________________ અધ્ય૦૪/૨૩, પ્રા.નિ.૬૦ 194 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પણ કે અસ્વાધ્યાય હોતી નથી. - વિવેચન-૬૦ : ક્ષપણ અને અસ્વાધ્યાય, સનિક એટલે આચાર્ય, મહાનિનાદ તે મહાજનજ્ઞાત કે નિજકો- સજ્ઞાતીયોને હોય છે. કેમકે તેમને અધૃતિ હોય છે. બાકીના સાધુમાં પણા કરાતી કે સ્વાધ્યાયિક હોતા નથી. એટલે કે સ્વાધ્યાય પણ કરાય છે, તેમ કહ્યું. આ પ્રમાણે અશિવ ન હોય ત્યાં સુધી [શિવમાં કહ્યું. અશિવમાં ક્ષપણને યોગવૃદ્ધિ કરાતી નથી. કાયોત્સર્ગ અવિધિપરિષ્ઠા પનિકીમાં કરાતો નથી. ઉપાશ્રયમાં મુહૂર્ત પ્રતિક્ષા કરે છે, જ્યાં સુધી ઉપયુક્ત થાય. ત્યાં યથાકાત કરાતા નથી. - તેમાં જે સંથારા વડે નિાકાશિત કરાયા હોય - કઢાયેલા હોય તે અવિકતપ્ય કરાય છે. જો ન કરે તો અસામાચારી વધે છે અથવા પ્રાંતા દેવતા અધિકરણ લાવે છે. માટે વિકરણ એ કર્તવ્ય છે. ક્ષપણા સ્વાધ્યાય દ્વાર કહ્યું. હવે અવલોકન દ્વાર - - પા.નિ.૬૧,૬૨ - અવજ્જય, પછી સૂઝાઈ વિશારદ વડે . સ્થવિર વડે અવલોકન કરાય કે શું શુભાશુભ ગતિ થઈ છે ? જે દિશામાં તે શરીર કઢાયું હોય, અક્ષણ તે સમ્યક જુઓ. તે દિશામાં સૂત્રાર્થ વિશારદ, ધીર શિવને કહે છે. વિવેચન-૬૧,૬૨ - ઉપવનય - બીજે દિવસે અવલોકન કરવું જોઈએ, શેનું ? શુભાશુભના જ્ઞાનાર્થે અને ગતિના જ્ઞાનાર્થે. પછી કોનું ગ્રહણ કરે ? આચાર્યનું, મહર્ધિકનું, પ્રત્યાખ્યાત ભક્તનું કે બીજા કોઈ મહાતપસ્વીનું, જે દિશામાં તેનું શરીર કઢાયેલ હોય, તે દિશામાં સુભિક્ષ અને સુખ વિહારને કહે છે. જો ત્યાં જ કઢાયેલ હોય, ત્યારે તે દેશમાં શિવ, સુભિક્ષ અને સુખ વિહાર થાય છે. જેટલા દિવસ રહે, તેટલાં વર્ષો સુભિક્ષ થાય. આ શુભાશુભ કહ્યું. હવે વ્યવહારથી ગતિ કહું છું. * પા.નિ.૬૩ : અહીં સ્થલ કરણમાં વૈમાનિક, જ્યોતિક વાણવ્યંતર સમમાં થાય. ખાડો પડે તો ભવનવાસી થાય. સંક્ષેપથી આ ગતિ કહી. * વિવેચન-૬૩ - આ ગાથા નિગદ સિદ્ધ જ છે. બે દ્વાર ગાથાની વ્યાખ્યા કહી. હવે તે જ હાગાથા બીજીમાં જે વિધિ કહી છે, તે સર્વે કયાં કરવી, કયાં ન કરવી, તે પ્રતિપાદન કરતાં કહે છે - પા.નિ.૬૪ - આ બધી વિધિ જો શિવ હોય તો કરવી, જે જ્યાં વસે છે. શિવમાં ખમણ વિવૃદ્ધિ અને કાયોત્સર્ગ વર્જવો જોઈએ. [33/13]. વિવેચન-૬૪ - અનંતર વ્યાખ્યાત વિધિ, મર્યાદા - સીમા - આચરણ એ કાર્યક શબ્દો છે, તે કરવી જોઈએ. વ્યવહિત સંબંધ કર્તવ્ય છે. ક્યાં ? જે સાધુ, જે ફોનમાં વસે છે. અશિવમાં શું કરે ? અશિવમાં ક્ષપણાનું વર્જન કરે. બીજું શું ? યોગ વિવૃદ્ધિ કરે છે. કાયોત્સર્ગ પણ કરતાં નથી. હવે ઉકતાર્થના ઉપસંહાર માટે ગાથા કહે છે - * પા.નિ.૬પ : આ દિશા વિભાગ જાણવો. દ્વિવિધ દ્રવ્ય હરણ કહ્યું. વોસિરાવવું, અવલોકન અને શુભાશુભ ગતિવિશેષ. * વિવેચન-૬૫ : આ અનંતર ગાવાહિકનો અર્થ છે. તે શું છે ? દિશા વિભાગને જાણવો જોઈએ. તેમાં દિશાવિભાગ - અચિત સંયત પારિઠાપનિકી વિધિ પ્રતિ દિપ્રદર્શન સોપથી દિકપ્રતિપાદન કહેલ છે અથવા દિશાવિભાગ એ મૂલહાર ગ્રહણ છે. બાકીના દ્વારના ઉપલક્ષણ આ રીતે જાણવા. અચિયત પારિઠાપતિની પ્રતિ આ દ્વાર વિવેક જાણવો. બે પ્રકારે દ્રવ્યહરણ - બે પ્રકારે દ્રવ્ય એટલે પૂર્વકાળે ગૃહિત કુશ આદિ જાણવા તે અનુવર્તે છે. વ્યત્સર્જન એટલે સંયતના શરીરને પાઠવવું તે અવલોકન એટલે બીજા દિવસે શુભાશુભ ગતિ વિશેષ અને વ્યંતરાદિમાં ઉપપાતનું નિરીક્ષણ કહ્યું છે. આવી અચિયત્ત સંયત પારિષ્ઠાપનિકા કહી. હવે અસંયત મનુષ્યોની પારિઠાપનિકા કહીએ છીએ - * પા.નિ.૬ : અસંયત મનુષ્યોની પારિષ્ઠાપનિકા બે ભેદે છે - હે સુવિહિતા તે સચિત્તથી અને અચિત્તથી જાણવી. * વિવેચન-૬ : આ ગાથા સ્વયં સિદ્ધ જ છે. તેમાં જે સચિવનો ભેદ કહ્યો, તો તેનો સંભવ કઈ રીતે થાય ? તે કહે છે - - પા.નિ.૬૩ : કલ્પસ્થક રૂપ સંયતને વસતિમાં વોસિરાવે. ઉદયપથે, બહુસમાગમમાં અવલોકન કરીને ત્યાગ કરવો. * વિવેચન-૬૭ : કોઈ વખત કોઈ અવિરતિક સંયતને વસતિમાં કલાસ્થક રૂપે સંહરે, તે ત્રણ કારણે પરઠવે ક્યા ? આનો ઉહ થાય, પ્રત્યુનીકતાણુતાથી ફેંકે, કોઈ સાઘર્મિણી લિંગાર્થીની આણે મારો વેશ હરી લીધો છે. એમ માને પ્રતિનિવેશથી વાસ્થક રૂપે વસતિ નજીકમાં સંહરે.