________________
૬૨
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
અને ભાવ એમ બે પ્રકારે પૂજા કહેલી છે. ચારિત્રાનુષ્ઠાન અને ક્ટવાળા ઉગ્ર ઘોર તપનું સેવન કરવું તે ભાવપૂજા. દેશવિરતિ શ્રાવક જે પૂજા-સત્કાર તેમજ દાન શીલાદિ ધર્મ સેવન કરે તે દ્રવ્યપૂજા. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે સમજવું–
[૫૧૭] ભાવપૂજા અપ્રમાદથી ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ પાલનરૂપ છે, જ્યારે દ્રવ્ય અર્ચન જિનપૂજારૂપ છે. મુનિ માટે ભાવ અર્ચન છે શ્રાવકો માટે બંને અર્ચન ક્યા છે. ભાવ અર્ચા પ્રશંસનીય છે.
[૫૧૮] ગૌતમ ! કેટલાંક શાસ્ત્રના પરમાર્થને ન સમજનાર અવસન, શિથિલ વિહારી, નિત્યવાસી, પરલોક્ના નુક્સાનને ન વિચારનાર, સ્વમતિ પ્રમાણે વ્રત ન
નારા, સ્વચ્છંદો, ઋદ્ધિ-રસ શાના ગારવાદિમાં આસક્ત બનેલા, રાગ-દ્વેષ, મોહઅહંકાર-મમત્વ આદિમાં અતિ રાગવાળા થયેલા સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાંગમુખ, નિરધ, નિર્લજ્જ પાપની ધૃણા વગરના, ણા રહિત, નિર્દય, પાપાચરણાં દાગ્રહ બુદ્ધિવાળો, એકાંતે અત્યંત ચંડ, રુદ્ર, ક્રુર અભિગ્રહો નાર મિથ્યાર્દષ્ટિઓ, સર્વ સાવધ યોગના પચ્ચક્ખાણ કરીને, સર્વ સંગ, આરંભ, પરિગ્રહથી રહિત થઈ, ત્રિવિધ ત્રિવિધે દ્રવ્યથી સામાયિક ગ્રહણ કરે છે, પણ ભાવથી ગ્રહણ કરતાં નથી. નામનું જ મસ્તક મુંડાવે છે, નામથી જ ઘર છોડે છે નામના જ મહા વ્રતધારી છે. શ્રમણ થયાં પછી પણ અવળી માન્યતા કરીને સર્વથા ઉન્માર્ગનું સેવન અને પ્રર્તન કરે છે, જેમ કે–
અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાર્જન, લિંપન, વસ્ત્ર, બલિ, ધૂપ આદિની પૂજા-સત્કાર કરીને હંમેશાં તીર્થની પ્રભાવના કરીએ છીએ ! એમ માનનારા ઉન્માર્ગ પ્રવર્તાવ છે. એ પ્રમાણે તેમના ફ્ક્તવ્યો સાધુધર્મને અનુરૂપ નથી. ગૌતમ ! વચનથી પણ તેમના આ ર્તવ્યની અનુમોદના ન કરવી.
ભગવન ! એક કેમ હ્યું કે વચનથી પણ દ્રવ્યપૂજાની અનુમોદના ન રવી ? ગૌતમ ! તેમના વચનાનુસાર અસંયમની બહુલતા અને મૂળગુણનો નાશ થાય, તેથી ર્મનો આશ્રવ થાય. વળી અધ્યાવસાય આશ્રીને સ્થૂલ તેમજ સૂક્ષ્મ શભાશુભ ર્મ પ્રકૃતિનો બંધ થાય, સર્વ આવધની રેલી વિરતિરૂપ મહાવ્રતનો ભંગ થાય, વ્રત ભંગ થવાથી આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગે. તેનાથી ઉન્માર્ગગામીપણું પામે, સન્માર્ગ લોપાય.
સાધુ માટે ઉનમાર્ગ પ્રવર્તન અને સન્માર્ગનો લોપ કરવો એ યતિઓને માટે મહાઆશાતના રૂપ છે, કારણ કે તેવી આશાતના કરનારને અનંતા કાળ સુધી ચારે ગતિમાં જન્મ મરણના ફેરા ફરવા પડે છે. આ કારણથી તેની વચનથી પણ અનુમોદના ન કરે.
[૫૧૯, ૫૨૦] દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બેમાં ભાવ સ્તવ ઘણાં ગુણવાળું છે. દ્રવ્ય સ્તવને ઘણાં ગુમવાળું વ્હેનારની બુદ્ધિ સમજદારીવાળી નથી. ગૌતમ ! છકાયના જીવોનું હિત થાય તેમ વર્તવું. આ દ્રવ્ય સ્તવ-ગંધ પુષ્પાદિથી પ્રભુભક્તિ રવી તે સમગ્ર પાપનો ત્યાગ ન કરેલ હોય તેવા દેશવિરતિ શ્રાવક્ને માટે યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org