SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-/૪૯૩ પારણે આયંબિલ. તે જ પ્રમાણે તેના અર્થને અનુસરનાર ૧૧-પદો યુક્ત ત્રણ આલાવા અને ૩૩અક્ષરપ્રમાણવાળી ચૂલિકા રૂપ-‘એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો. મંગલાણં ચ સવ્વુસિં, પઢમં હવઈ મંગલમં.' ત્રણ દિવસ એક એક પદની વાચના લેવી. છટ્ઠા, સાતમા, આઠમા દિવસે તે જ ક્રમ અને વિભાગથી આયંબિલ પૂર્વક પઠન કરવું. એ પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધ સ્વર, વર્ણપદ, સહિત, પદ-અક્ષર-બિંદુ માત્રાથી વિશુદ્ધ મોટા ગુણવાળા, ગુરુએ ઉપદેશેલ, વાચના આપેલ તેને સમગ્રપણે ભણીને તૈયાર કરવો કે જેથી પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વીએ જીભના અગ્રભાગે બરાબર યાદ રહી જાય. પછી પૂર્વોક્ત તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબળના શુભ સમયે જીવ-જંતુ રહિત ચૈત્યાલયના સ્થાનમાં, તેને અનુજ્ઞાવિધિ કરાવીને હે ગૌતમ! મોટા પ્રબંધ અને આડંબર સહિત અતિ સ્પષ્ટ વાચના સાંભળીને તેને બરાબર અવધારવી. આ વિધિથી પંચમંગલના વિનય -ઉપધાન કરવા જોઈએ. ૫૭ [૪૪] ભગવન ! શું આ ચિંતામણી ક્લ્પવૃક્ષ સમાન પંચ મંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે ? હે ગૌતમ ! આ અચિંત્ય ચિંતામણી ક્લ્પવૃક્ષસમ મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે જેમ તલમાં તેલ, ક્મલમાં મદ, સર્વલોક્માં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ વિશે સમગ્ર આગમમાં યથાર્થ ક્રિયા વ્યાપીને રહેલી છે. સર્વભૂતોના ગુણો સ્વભાવોનું ક્શન રેલું છે. તે પરમ સ્તુતિ કોની ? આ સર્વ જગતમાં જે કોઈ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ઉત્તમ થયા હોય તે સર્વે સ્તુતિ કરવા યોગ્ય છે. તેવા સર્વોત્તમ અને ગમવાળા હોય તો માત્ર અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય કોઇ સર્વોત્તમ નથી. તેઓ- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છે. આ પંચ પરમેષ્ઠિઓમાં યથાર્થ ગુણસદ્ભાવ હોય તો આ પ્રમાણે જણાવેલો છે (૧) મનુષ્યો, દેવો, અસુરોવાળા આ સર્વ જગતને આઠ મહાપ્રાતિહાર્યો આદિના પૂજાતિશયથી ઓળખાતા અસાધારણ, અચિંત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ ઉત્તમતાને વરેલા હોવાથી અહંત (૨) સર્વ કર્મક્ષય પામેલા હોવાથી ભવાંકુર સમગ્રપણે બળી ગયેલ હોવાથી ફરી તેમને આ સંસારમાં ઉત્પન્ન થવાનું નથી. તેથી અનુ ંત (૩) અતિ દુઃખ કરી જેના ઉપર જીત મેળવી શકાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિર્મથન કરી હણી નાંખ્યા છે, નિર્દલન કરી નાંખ્યા છે, અંત ર્યો છે, પરાભવ ર્યો છે, તે કારણે તેઓ અતિ કહેવાય છે. આ રીતે અત્યંત ની અનેક પ્રકારે વ્યાખ્યા રાય છે. પ્રજ્ઞાપના કરાય છે. પ્રરૂપણા રાય છે. હેવાય છે. ઉપદેશાય છે. તથા સિદ્ધ ભગવંતો પરમાનંદ મહોત્સવમાં મહાલતા, મહાક્લ્યાણને પામેલા, નિરૂપમ સુખને ભોગવતા, નિપ શુક્લ ધ્યાનાદિના અચિંત્ય સામર્થ્યથી, સ્વજીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy