________________
અધ્ય ૩, નિ - ૧૧૨૩
લિંગ-વેશ પણ અપ્રમાણ થશે. અહીં લિંગ-વેશ માત્રના વંદન પ્રવૃત્તમાં પ્રમાણપણાને પ્રતિપાદિત કરાયા છતાં અનભિનિવેષ્ટ સામાચારી જિજ્ઞાસાથી શિષ્ય કહે છે – • નિયુક્તિ-૧૧૨૪-વિવેચન :
જો દ્રવ્યલિંગ પ્રમાણ નથી – વંદન પ્રવૃત્તિમાં અકારણ છે, તો જ્યાં સુધી પરમાર્થથી છદ્મસ્થતાથી પ્રાણી ન જાણે કે કોને કર્યો ભાવ છે ? કેમકે અસંયતો પણ લબ્ધિ આદિ નિમિત્તે સંયતવત્ જ પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે અસંયતવત્ પ્રવૃત્તિ કરે. એ પ્રમાણે હોવાથી સાધુવેશ જોઈને પછી સાધુ વડે શું કરાવું જોઈએ? એ પ્રમાણે શિષ્ય એ પૂછતા, આચાર્ય કહે છે –
• નિયુક્તિ-૧૧૨૫ -
પૂર્વે નાં જોયેલા સાધુને જોઈને, આસન છોડીને તેમની સામે જવું, દંડક આદિને ગ્રહણ કરવા તે કર્તવ્ય છે. કદાચ આ કોઈ આયાર્ય આદિ વિધાદિ અતિશય સંપન્ન હોય, તે આપવાને માટે જ આવેલ હોય, જેમ આચાર્ય કાલક પ્રશિષ્ય પાસે આવ્યા. તેને અવિનીત જોઈને વિધાદિ ન આપે. વળી પૂર્વે જોયેલા પણ બે પ્રકારના હોય ધૃત વિહારી અને શીતલ વિહારી, તેમાં ઉધતવિહારી સાધુ પૂર્વે મળેલ હોય ત્યારે યથાયોગ્ય અભ્યુત્થાન, વંદન આદિ અને બહુશ્રુતને આશ્રીને જે યોગ્ય કર્તવ્ય હોય તે કરવું જોઈએ. વળી જે શીતલવિહારી હોય તેને અભ્યુત્થાન, વંદનાદિ ઉત્સર્ગથી કંઈ જ ન થાય. હવે કારણે શીતલવિહારને પામેલ વિશે વિધિ જણાવવા માટેની સંબંધ ગાથા
કહે છે –
-
96
• નિયુક્તિ-૧૧૨૬-વિવેચન :
સંયમમાં કંપનથી મુક્ત, પ્રવયનના ઉપઘાતથી નિરપેક્ષ મૂલગુણ અને ઉત્તરગુણ જાળને સેવવાના શીલવાળા, વ્રતાદિ લક્ષણમાં ચરવાવાળા, પિંડવિશુદ્ધિ આદિ કરણને કરવું. આ ચરણ-કરણથી પ્રકર્ષ વડે ભ્રષ્ટ, કેવળ દ્રવ્યલિંગયુક્ત જે કંઈ કરે છે, તે ફરી કહે છે જે કારણને આશ્રીને કંઈ કરે છે પણ કારણ અભાવે કંઈ કરતા નથી જ.
તેથી જ તેમને મૂયૂ કહ્યા, તેઓ કદાચિત્ સંપ્રકટ સેવી ન હોય. તેઓ શું કરે છે? તે કહે છે
-
• નિયુક્તિ-૧૧૨૭-વિવેચન :
નિર્ગમભૂમિ આદિમાં જોઈને વાણીથી અભિલાષ કરે છે – હે દેવદત્ત ! તું કેમ
છે ? ઈત્યાદિરૂપ, મોટા કાર્યની અપેક્ષાથી તેને જ નમસ્કાર કરે છે. - ૪ - અભિલાષ અને નમસ્કાર અંતર્ગત્ બે હાથ ઉંચા કરે છે, મસ્તક વડે નમન તે શિરોનમન કરે છે, કુશલ આદિની પૃચ્છા કરે છે, તેનું બહુમાન, તેની નીટ આસનને કેટલોક કાળ રાખે.
આ તે બહિર્દષ્ટની વિધિ છે. કારણ વિશેષથી વળી તેના ઉપાશ્રયે પણ જાય. ત્યાં પણ આ જ વિધિ છે. વિશેષ એ કે – થોભવંદન કરે. અથવા પરિશુદ્ધ વંદન પણ કરે. આ વાયા-નમસ્કારાદિ અવિશેષથી કરાતા નથી. તો શું?
• નિયુક્તિ-૧૧૨૮-વિવેચન :
પર્યાય અને પર્યંત્ અને પુરુષ તથા ક્ષેત્ર, કાળ અને આગમને જાણીને કોઈ કારણ - પ્રયોજન ઉત્પન્ન થતાં સથાનુકૂળ પર્યાયાદિ યુક્તને જે સમનુરૂપ વાયાનમસ્કારાદિ હોય, તે તેને કરાય,
હવે અવયવાર્થ પ્રતિપાદન કરવા ભાષ્યકાર કહે છે -
(PROOF-1)
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ભાષ્ય-૨૦૪ + વિવેચન :
પર્યાય એટલે બ્રહાચર્સ, તેને ઘણાં કાળથી જેણે અનુપાલન કરેલ છે, પરિષત્ કે વિનિતા એટલે તેનાથી પ્રતિબદ્ધ સાધુ સમુદાય. આ પુરુષને જાણીને, કઈ રીતે જાણીને? કુળ કાર્યાદિ વડે આયતન આદિ શબ્દથી ગણ સંગ્રહ કાર્ય લેવું. આધવડ એટલે તે ક્ષેત્રમાં પ્રસિદ્ધ-તેના બળથી ત્યાં રહેવું. શુળ - વમપ્રતિજાગરણ આદિ. સૂત્ર-અર્થ-ઉભયરૂપ, શ્રુત-સૂત્રજ. આ બધું જાણીને.
आगम -
• નિયુક્તિ-૧૧૨૯-વિવેચન :
આ વાચા-નમસ્કારાદિ કષાયની ઉત્કટતાને લીધે ન કરતા, યથાયોગ અર્હત્ દર્શિત માર્ગમાં પ્રવયન ભક્તિ થતી નથી. પરંતુ ભક્તિમંત આદિ દોષો થાય છે. એ દ્ગ પ્રમાણે શિથિલવિહારીની વિધિ પ્રતિપાદિત કરતા શિષ્ય કહે છે – આ પર્યાયાદિ અન્વેષણથી
\Maharajsaheb\Adhayan-33\Book33A\
૮૦
શું? સર્વથા ભાવ શુદ્ધિ વડે કર્મોને દૂર કરવાને જિન પ્રણિત વેશને નમસ્કાર જ યુક્ત છે. કેમકે તેમાં રહેલ ગુણવિચાર નિષ્ફળપણે છે. તેના ગુણથી કંઈ નમસ્કાર કરનારને નિર્જા ઉત્પન્ન થતી નથી, પણ પોતાની અધ્યાત્મ શુદ્ધિથી નિર્જરા ઉત્પન્ન થાય છે. તથા કહે છે –
• નિયુક્તિ-૧૧૩૦-વિવેચન :
તીર્થંકરના જ્ઞાનાદિ ગુણો તેમના બિંબ-પ્રતિમામાં હોતા નથી. સંશય રહિત જાણવા છતાં પણ આ તીર્થંકર છે, એમ ભાવ શુદ્ધિ વડે પ્રણામ કરતા એવા તેને કર્મક્ષય રૂપ વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટાંત કહ્યું, તેનો ઉપનય આ પ્રમાણે— • નિયુક્તિ-૧૧૩૧-વિવેચન :
લિંગ - જેના વડે સાધુ ઓળખાય છે, તે રજોહરણાદિધારણ કરવા રૂપ ચિહ્ન અરહંતો વડે જ પ્રાપ્ત છે, જેમ જિનપ્રતિમાને પ્રણામ કરતા વિપુલ નિર્જરા થાય છે તેમ મૂલ અને ઉત્તરગુમ વડે અનેક પ્રકારે પ્રકર્ષથી હીન હોવા છતાં તેને જો ચિત્ત શુદ્ધિથી નમસ્કાર કરાય તો વિપુલ નિર્જરા થાય. - - - આ રીતે શિષ્યએ કહેતા દૃષ્ટાંત અને દાĪર્તિક બંનેની વિષમતા જણાવતા આચાર્ય કહે છે –
• નિયુક્તિ-૧૧૩૨-વિવેચન :
તીર્થંકરના જ્ઞાનાદિ ગુણો વિધમાન કે શોભન છે, કેમકે આ પ્રતિમા તીર્થંકર - અરહંતની પ્રતિમા છે, તે પ્રમાણે નમસ્કાર કરતા આવું ચિત્તમાં હોય છે તથા તે પ્રતિમામાં સાવધ - સપાપા ક્રિયા હોતી નથી. પાર્શ્વસ્થાદિમાં અવશ્યભાવિની સાવધા ક્રિયા હોય છે. તેથી સાવધક્રિયાયુક્ત પાર્શ્વસ્થાદિને નમતા સાવધ ક્રિયાની અનુમતિ હોય છે તે તું જાણ અથવા તીર્થંકરમાં તીર્થંકરના ગુણો વિધમાન છે, તેને અમે પ્રણમીએ છીએ, તેવું મનમાં વિચારે છે, તેથી અરહંતના ગુણના અધ્યારોપથી ઈષ્ટ પ્રતિમાના પ્રણામથી નમસ્કાર કરનારને સાવધ ક્રિયા લાગતી નથી. જ્યારે પાર્શ્વસ્થાદિમાં પૂજ્ય માનત્વથી અશુભ ક્રિયા યુક્તતાથી તેમના નમસ્કારથી નિશ્ચે અનુમતિ થાય છે. ફરી શિષ્ય કહે છે -
• નિયુક્તિ-૧૧૩૩-વિવેચન :
જેમ સાવધા - સપાપા ક્રિયા પ્રતિમામાં વિધમાન નથી, તેમ નિરવધા ક્રિયા પણ નથી. નિવધ ક્રિયાના અભાવે પુન્યરૂપ ફળ પણ નથી. તેથી તે નમસ્કાર નિષ્કારણ થાય છે. કેમકે પ્રણમ્ય વસ્તુમાં ક્રિયા હેતુના અભાવે ફળનો અભાવ છે. તેનાથી