________________
અધ્ય૰ ૩, નિં - ૧૧૪૧
આગમરૂપપણે છે.
બીજા કોઈ ‘દર્શન’ભાવ ઈચ્છે છે. કેમકે તત્ત્વાર્થમાં તેને પણ સ્થાન આપેલ છે. તે દર્શન બે ભેદે છે – અધિગમથી અને નૈસર્ગિક. આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ વર્તે છે, તેથી કહે છે -
• નિયુક્તિ-૧૧૪૨-વિવેચન :
સદ્ભાવ - વિધમાન ભાવોને જાણીને કે – જીવાદિ છે. કઈ રીતે? અધિગમથી - જીવ આદિ પદાર્થની જાણકારી રૂપથી સમ્યકત્વ-શ્રદ્ધા રૂપ અધિગમ સમ્યકત્વ. આ અધિગમ સમ્યકત્વ પણ, અહીં પણ' શબ્દથી આત્માને ચારિત્ર પણ ઉપજે છે. નૈસર્ગિક સમ્યકત્વને આશ્રીને કહે છે – જાતિ સ્મરણથી સ્વાભાવિક થયેલ તે. આ પણ આગમ રહિત દર્શન-દૃષ્ટિ નથી. કેમકે સ્વયંભૂરમણના મસ્ત્યાદિને પણ જિનપ્રતિમાદિ આકારના મત્સ્યના દર્શનથી જાતિસ્મરણ દ્વારા ભૂતકાળના પદાર્થની આલોયનાના પરિણામે જ નૈસર્ગિક સમ્યકત્વ ઉપજે છે. આ ભૂત-અર્થનું આલોચન તે જ્ઞાન છે, તેથી આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ છે, એમ કરીને જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનીને જ કૃતિકર્મ કરવું.
આ પ્રમાણે જ્ઞાનવાદીએ કહેતા આચાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૧૪૩-વિવેચન :
-
જ્ઞાન સ્વવિષયમાં નિયત છે, સ્વવિષય તે આનું પ્રકાશન જ છે. જો આમ છે, તો જ્ઞાનમાત્રથી કાર્યની નિષ્પત્તિ નથી, આ અર્થમાં માર્ગ જાણનારનું દૃષ્ટાંત છે. સચેષ્ટ અને અચેષ્ટ. અહીં એવું કહે છે · કોઈ પાટલિપુત્રાદિ માર્ગનો જ્ઞાતા ઈષ્ટ દેશ પ્રાપ્તિ રૂપ કાર્ય માટે જવાને ઉધત થાય તો જ કાર્ય સાધી શકે. પ્રવૃત્તિ રહિતતાથી ગમે તેટલા કાળે પણ ન પહોંચે. એ પ્રમાણે જ્ઞાની શિવમાર્ગથી અવિપરીત રહ્યો હોય તો પણ સંયમક્રિયામાં ઉધત જ તેની પ્રાપ્તિરૂપ કાર્યને સાધે છે. અનુધત સાધનો નથી. તેથી સંયમ રહિત જ્ઞાન પણ નિરર્થક છે.
૮૩
પ્રસ્તુત અર્થના પ્રતિપાદન માટે જ બીજું દૃષ્ટાંત કહે છે –
• નિયુક્તિ-૧૧૪૪-વિવેચન :
મૃદંગાદિ વાધ, હાથ-પગ-નેત્રના પરિસ્કંદરૂપ નૃત્ય. આ બંનેમાં નિપુણ એવી નર્તકી, રંગજન પરિવરેલ હોય તો પણ, તે રંગજનોને હર્ષ પમાડતી નથી. કઈ રીતે ? કાયાદિ પ્રવૃત્તિ કર્યા વિના, તેથી અપરિંતુષ્ટ રંગજનોથી કંઈ દ્રવ્યાદિ પામતી નથી. બદલામાં નિંદા અને હિંસા પામે છે. તેમાં સમક્ષ જે હીલના થાય તેને નિંદા કહે છે, પરોક્ષમાં થાય તેને હિંસા કહે છે. હવે આ દૃષ્ટાંતનો નિષ્કર્ષ કહે છે –
• નિયુક્તિ-૧૧૪૫-વિવેચન :
એ પ્રમાણે વેશ અને જ્ઞાન સહિત એવો પણ જો કાયાના વ્યાપારમાં ન પ્રવર્તે,
તો તેને આ મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી. પણ સ્વપક્ષ તરફથી નિંદા અને હિંસા જ પામે છે. અહીં નર્તકી સમાન સાધુ જાણવા, વાધ સમાન દ્રવ્યલિંગ, નૃત્યજ્ઞાન સમાન જ્ઞાન, યોગવ્યાપાર તુલ્ય ચારિત્ર રંગજન તુલ્ય સંઘ, દાનના લાભ સમાન મોક્ષ સુખનો લાભ જાણવો. એ પ્રમાણે જ્ઞાન-યાત્રિ સહિતને જ કૃતિકર્મ કરવું.
ચાસ્ત્રિ રહિત જ્ઞાન અિિયંકર છે, આ અર્થના સાધક ઘણાં દૃષ્ટાંતો છે, તે જણાવવાને ફરી દૃષ્ટાંત કહે છે -
(42)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
નિયુક્તિ-૧૧૪૬-વિવેચન :
તે
તરવાનું જાણવા છતાં જે કાયવ્યાપાર કરતો નથી, તે પુરુષ નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. એ પ્રમાણે ચારિત્રરહિત જ્ઞાની સંસારરૂપી નદીના પ્રમાદરૂપી પ્રવાહમાં તણાઈ જાય છે. તેથી ચારિત્ર રહિત જ્ઞાનીને બદલે ઉભયયુક્તને કૃતિકર્મ કરવું જોઈએ. આ પ્રમાણે અસહાય જ્ઞાનપક્ષ છોડીને જ્ઞાન-ચરણ ઉભયપક્ષમાં સમર્થિત કરાતા બીજા કહે છે –
• નિયુક્તિ-૧૧૪૭-વિવેચન :
૮૪
અહીં ઉત્સર્ગથી ગુણાધિક સાધુને વંદન કરવું જોઈએ. આ અર્થ – શ્રમણને વાંદવા' ઈત્યાદિ ગ્રંથથી સિદ્ધ છે. ગુણહીનને ન વાંદવા. અર્થાત્ કૃતિકર્માદિ પાંચે ન કરવા. આ ગુણાધિક કે ગુણહીનત્વ તત્ત્વથી દુર્વિજ્ઞેય છે. છદ્મસ્થ તત્વથી તો આત્માંતવર્તી ગુણાગુણોને ન જાણતો શું કરે? કોઈ ગુણહીને પણ વાંદે. ગુણાધિકને પણ વંદો બંનેમાં દોષ છે. એકમાં અગુણીને અનુમતિ છે. બીજામાં વિનયનો ત્યાગ છે. તેથી મૌન રહેવું જ સારું છે. વંદન ન કરવું ઠીક છે. આ પ્રમાણે શિષ્યએ કહેતા વ્યવહારનયમતને આશ્રીને ગુણાધિકત્વના પરિજ્ઞાન કારણોનું પ્રતિપાદન કરતાં આયાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૧૪૮-વિવેચન :
આલય, વિહાર, સ્થાન અને ગમન વડે સુવિહિતને જાણવા શક્ય છે. ભાષા અને વિનય વડે પણ જણાય છે. અહીં પ્રલય એટલે વસતિ, સુપ્રમાર્જિતરૂપ અથવા સ્ત્રી, પશુ, પંડક રહિત તે વસતિ, આવા આલય-વસતિ અગુણવંતને ન હોય. વિજ્ઞાર - માસકલ્પ આદિ વડે, સ્થાન - ઉર્ધ્વ સ્થાન, સંન્મા - ગમન. સ્થાન અને સંક્રમણ એટલે અવિરુદ્ધ દેશ કાયોત્સર્ગ કરણથી અને યુગમાત્ર દૃષ્ટિ વડે આગળ જોતાં-જોતાં ચાલવા વડે. ભાષાવૈનયકિ - વિનય વડે આલોયના કરીને બોલવું અને આચાર્યાદિનો વિનય કરવો તે. આવા સાધુઓ પ્રાયઃ અસુવિહિત હોતા નથી.
આમ જણાવતાં શિષ્ય કહે છે –
• નિયુક્તિ-૧૧૪૯-વિવેચન
-
આલયથી, વિહારથી, સ્થાનથી, ગમનથી અને ભાષાવિનયથી પણ સુવિહિતને જાણવાનું શક્ય નથી. જેમ ઉદાયીનૃપમાસ્ક સાધુ તથા આ પણ પ્રસિદ્ધ છે કે અસંયત પણ હીન સત્ત્વી લબ્દિ આદિ નિમિત્તે સંયતવત્ પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે સંયતવત્ વર્તે છે.
• નિયુક્તિ-૧૧૫૦-વિવેચન :
ભરત અને પ્રસન્નચંદ્ર અત્યંતર અને બાહ્યના ઉદાહરણ છે. અત્યંતરમાં ભરતનું, કેમકે તેને બાહ્ય કરણ રહિત હોવા છતાં વિભૂષિત થયેલા જ આદર્શગૃહમાં પ્રવેશ્યા ત્યારે વિશિષ્ટ ભાવના યુક્તતાથી કેવળજ્ઞાન ઉપજ્યું. બાહ્યમાં પ્રસન્નચંદ્ર છે, તેના બાહ્ય ઉત્કૃષ્ટ કરણ છતાં અંતઃકરણ રહિતતાથી અધોસપ્તમી નરક યોગ્ય કર્મબંધ થયો. તે જ દોષોત્પત્તિ અને ગુણર તે ભરત અને પ્રસન્નચંદ્રને થયા. ભરતને અશોભન બાહ્ય કરણથી દોષોત્પત્તિ ન થઈ અને પ્રસન્નચંદ્ર શોભન હોવા છતાં ગુણકર ન થયું, તેથી અંતર જ કરણ પ્રધાન છે, તે આલય આદિથી જાણવા શક્ય નથી. ગુણાધિકને વંદન કહ્યું છે, તેથી મૌન જ રહેવું યોગ્ય છે.
આ તીર્થના અંગભૂત વ્યવહારનય નિરપેક્ષ શિષ્યએ કહ્યું, તેના પારલૌકિક અપાયને દર્શાવતા આચાર્ય કહે છે -