SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૪/૨૩પ્રા.નિ.૪ ૧૩૧ ૧૩૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ આનો ભાવાર્થ આ પ્રમાણે – આત્મસમુલ્ય હોય તે આભોગથી કઈ રીતે થાય ? સાધને સર્પ વડે ડસાતા કે વિષ ખાતા કે વિષ ફોટિકા ઉભી થાય, ત્યાં જે અયિત પૃથ્વીકાય, કોઈ વડે આણેલ હોય તે માંગે - ગવેષણા કરે. જો કોઈ ન લાવેલ હોય તો જાતે પણ લાવે. તેમાં પણ જો અયિત ન હોય તો મિશ્ર લાવે. છેલ્લે હળથી ખોલ કે ભીંત આદિથી લાવે. તે પણ ન મળે તો અટવીથી લાવે. માર્ગમાં રહેલ કે દવથી બાળેલ લાવે. તે પણ ન મળે તો સચિત માટી પણ લાવે. જદીમાં જો કાર્ય હોય તો જે મળે તે લાવે. આ પ્રમાણે લવણ પણ જાણવું. અનાભોગિક - તે લવણ માંગ્યા પછી અચિત એમ કરીને મિશ્ર કે સચિત લાવીને આવેલ હોય, પછી જાણે ત્યારે ત્યાં જ ત્યજી દે. ખંડમાં માંગેલ હોય આવો ખંડ-ગાંગળો લવણ આપો. તો પણ ત્યાં જ છોડી દે. ન આપેલ હોય તો જાતે જ ત્યજી દે. આ આત્મસમુત્ય બે પ્રકાર જાણવા. પસમુત્ય આભોગવી ચાવત સચિતદેશ માટી કે લવણનો કાર્યને માટે આપેલા ગવેષતા અનાભોગથી આપે, ત્યારે પૂછે કે- તમે ક્યાંથી લાવ્યા છો? જ્યારે કહે ત્યારે ત્યાં ત્યજી દે. જો ન કહે કે ન જાણે તો તેના ઉપલક્ષિતવ્ય વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી જાણે. તે ખાણમાં પરઠવે. ખાણ ન હોય તો માર્ગ કે વિકાસ વર્તતો હોય તો શુક મધુર કપુર ગવેછે. તે ન મળે તો વડ કે પીપળાનું પાન લઈ, તેમાં મૂકીને પરઠવે. અકાયમાં ગ્રહણ બે ભેદે – પોતાથી જાણેલ કે ન જાણેલ. એ રીતે બીજા વડે જાણેલ કે ન જાણેલ. એ રીતે બીજા વડે જાણેલ કે ન જાણેલ. પોતા વડે જાણતાં વિષકુંભ હંતવ્ય છે કે વિષસ્ફોટિકાસિંચેલ છે કે વિષ ખાધેલ છે કે મૂછવી પડેલ છે કે ગ્લાન છે. તો – ઉકત કાર્યોમાં પહેલાં અચિત, પછી મિશ્ર, હમણાં જ ધોયેલ ચોખાનું ધોવાણ આદિ આતુરના કાર્યમાં સચિત પણ હોય. કાર્ય પર થયા પછી બાકીનું ત્યાંજ પરઠવી દે. આપેલ ન હોય ત્યારે પૂછે કે ક્યાંથી લાવ્યા? જો કહી દે, તો ત્યાં જ ખાણમાં પરઠવી દે. જે ન કહેકે ન જાણતો હોય તો પછી વર્ણાદિથી ઓળખીને તેમાં પરઠવી દે. અનાભોગથી કોંકણમાં પાણી અને અસ્ત ભેગાં વેદિકામાં રહેલ હોય. અને ભૂલથી ગ્રહણ કરેલ હોય.]. ધે અવિરતિકા માર્ગણા કહે છે - તે ગ્રહણ કરે પછી, જ્યારે જાણે ત્યારે ત્યાંજ પરઠવી દે. ન આપેલ હોય તો ખાણમાં પરઠવી દે. જાણવા છતાં અનુકંપાવી આપે અને એમ કહે કે- “ભગવાન ! આ પાણીનો રસ નથી પણ સરોવરનું જળ છે અથવા પ્રત્યુનીકતા - શત્રુતાથી આપી દે કે ભલે, આનું વ્રત ભાંગે. જો આ વાત સાધુ જાણે તો ત્યાં જ તે જળ પરઠવી દેવું જોઈએ. જોન આપેલું લાવેલ હોય, તો તે સ્થાનને પૂછીને ત્યાં તે જળ લઈ જઈને પરઠવી દે. જે ન જાણી શકે તો વર્ણ આદિ વડે ઓળખે - પછી નદીનું પાણી નદીમાં પરઠણે,. એ રીતે તળાવનું પાણી તળાવમાં પરઠવે, વાવ-કૂવા-સરોવરદિનું સ્વ સ્વ સ્થાને પરવે. જો તળાવ સુકાયેલ હોય તો વડ કે પીપળાના પાનમાં લઈને ધીમેથી ત્યજી. દે, જેથી પ્રવાહ ન થાય. જો કોઈ ભાજન-વાસણ ન હોય તો કાનથી ચાવતુ નીચે સુધી પછી ધીમેથી પાણી ચોટે તેમ તજે. જો કૂવાનું પાણી હોય અને જો કૂવાનો વટ ભીનો હોય, તો તેમાં ધીમેથી પાણીને વહાવે. જો સુકો તટ હોય અને ભીનું સ્થાન ન હોય તો ભાજન-પાકને સિક્કા વડે બાંધે, મૂળમાં દોરડું બાંધે, પાણીને સીંચીને મૂળ દોરી ઉંચે ફેંકે, પછી પલોટે. કવો દુર ન હોય પણ ચોર કે શિકારીનો ભય હોય ત્યારે શીતલ મધર વૃક્ષની નીચે પાત્ર સહિત પરઠવી દે. જો પત્ર પણ ન હોય તો ભીના પૃથ્વીકાયને શોધીને તેના વડે પરઠવે. જો તે ન મળે તો શુકને ઉષ્ણ જળ વડે ભીનું કરીને પછી પરઠવે. જે વ્યાધાન ન હોય તો કઈમમાં ખાડો કરીને પુનાલિકા વડે ત્યાગ કરે અને શુદ્ધિ કરે છે. એ વિધિ છે. જો શત્રુતાથી અકાય મિશ્ર કરીને આપેલ હોય તો તેનો ત્યાગ કરે. જો સંયતે પૂર્વે ગ્રહણ કરેલ પાણીમાં અકાય અનાભોગથી આપેલ જો પરિણત હોય તો ભોગવે, જો ન પરિણમે તો જે કાળે અંડિલભૂમિ પ્રાપ્ત થાય ત્યારે ત્યાગ કરે. જો હરતતુક હોય તો થોડો કાળ રાહ જુએ પછી ત્યાગ કરે. વૈજકાય તે પ્રમાણે જ પ્રાપ્ત, આભોગથી, સંયત સ્વ અગ્નિકાયથી કાર્ય પડે ત્યારે - જેમકે - સર્પ ડંસથી કે ફોટિકાથી જો બળે છે, વાતગ્રંથિ કે અંગ્રવૃદ્ધિથી બળે. વસતિમાં પ્રવેશીને ઉદરના શૂળને તપાવવું જોઈએ. આવા કોઈ કારણથી જે કાર્ય માટે લાવેલ હોય તે પુરૂ થતાં તેમાં પરઠવી દે. જો ન આપેલ હોય તો તે જ કાષ્ઠ વડે જે અગ્નિ હોય, તેને તેની જાતિના કાઠમાં ત્યાં જ તેમાં પરઠવી દે. પણ કદાચ ન હોય તો અથવા કોઈએ ન આપેલ હોય તો તેમાંથી થયેલ રાખ વડે આચ્છાદિત કરે, પછી અન્ય જાતિયતી પણ કરે. દીવાથી તેલ ગાળી લે. મલ્લક સંપુટ કરે. પછી યથાયુક પાળે, ભક્તપત્યાખ્યાનાદિમાં મલક સંપુટ કરીને રહે, સંરક્ષણ કરે. કાર્ય પૂર્ણ થતાં તે પ્રમાણે જ વિવેક રાખે [ત્યાગ કર] અનાભોગથી ગ્લેમનું મલ્લક લોચ ક્ષારાદિમાં રાખે. તે પ્રમાણે જ બીજાના આભોગથી આપેલમાં કરે. વસતિમાં અગ્નિ કે જ્યોતિ કરે, તો તે રીતે જ વિવેક રાખે. અનાભોગથી પણ આ રીતે જ અંગારા આપે તો પૂર્વવત્ વિવેક રાખે. વાયુકાયમાં આત્મસમુત્ય આભોગથી, કઈ રીતે ? બસ્તિ કે કૃતિથી કાર્યમાં તે કદાચિત સચિત્ત કે અચિત કે મિશ્ર પણ હોય. કાળ બે પ્રકારે નિગ્ધ અને સૂક્ષ. નિષ્પ ગણ ભેદે - ઉત્કૃષ્ટ. મધ્યમ અને જઘન્ય. રૂક્ષ પણ ત્રણ ભેદે - ઉત્કૃષ્ટાદિ. ઉત્કૃષ્ટ શીતમાં જો બાળેલ હોય તો પહેલી પરષી સુધી અચિત, બીજીમાં મિશ્ર અને બીજીમાં સયિત થાય. મધ્યમ શીત હોય તો બીજીથી આરંભીને ચોથી સુધી સયિત થાય છે. મંદશીતમાં ત્રીજીથી પાંચમી પરપી સુધી સચિત્ત થાય છે. ઉણકાળમાં મંદfણમાં ઉત્કૃષ્ટથી દિવસથી પછી બે, ત્રણ, ચાર અને પાંચ.
SR No.009024
Book TitleAgam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy