SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૦૪/૨૨, ધ્યાનશતક-૧૦૫ ૧૬૩ ૧૬૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • સૂઝ-૨૨ - કાયિકી, અધિકરણિકી, પ્રાપ્લેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી એ પાંચ ક્રિયાઓનું હું પ્રતિક્રમણ કરું છું. • વિવેચન-૨૨ - હું પ્રતિકસું છું શું ?] પાંચ ક્રિયા વડે - પ્રવૃત્તિ રૂપથી જે અતિયાર થયા હોય. તે ક્રિયા કાયિકી આદિ પાંચ છે. (૧) કાયા વડે થતી તે કાયિકી તે ત્રણ પ્રકારે છે - અવિરતકાયિકી, દુપ્રણિહિત કાયિકી, ઉપરત કાયિકી. તેમાં મિથ્યાર્દષ્ટિને અને અવિરત સમ્યગ દષ્ટિને અવિરત કાયિકી ક્રિયા લાગે. બીજી દુપ્રણિહિત કાયિકી ક્રિયા પ્રમત્ત સંયતને હોય. તે પણ બે ભેદે છે – ઈન્દ્રિય દુપ્રણિહિત અને નોઈન્દ્રિય દુપ્રણિહિત. તેમાં શ્રોત્ર આદિ વડે ઈટાનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં જે કંઈક સંગ નિર્વેદ દ્વારથી અપવર્ગ માર્ગ પ્રતિ જે દુવ્યવસ્થિત કાચિકી તે ઈન્દ્રિય દુપ્રણિત છે અને મન વડે દુપ્રણિહિત શુભાશુભ સંકલ્પ દ્વારથી દુર્વ્યવસ્થિત તે નોઈન્દ્રિયદુપ્રણિહિત ક્રિયા છે. ત્રીજી જે અપમત સંયતને સાવધયોગથી નિવૃત થતાં જે લાગે તે ઉપરતકાયિકી. () અધિકરણિકી - જેના વડે આત્મા નકાદિમાં લઈ જવાય તે અધિકરણ - અનુષ્ઠાન કે બાહ્ય વસ્તુ, તેના વડે થાય તે અધિકરણિકી. તે બે ભેદે છે – પ્રવર્તિની અને નિવર્તિની. તેમાં પ્રવર્તિની તે ચકમહોત્સવ, પશુ બંધાદિ છે. નિવર્તિની તે ખડ્ઝ આદિથી છે. આ બંને તપાતિત્વથી તેનું અધિકરણિકીપણું કહ્યું. (3) પ્રાપ્લેષિકી - પ્રàષ એટલે મત્સર, તેનાથી નિવૃત તેને પ્રાપ્લેષિકી કહે છે. તે પણ બે ભેદે છે – જીવ પ્રાપ્લેષિકી, અજીવ પ્રાપ્લેષિકી. પહેલીમાં જીવ પ્રતિ હેપ થાય છે, બીજીમાં અજીવ પ્રતિ હેષ થાય છે. જેમકે પત્થરાદિમાં પડતાં, દ્વેષ થવો. (૪) પરિતાપન - તાડનાદિ દુ:ખવિશેષરૂપ, તેનાથી થતી ક્રિયા પારિતાપનિકી, તેના બે ભેદ - સ્વદેહ પારિતાપનિકી, પરદેહ પારિતાપનિકી. પહેલીમાં પોતાના દેહમાં પરિતાપન કરે છે, બીજીમાં પરદેહમાં પરિતાપન કરે છે. બીજો રોષાયમાન થઈને પણ સ્વદેહમાં કોઈક જડ પરિતાપન કરે. અથવા સ્વહસ્ત પરિતાપનિકી, પરહરૂપરિતાપનિકી. (૫) પ્રાણાતિપાત- હિંસા, તે સંબંધી ક્રિયા તે પ્રાણાતિપાતિકી. આ પણ સ્વ અને પર બે ભેદે છે. પહેલીમાં પોતાની હિંસા કરે છે. બીજીમાં પરની હિંસા કરે છે. તથા કોઈ નિર્વેદથી કે સ્વાદિ માટે પર્વત ઉપરથી પડવા આદિ વડે સ્વ હિંસા કરે છે. ક્રોધાદિ વશાત પર-હિંસા કરે છે. ક્રોધથી સેપિત થઈ હિંસા કરે. માનથી જાત્યાદિ વડે હીલના કરે. માયાથી વિશ્વાસ વડે અપકાર કરે. લોભથી કપાયવતું. મોહથી સંસાર મોચક યાણ કરે. એ રીતે પાંચ ક્રિયા કહી. ક્રિયાના અધિકારથી વીસ ક્રિયા બતાવે છે - (૧) આરંભિકી - બે ભેદે છે. જીવારંભિકી, અજીવારંભિકી. તેમાં જે જીવોનો આરંભ-હિંસા કરે, તે જીવારંભિકી અને અજીવોનો આરંભ કરે તે અજીવ આરંભિકી ક્રિયા છે. (૨) પારિગ્રહિક કિયા બે ભેદ – જીવ, અજીવ જીવોનો પરિગ્રહ કરે તે જીવપારિગ્રહિડી, અજીવોનો પરિગ્રહ કરે તે અજીવ પારિગ્રહિડી, (3) માયા પ્રત્યયિકી પણ બે ભેદે – આત્મ ભાવ વંચનતા અને પભાવ વચનતા. આત્માના ભાવોને ગોપવે અને માયાવી ઋજુભાવને દશર્વિ, સંયમાદિમાં શિથિલ કરણનો ફટાટોપ દશવિ તે આત્મવંચના ક્રિયા. તેવું-તેવું આયરે, જેનાથી બીજો છેતરાય તે પરવંચનતાકિયા. (૪) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા પણ બે ભેદે – અનભિગૃહીત અને અભિગૃહીત અસંજ્ઞી કે સંજ્ઞીમાં પણ જે કંઈ કુતીર્થિક મતને ન સ્વીકારે તે અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી અને અભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી ને ભેદે - હીનાતરિક્ત દર્શનમાં અને તવ્યતિરિક્ત દર્શનમાં. 'ન' જેમકે અંગુઠાના પર્વ જેટલો જ આત્મા છે. યવ માત્ર જ આત્મા છે આદિ. ધવલ • આત્મા ૫૦૦ ધનુષ કે સગત છે. ચકત છે. એ પ્રમાણે હિનાતિરિક્ત દર્શન જાણવું. તેનાથી વ્યતિરિત દર્શન - આત્મા કે આત્માનો ભાવ નથી. આ લોક કે પરલોક નથી. બધાં ભાવો અસત્ સ્વભાવવાળા છે. ઈત્યાદિ. (૫) અપ્રત્યાખ્યાન ક્રિયા - અવિરતોને જ હોય. તેમાં કોઈને વિરતિ ન હોય. તે બે ભેદે છે – જીવ પ્રત્યાખ્યાનક્રિયા, અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા. કોઈ જીવ કે અજીવને વિરતિ હોતી નથી. (૬) દૃષ્ટિના ક્રિયા બે ભેદે - જીવ દૈષ્ટિજા, જીવ દૃષ્ટિજા. જીવદૈષ્ટિજા - અશ્વાદિને ચક્ષુર્દર્શન પ્રત્યયથી થાય છે. અજીવ દૈષ્ટિના ચિત્રકમદિ વડે થાય છે. (૩) પૃષ્ટિના કે પ્રાઝુિકી ક્રિયા- તે બે ભેદે - જીવ પ્રાનિકી અને અજીવ પ્રાનિકી. જીવપ્રાઝુિકી - જેમાં રાગથી કે દ્વેષથી જીવાધિકાર પૂછે છે અને અજીવમાં જીવાધિકાર પૂછે. અથવા પૃષ્ટિજા એટલે સૃષ્ટિના - સ્પર્શન કિયા. તેમાં જીવ સ્પર્શન ક્રિયા ઝી, પુરુષ કે નપુંસકમાં સંવર્ધન કરે છે તેમ કહેલ છે. આજીવોમાં સુખ નિમિતે મૃગના રોમાદિથી વસ્ત્ર બનાવે, મોતી કે રનો મેળવે છે. (૮) પ્રાતીત્યિકી ક્રિયા બે ભેદે – જીવ પ્રાતીત્યિકી, અજીવ પ્રાતીત્યિકી. જીવને આશ્રીને જે બંધ, તે જીવ પ્રાતીયિક. અજીવને આશ્રીને જે સગ-દ્વેષનો ઉદભવ છે. અજીવ પ્રાતીવિકી ક્રિયા. (૯) સામંતોપનિપાતિકી-સમંતાત-ચોતરફ અનુપતતિ પડે છે તે. આ કિયા બે ભેદે છે – જીવ સામંતોપતિપાતિકી અને અજીવ સામંતોપતિપાતિકી. જેમાં એક ખંડના લોકો જેમ જેમ પ્રલોક અને પ્રશંસે છે, તેમ તેમ હપને પામે છે. અજીવોમાં રથ કમદિ છે. અથવા સામંતોપતિપાતિકી ક્રિયા બે ભેદે છે - દેશથી અને સર્વથી સામંતોપતિપાતિકી, પ્રેક્ષકો પ્રતિ જેમાં એક દેશથી સંયતોનું આગમન થાય તે દેશસામંતોપનિપાલિકી અને જેમાં ચોતરફથી પ્રેક્ષકોનું આગમન થાય તે સર્વસામંતોપનિપાતિકી અથવા પ્રમત સંયતોને અપાન પ્રતિ અનાચ્છાદિતા સંપાતિમાં જીવો વિનાશ પામે તેને સર્વ સામંતોષ નિપાતિકી ક્રિયા કહે છે. (૧૦) નૈઃશગિકી ક્રિયા બે ભેદે છે - જીવનૈઃશઢિાકી, અજીવ નૈઃશટિકી. તેમાં જીવ તૈઃશકિી તે રાજાદિની આજ્ઞાચી જેમ ચંગાદિથી જળ કાઢવું. અજીવ તૈઃશસ્કિી - જેમ પાષાણકને ગોકાણી, ધનુષાદિથી ફેંકવું અથવા તૈઃશકિી - જેમ પાષાણને ગોફણસી, ધનુરાદિથી ફેંકવું અથવા વૈશરિકી તે જીવથી જીવ નીકળે તે - બાદિ. (૧૧) સ્વાહસ્તિકી ક્રિયા બે ભેદ – જીવ સ્વાહસ્તિકી, અજીવ સ્વાહસ્તિકી.
SR No.009024
Book TitleAgam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy