SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ 486 225 ભગવંત તે વેદનાને સહન કરતા-કરતા વિકસિત અવધિ માફક લોકને જોવાનો આરંભ કર્યો. બાકીના કાળમાં ગર્ભથી આરંભીને આવલિશીર્ષ સુધી, અગિયાર અંગ અને સુરલોક પ્રમાણ માત્ર અવધિ હતું ઈત્યાદિ * x * પણ હવે લોકાવધિજ્ઞાન પ્રગટ થયું. ત્યારપછી તે વાંતરી પણ હારી-થાકીને પછી ઉપશાંત થઈને ભગવંતની પૂજા અને મહિમા કરે છે. * નિયુક્તિ-૪૮૭ : ફરી પણ ભદ્રિકા નગરમાં વિચિત્ર તપ અને છઠ્ઠું ચોમાસું મગધમાં નિરૂપસર્ગ મુનિએ ઋતુબદ્ધ વિહાર કર્યો * વિવેચન-૪૮૩ - ત્યારપછી ભગવંત ભદ્રિકા નામની નગરીએ ગયા. ત્યાં છૐ વર્ષાવાસ અર્થાત્ ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસામાં ગોશાળા સાથે સમાગમ થયો. ભગવંતને છ માસ પછી ગોશાળો ત્યાં ભેગો થયો હતો. ભગવંતે ત્યાં ચોમાસી તપ અને વિચિત્ર અભિગ્રહો કર્યા તથા સ્નાનાદિ આસને ભગવંત રહ્યા. પારણું કર્યા પછી બહાર મગઘદેશમાં વિચરતા ઉપસર્ગ રહિતપણે ઋતુબદ્ધિકમાસ માસ વિહારો કર્યા. વિચારીને - * નિર્યુક્તિ -488 : આલભિકામાં ચોમાસુ, કુંડાગમાં, દેવકુળમાં પરાંચમુખ, મદનગામ, દેવકુળસાસ્ક, મુખમૂલે, બંને પણ મુનિ. * વિવેચન-૪૮૮ - આલંભિકા નગરી હતી. ત્યાં ભગવંત સાતમું ચોમાસુ રહ્યા. ત્યાં ભગવંતે ચોમાસી તપ વડે તપ કર્યો. પારણું કર્યા પછી બહાર કુંડાક નામના કોઈ સંનિવેશ હતું, ત્યાં ગયા. ત્યાં વાસુદેવના મંદિરમાં ભગવંત, એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. ગોશાળો પણ વાસુદેવ પ્રતિમાના મુખમાં લિંગ રાખીને રહ્યો. ત્યાં મંદિરના પરિસાક-સેવકો આવ્યા. તેને તે સ્વરૂપે રહેલો જોયો. ત્યારે તેઓ વિચારે છે, રાગદ્વેષવાનું ધાર્મિક હોવાથી કંઈ બોલ્યા નહીં. પણ ગામમાં જઈને કહે છે - જુઓ આ રાગવાળાને જુઓ. ગામલોકો મંદિરે આવ્યા. ગોશાળાને તે સ્વરૂપે જોયો, તેને માર્યો. પછી બાંધી દીધો. કોઈએ કહ્યું - આ પિશાય છે. એટલે છોડી દીધો. ત્યાંથી નીકળીને તે બંને મર્દના નામક ગામે ગયા. ત્યાં બળદેવનું મંદિર હતું. ભગવંત ત્યાં એક ખૂણામાં પ્રતિમા ધ્યાને રહ્યા. [31/15] 226 આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ગોશાળો પૂર્વવત્ તેનું લિંગ નાખીને રહ્યો. ત્યાં પણ તેને તે જ રીતે માર પડ્યો. મુણિત [118] છે એમ સમજી છોડી દીધો. * નિયુક્તિ-૪૮૯ : બહુશાલક વન, કટપૂતના, પ્રતિમા, વિદન કરણ,પશમ, લોહાલમાં જસુસ, જિતશત્રુ ઉત્પલ, મોક્ષ. * વિવેચન-૪૮૯ - ત્યારપછી ભગવંત બહુશાલક નામે ગામમાં ગયા. ત્યાં શાલવન નામે ઉંધાના હતો. ત્યાં શાલાર્મ વતરી હતી. તે ભગવનની પૂજા કરે છે. બીજા આચાર્યો કહે છે - જેમ તે કટપૂતના વ્યંતરીએ પ્રતિમા ધ્યાને રહેલા ભગવંતને ઉપસર્ગ કર્યો હતો, તેમ શાલાએ પણ કર્યો. તેણી ઉપશાંત થતા ભગવંતનો મહિમા કરે છે. ત્યાંથી નીકળીને ભગવંત લોહાર્મેલા રાજધાનીએ ગયા. ત્યાં જિતશત્રુ નામે સજા હતા. તે બીજા રાજા સાથે વિરુદ્ધમાં હતો. તેમના ચર પુરુષોએ ભગવંતને જાસુસ માની પકડ્યા. તેઓએ કોણ છો ? તેમ પૂછવા છતાં ભગવંતે કંઈ ઉત્તર ન આપ્યો. ત્યારે તેમને જાસુસ માનતા રાજાએ ભગવંત અને ગાશાળાને બંનેને કેદખાનામાં નાંખી દીધા. ત્યાં ઉત્પલ, અસ્થિક ગામથી આવ્યો. તે પહેલાંથી ભગવંતનો પરીચિત હતો. તેણે ભણવંત અને ગોશાળાને બાંધીને લવાયેલા જોઈને ઉભો થયો. ત્રણ વખત વંદના કરી, પછી તે કહે છે - આ જાસુસ નથી. આ સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ધર્મવર ચક્રવર્તી એવા ભગવંત છે, આમના લક્ષણો તો જુઓ. ત્યાર લોહા”લે સત્કાર કરીને તેમને છોડી મૂક્યા. * નિયુક્તિ-૪૯૦ : ત્યારપછી પુમિતાલમાં, વલ્વર શેઠ, ઈશાનેન્દ્ર, પ્રતિમાની પૂજ, મલ્લીજિનનું જિનાલય, પ્રતિમા, ઉwnક સંનિવેશ, બહુગોષ્ઠી. * વિવેચન-૪૦ : ત્યારપછી ભગવંત પુરિમતાલમાં ગયા. ત્યાં વઘુર નામે એક શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામે પની હતી. તે વંધ્યા હોવાથી કોઈ બાળકને તેણીએ પ્રસવ આપેલો ન હતો, તે મ પોતાના ઘૂંટણ અને કોણીની જ માતા હતી. ઘણાં દેવો પાસે યાચના કરીને થાક્યા હતા. અન્ય કોઈ દિવસે શકટમુખ ઉધાનમાં તે બંને દંપતી ઉધાનિકા માટે ગયા. ત્યાં તેઓએ જીર્ણ દેવકુળને જોયું, જે સડેલ-પડેલ જેવી સ્થિતિમાં હતું. ત્યાં મલ્લિનાથ સ્વામીની પ્રતિમા હતી. ત્યાં બંનેએ નમસ્કાર કરી યાચના કરતા કહ્યું કે - જો અમોને કોઈ પણ
SR No.009022
Book TitleAgam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy