________________
૨૩, નિ - ૧૦૩૯
૬૨
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
અરહંત સિવાય કોઈનું હોતું નથી. [સમાધાન) અરહંત જ વિશેષ્યપણે હોવાથી કોઈ દોષ નથી. [શંકા] જો એમ છે તો ફક્ત “અરહંત' શબ્દ જ રાખો, પછી લોકોધોતકર આદિ વિશેષણો નકામા છે. [સમાધાન ના, તેમ નથી, કેમકે તે વિશેષણોની સફળતા પ્રતિપાદિત કરેલી જ છે.
[શંકા વળી કોઈ કહે છે, તો વનિ શબદ ન કહેવો. ચોક્ત સ્વરૂપવાળા રહેતો કેવલિત્વથી જુદા નથી. તેથી વિશેષણ સફળ છે, જો સંભવ હોય તો વિરોષણ અર્થવાળું થાય છે. જેમકે - નીલોત્પલ અને વ્યભિચારના અભાવે, તેના ઉપાદેયમાનતા છતાં પણ જેમ કાળો ભમરો, સફેદ બલાકા ઈત્યાદિવ૮ - x - તેથી ‘કેવલી' શબ્દ વધારાનો છે.
[સમાધાન ના, અભિપ્રાયના પરિજ્ઞાનથી આમ કહેલ છે. આ કેવલી જ ચોક્ત સ્વરૂપે અરહંત છે, બીજા નહીં, તે નિયમાર્થત્વથી સ્વરૂપજ્ઞાનાર્થે જ આ વિશેષણ અનવધ છે. એકાંતથી વ્યભિચાર સંભવ નથી જ, તેથી વિશેષણનું ઉપાદાના સફળ છે. - X - X - X -
[શંકા જ કેવલી શબદ આટલો સુંદર છે, તો લોકોધોતકરાદિ શબ્દો અનર્થક છે. [સમાધાન] અહીં શ્રુતકેવલી આદિ બીજા પણ કેવલી કહ્યા છે, તેથી તેનો સમાવેશ ન કરવા આ લોકોધોતકરાદિ કહ્યા છે. - x - આટલો વિસ્તાર ઘણો છે.
હવે જે ક્ષતવિક કહ્યું છે, તે કીર્તન કરતાં કહે છે - • સૂત્ર-૪ થી ૬ :
]િ ઋષભ અને અજિતને, સંભવ અભિનંદન અને સુમતિને, પાપણું સુપાર્શ્વ તા ચંદ્રાપભુ એ સર્વે જિનને હું વંદુ છું... [૫] સુવિધિપુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંતને, તથા ધર્મ અને શાંતિજિનને હું વંદુ છું. [૬] કુથ અર અને મલ્લિને, મુનિસુવત અને નમિને, અરિષ્ટનેમિ પાર્ગ તથા વીમાનને [એ સર્વે જિનને હું વંદુ છું [એ રીતે ત્રણ ગાથાથી ૨૪જિનને વંદના કરી છે.].
વિવેચન-૪ થી ૬ :
અહીં અરહંતોના નામને અન્વથી આશ્રીને સામાન્ય લક્ષણ તથા વિશેષલક્ષણથી (અર્થ) કહે છે. તેમાં [અનુક્રમે અર્થ આ પ્રમાણે -1
(૧) સામાન્યલક્ષણ - સમગ્ર સંયમ ભારને વહેવાથી વૃષભ, બધાં જ ભગવંતો આ સ્વરૂપના હોય તેથી વિશેષ હેતુ પ્રતિપાદન કરતા કહે છે -
• નિયુક્તિ-૧૦૮૦/૧-વિવેચન :
જે કારણે ભગવંતના બંને પણ સાથળમાં વૃષભ લંછન હતુ, મરુદેવા-ભગવંતની માતાએ સ્વનામાં ચૌદ મહાસ્વનોમાં પહેલા વૃષભનું સ્વપ્ન જોયું, તેથી તેમનું વૃષભ નામ કરાયું. બાકીના તીર્થકર માતા પહેલા સ્વપ્નમાં હાથીને જોયેલો, પછી વૃષભ જોયેલો, કષભ-વૃષભ એનાર્થક છે.
હવે (૨) અજિત - તેમાં સામાન્ય અર્થમાં જોતાં • પરીષહ ઉપસગદિ વડે ન જિતાયેલ તે અજિત. બધાં ભગવંતો યથોક્ત સ્વરૂપના છે.
• નિયુક્તિ-૧૦૮૦/-વિવેચન :ભગવંતના માતા-પિતા જુગટુ રમતા હતા. પહેલાં સM જિતતો હતો. જ્યારે
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે રાજાને બદલે રાણી જિતવા લાગ્યા. પછી અા-પીસામાં કુમારના પ્રાધાન્યથી રાણી ન જિતાયા માટે અજિત નામ.
હવે (3) સંભવ :- તેમાં સામાન્યથી જેમાં પ્રકર્ષ વડે ૩૪-અતિશય ગુણો સંભવે છે માટે સંભવ. બધાં ભગવંતો ચોક્ત સ્વરૂપના છે.
• નિયુક્તિ-૧૦૮૧/૧-વિવેચન :
જેઓ ગર્ભમાં હતા ત્યારે ધાન્યની અધિકાધિક નિષ્પત્તિ થઈ, તેથી “સંભવ' કક્ષા. -૦–૦- હવે (૪) અભિનંદન - તેનું સામાન્ય નામાર્થ - દેવેન્દ્રો દિથી જે અભિનંદાયા માટે ‘અભિનંદન' નામ છે. બધાં જ ભગવંતો ચોક્ત સ્વરૂપના હોય છે, તેથી વિશેષ હેતુ બતાવવા કહે છે –
નિયુક્તિ-૧૦૮૧/ર-વિવેચન :
ભગવંત ગર્ભમાં આવ્યા પછી શક વારંવાર અભિનંદિત થતો હોવાથી તેમનું અભિનંદન નામ કરાયું. ––– હવે (૫) સુમતિ :- તેમનો સામાન્ય નામાર્થ છે – શોભન મતિ જેની છે તે સુમતિ. બધાં ભગવંત સુમતિ જ છે.
• નિયુક્તિ-૧૦૮૨૧-વિવેચન :
ભગવંત માતાના ગર્ભમાં હતા ત્યારે માતા બધાં જ નિશ્ચયોમાં તીવ પ્રતિસંપs થયા. - બે શોક્યો કે જેનો પતિ, મૃત્યુ પામેલ, તેમની વચ્ચે પુત્ર અને ધન માટે વિવાદ થયો. સણી બોલી કે મારે પુત્ર ઉત્પન્ન થયો છે, તે મોટો થયા પછી આ અશોકવૃક્ષ નીચે બેસીને તમારે વિવાદ માંગશે. ત્યાં સુધી રાહ જુઓ. ત્યારે અપરમાતાએ સ્વીકારી લીધું. પણ પુત્રની સાચી માતાએ તે ન સ્વીકાર્યું, તેથી તે સગી માતા જણાતા તેણીને પુત્ર સોંપી દીધો. એવા પ્રકારના ગુણ ગર્ભના પ્રભાવથી થતાં ‘સુમતિ' નામ રાખ્યું.
ધે (૬) પાપભુ - સામાન્ય નામાર્થથી અહીં નિષ્પકતાને આશ્રીને પાની જેવી પ્રભા જેની છે, તે પાપભ. બધાં ભગવંત આવા જ હોય.
• નિયુક્તિ-૧૦૮૨/૨-વિવેચન :
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે કમળમાં સુવાનો માતાને દોહલો જમ્યો, ત્યારે દેવોએ તેણીને માટે પા શય્યા સજાવી, વળી પ્રભુનો વર્ણ પણ પદ્ધ જેવો હતો. તેથી પડાપ્રભ' એવું નામ રાખ્યું. -૦–૦- હવે (૩) સુપાશ્વ :- તેમનો સામાન્યથી નામાથી - શોભન છે. પડખાં જેના તે સુપાર્શ. બધાં જ રહેતો આવા હોય છે. માટે વિશેષ નામાર્થ કહે છે -
• નિયુક્તિ -૧૦૮૩/૧ -
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે તેમના અનુભાવથી માતાના બંને પડખાં શોભન થયા, તેથી તેમનું સુપાર્શ્વ નામ રાખ્યું. -૦- એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષ નામાર્થને આશ્રીને નામનો વિસ્તાર જાણવો. અહીં તે સુજ્ઞાતપણાથી છે અને ગ્રંથવિસ્તાર ભયથી પણ કહેતાં નથી [પહેલો અર્થ સર્વ સામાન્ય અને બીજો અર્થ ભગવંતના વિશેષ નામરૂપ સમજી લેવો.].
[e ગ્રંથારશ્રી માફક અમે પણ હવે અહીં પદ્ધતિમાં થોડો ફેરફાર કરી રહ્યા છીએ. KIી નિયુક્તિ અને વૃત્તિ સાથે લઈને ભગવંતના નામની કમાનુસાર પહેલાં સર્વસામkય અને પછી વિરોષ નામા નોધીએ છીએ.]
E:Maharajsaheb\Adhayan-33\Book33AL