________________
૩-૫૮૬ થી ૫૮૯ ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ ક્વામાં ખેંચાયેલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે.
પિ©] આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ નવારનું વ્યાખ્યાન મહાવિસ્તારથી, અનંતગમ અને પર્યાયો સહિત સૂત્રથી ભિન્ન એવા નિયુક્તિ, ભાષ્ય, ચર્તિ દ્વારા અનંત જ્ઞાન-દર્શનધર તીર્થક્રો એ જે રીતે વ્યાખ્યા ક્રી હતી. તે રીતે સંક્ષેપથી કરાતું હતું. પરંતુ કાળની પરિહાની થવાના દોષથી તે નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂણિઓ વિચ્છેદ પામી. આવો સમય-કાળ વહી રહેલો હતો ત્યારે મહાઋદ્ધિ, લબ્ધિસંપન્ન, પદાનુસારી લબ્ધિધર વજસ્વામી નામક બાર અંગરૂપ શ્રુતના ધારક ઉત્પન્ન થયા તેમણે પંચમંગલ મહામૃત સ્કંધનો આ ઉદ્ધાર મૂળ સૂત્રની મધ્યે લખ્યો.
ગણધર ભગવંતોએ મૂળ સૂત્રને સૂકપણે, ધર્મતીર્થક્ર અરહંત ભગવંતોએ અર્થપણે જણાવ્યો. ત્રણ લોક્યી પૂજિત વીર જિનેન્દ્ર. આને પ્રપ્ય એવો વૃદ્ધ આચાર્યનો સંપ્રદાય છે.
પ૧] અહીં જ્યાં જ્યાં પદો પદોની સાથે જોડાયેલા હોય અને સળંગ સૂકાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રતધરોએ લહીયાઓએ ખોટું લખ્યું છે, એવો દોષ ન આપવો. પરંતુ જે કોઈ અચિંત્ય ચિંતામણી અને કલ્પવૃક્ષ સમન મહાનિશીથ શ્રુતસ્કંધની પહેલાંની લખેલ પ્રત હતી. તેમાં જે ઉધઈ આદિ જીવાતોથી ખવાઈને ટુકડાળી પ્રત બની ગઈ. ઘણાં પત્રો સડી ગયા તો પણ અત્યંત અતિશયવાળા મોટા અર્થથી ભરપૂર આ મહાનિશીથ શ્રુતસ્કંધ છે. તે સમગ્ર પ્રવચનના પરમ સારભૂત, શ્રેષ્ઠ મહત્વપૂર્ણ, મહા અર્થગર્ભિત છે.
એમ જાણીને પ્રવચનના વાત્સલ્યથી અનેક ભવ્યજીવોને ઉપકારક થશે તેમ માનીને તથા પોતાના આત્મહિતાર્થે હરિભદ્ર સૂરિએ જે આદર્શમાં દેખ્યું, તે સર્વે પોતાની મતિથી શુદ્ધિ ક્રીને લખ્યું છે. બીજા પણ આચાર્યો સિદ્ધસેન દિવાક્ર, વૃદ્ધવાદી, ચક્ષસેન, દેવગણ, યશોવર્ધન, ક્ષમાશ્રમણના શિષ્ય રવિકુમ, નેમિચંદ્ર, જિનદાસગણિ, ક્ષમક, સત્યર્ષિ આદિ યુગ પ્રધાન શ્રતધરોએ તેમને બહુમાન્ય રેલ છે.
પિ] ગૌતમ! પૂર્વે કહી ગયા તેમ વિનય ઉપધાન સહ પંચમંગલ મહાગ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માવા, બિંદુ, પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી. તેને હૃદયમાં સ્થિર પરિચિત ક્રી, મહાવિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું ?
ગૌતમ ! પછી “ઈરિયાવહિય' સૂત્ર ભણવું જોઈએ?
ગૌતમ ! આપણો આ આત્મા જ્યારે જ્યારે જવા-આવવાની ક્રિયાનાં પરિણામમાં પરિણત થયો હોય, અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને અનુપ્રયોગથી કે પ્રમાદથી સંઘટ્ટન, ઉપદ્રવ, ક્લિામણા ક્રીને પછી તેનું આલોચન, પ્રતિક્રમણ ક્રવામાં ન આવે અને સમગ્ર ર્ક્સના ક્ષય માટે ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈ પણ અનુષ્ઠાન ક્રવામાં આવે તે સમયે એકાગ્ર ચિત્તવાળી સમાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org