SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 3 -પ૦૧ થી ૫૦૩ ૬૧ શ્રેષ્ઠ અક્ષરવાળું નામ છે. તે ત્રિભુવન બંધુ, અરિહંત, ભગવંત, જિનેશ્વર, ધર્મતીર્થોને જ છાજે છે. બીજાને નહીં. કેમકે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુપા, આતિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ, પ્રગટ કરેલ સમ્યગ્દર્શન અને ઉસિત પરાક્રમના બળને છૂપાવ્યા વિના ઉગ્ર ષ્ટદાયી, ઘોર દુર તપનું નિરંતર સેવન ક્રીને ઉંચા પ્રકારના મહાપુન્યસ્કંધ સમૂહને ઉપાર્જિત ક્રેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે. અનંતા કાળથી વર્તતા ભયોની પાપવાળી ભગવનાના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતીય તીર્થક્ર નામ ર્મ બાંધેલ, અતિ મનોહર, દેદીપ્યમાન, દશે દિશામાં પ્રકાશનાર, નિરૂપમ, ૧૦૦૮ લક્ષણો વડે સુશોભિત હોય છે. જગતમાં ઉત્તમ શોભાના નિવાસ માટેના વાસગૃહ સમાન અપૂર્વ શોભાવાળા તેમના દર્શન માત્રથી દેવો અને મનુષ્યો મનમાં આશ્ચર્ય અનુભવે છે. તથા નેત્ર અને મનમાં મહાન વિસ્મય તથા પ્રમોદ અનુભવે છે. તે તીર્થક્રો સમગ્ર પાપના મેલથી રહિત થયેલા હોય છે. સમચતુરઢ સંસ્થાન તથા વજ ઋષભ નારાય સંઘયણ યુક્ત, પરમ પવિત્ર અને ઉત્તમ શરીર ધારી હોય છે. [૫૦૪ થી પ૦૮] સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો દેવાંગના ઓના રૂપ, નંતિ, લાવણ્ય એ સર્વ એક્સ કરી, તેનો ઢગલો એક બાજુ ક્રાય અને બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગુઠાના અગ્રભાગને ક્રોડ કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ-દેવીના રૂપનો પિંડ સુવર્ણના મેરુ પાસે રાખના ઢગલાં જેવો શોભા રહિત દેખાય છે. અથવા આ જગતના સર્વે પુરુષોના બધાં ગુણો એકઠા ક્રાય તો તે તીર્થક્રનાં ગુણોના અનંતમાં ભાગે પમ ન આવે. સમગ્ર ત્રણે જગત એકઠાં થઇને એક દિશા ભાગમાં ત્રિભુવનમાં રહે, બીજી બાજુની દિશામાં તીર્થક્ય ભગવંત એક્લાંજ હોય તો પણ તેઓ ગુણમાં અધિક છે તે કારણે તેઓ પરમ પૂજ્ય છે, વંદનીય, પૂજનીય અરહંત છે. બુદ્ધિમતિવાળા છે માટે તે તીર્થક્રને ભાવથી નમસ્કાર, [પ૦૯ થી પ૧૩] લોમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે. તેની આજ્ઞાને તે પ્રદેશના લોકો માન્ય ક્રે છે. પણ પ્રામાધિપતિ અતિ પ્રસન્ન થયા હોય તો એક ગામમાંતી જેટલું આપે ? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુળ પરંપરાથી ચાલ્યું આવતું બધું દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રી પણાની, મંત્રી ચક્રવર્તીપણાની ચક્રવર્તી, સુરપતિપણાની અભિલાષા રે છે. દેવેન્દ્રો જગતના યથેચ્છિત સુખને દેનારા તીર્થ પણાની અભિલાષા રે છે. પિ૧૩, ૫૧] એનંત લક્ષ રાખીને અતિ અનુરાગપૂર્વક ઇન્દ્રો પણ જે તીર્થક્ર પદની ઇચ્છા રાખે છે, એવા તીર્થક્ય ભગવંતો સર્વોત્તમ છે, એમાં સંદેહ નથી. તેથી સમગ્ર દેવ, દાવન, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરેને પણ તીર્થક્રો પૂજય છે. ખરેખર તેઓ પાપનો નાશ ક્રનારા છે. [પ૧પ થી પ૧] ત્રણે લોક્મી પૂજાયેલ, જગતગુરુ એવા ધર્મ તીર્થોની દ્રવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy