SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કપ 3-૬૨૧, ૨૨ (૬૦) હાહાભૂતશરણા, (૬૧) રુક્ષા, (૬ર) સ્નિગ્ધા, (૬૩) રુક્ષાસ્નિગ્ધા. આ પ્રમાણે કુશીલદેષ્ટિઓ અહીં જણાવી છે. તે નામના અનુસાર વ્યાખ્યા સમજી લેવી. સ્ત્રીઓના ચરણ, અંગૂઠા, તેનો અગ્રભાગ, નખ, હાથ, જે સારી રીતે આલેખેલ હોય, લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના ક્રિણો એકઠા થવાથી મેઘધનુષ્ય હોય તેવા નખને, કાચબા જેવા ઉનત ચરણને, સરખા ગોઠવાયેલ ગોળાકાર ગૂઢ જાનુને, જંઘાને, વિશાળ કટિ તટના સ્થાનને, જઘન, નિતંબ, નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભૂજાલષ્ટિ, અધર, હોઠ, દંતપંક્તિ, કાન, નાક, નેત્રયુગલ, ભ્રમર, મુખ, ક્યાળ, મસ્તક, કેશ, સેંથો, વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ, ખંજન, શ્યામવર્ણી, તમાલપત્ર સમાન કેશુક્લાપ, કંદોરો, નુપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત ક્રાં, કંકણ, મુદ્રિાદિ મનોહર અને ઝળહળતા આભૂષણો, રેશમી ઝીણાં વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ ક્રીને કામાગ્નિનને પ્રદીપ્ત નારી નારકી અને તિર્યંચગતિમાં અનંત દુઃખ અપાવનારી આ સ્ત્રીઓના અંગો, ઉપાંગો, આભૂષણો આદિ અભિલાષાપૂર્વક સરાગ દષ્ટિથી દેખવું તે ચક્ષશીલ હેવાય. ૬િર૩, ૬૨૪] ઘાણકુશીલ તેને કહેવાય, જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગધ આવતી હોય તો નાક મચકોડે – દુર્ગધ કહે, શ્રવણશીલ બે ભેદે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન ક્રનાર. ઉદીપન ક્રનાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ, નાટક ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર, રતિશાસ્ત્ર આદિ શ્રવણ ક્રીને તેની આલોચના ન રે યાવતું તેનું પ્રાયશ્ચિત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણ કુશીલ જાણવો. તથા જીલ્લા કુશીલ અનેક પ્રકારે જાણવા. તે આ પ્રમાણે ક્કવા, તીખા, તુરા, મધુર, ખાટા, ખારા રસોનો સ્વાદ વો. ન દંખેલાં, ન સાંભળેલાં, આલોક-પરલોક ઉભયલોક વિરુદ્ધ દોષવાળા માર-જકારવાળા અપશબ્દોને ઉચ્ચારવા, અપયશ થાય તેવા ખોટાં આળ આપવાં, અછતાં ક્લંક ચડાવવા, શાસ્ત્ર જાણ્યા વિના ધર્મદેશનાની પ્રવૃત્તિ દ્રવી તે જિહા કુશીલ જાણવા. ભગવદ્ ! ભાષા બોલવાથી પણ શું કુશીલપણું થઈ જાય છે ? ગૌતમ ! હા, તેમ થાય છે. ભગવદ્ ! તો શું ધર્મદેશના ન કરવી ? ગૌતમ ! સાવધ-નિરવધ વયનોનો તફાવત જે જાણતો નથી. તેને બોલવાનો પણ અધિકાર નથી. તો પછી ધમદિશના ક્રવાનો તો અવાશ જ ક્યાં છે ? રિ૫] શરીર કુશીલ બે ભેદે જાણવા- ચેષ્ટાકુશીલ, વિભૂષા કુશીલ. તેમાં જે ભિક્ષ આ કૃતિ સમૂહના આવાસરૂપ પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ, સડવું-પડવુંનાશ પામવું એવા સ્વભાવવાળું અશુચિ, અશાશ્વત, સંસાર એવા શરીરને હંમેશા આહારદિથી પોષે, પંપાળે, તેવી શરીર ચેષ્ટા રે, પરંતુ સેંક્કો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન-દર્શનાદિ સહિત એવા શરીર વડે અત્યંત ઘોર વીર ઉગ્ર કષ્ટારી ઘોર તપ સંયમના અનુષ્ઠાનો ન આચરે તે ચેષ્ટા કુશીલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy