્યાં ગયો, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને વંદના કરી. ભગવન! પરમ મંગલ છે, કે મારા વડે સાધુનું દર્શન થયું. મારા ઉપર અનુગ્રહ કરો. • પ્રાસુક અને એષણીય મોદક આદિને ગ્રહણ કરો. આચાર્ય તે લેવા ઇચ્છતા ન હતા, ક્યાંક પાત્રમાં રહેલ આભરણો ન જોઈ જાય. તે દંડિકે પાત્ર છીનવીને લઈ લીધું. લાડવા મૂકવા ગયા, ત્યાં આભરણો જોયાં, તેના વડે આચાર્યનો તિરસ્કાર કરયો. ફરી પણ તેણે આચાર્યને સંબોધિત કર્યો કે આપને વિપરિણામિત થવું યોગ્ય નથી. ઇત્યાદિ - x - x -. તે પછી દિવ્ય દેવરૂપ કરીને ગયો. આચાર્યએ પહેલાં દર્શન પરીષહ સહન ન કરેલો, પછી કર્યો. એમ બધાં સાધુએ દર્શન પરીષહ સહન કરવો. • - • x• x- સુધા આદિથી અત્યંત પીડિતને જ પરીષહ ન કરવાનું કહ્યું. તે મંદસત્તને કંઈક અશ્રદ્ધાનાથી સમ્યકત્વથી વિચલિતપણું પણ સંભવે છે, તેને દેઢિકરણ કરવા દષ્ટાંતનું અર્થથી અભિધાન સૂત્ર • સ્પર્શક છે, તે વ્યક્ત જ છે. • x-x- હવે ઉપસંહાર કહે છે - - ૦ સુણ : ૫ ભગવત મહાવીરે એ બલાં પરીષહો પુરપેલ છે. તે જાણીને સાધુ ક્યાંય કોઈપણ પરીષહી પરાજિત ન થાય. • તેમ હું કહું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy