SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પંચમંગલનું ઉપધાન ક્રવું. ]િ ભગવન ! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન ક્રવું? ગૌતમ! અમે તે વિધિ આગળ જણાવીશું. અતિ પ્રશસ્ત તેમજ શોભન તિથિ, ણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબલ, હોય જેના શ્રદ્ધા સંવેગ નિઃશંક અતિશય વૃદ્ધિ પામેલા હોય. અતિતીવ ઉલ્લાસ પામતા, શુભાધ્યવસાય સહિત પૂર્ણ ભક્તિ-બહુમાન સહ કોઈજ આલોકપરલોક્ના ફળની ઇચ્છા રહિત સળંગ પાંચ ઉપવાસના પચ્ચખ્ખાણ ક્રીને જિનમંદિરમાં અચિત્ત જગ્યામાં રહીને જેનું મસ્તક ભક્તિપૂર્ણ બનેલ છે. હર્ષથી રોમાંચિત, નયન કમળ વિકસિત થયેલ શાંત-સૌમ્ય-સ્થિર દૃષ્ટિવાળો, હૃદયમાં સંવેગની છોળો ઉછળી રહી છે તેવો, અતીતીવ ઉલ્લાસથી, અનેક ધન આંતરરાહિત, અચિંત્ય પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત, વીર્ય યોગે સમયે સમયે વૃદ્ધિ પામતા, હર્ષપૂર્ણ-શુદ્ધ-નિર્મળ-નિશ્ચલ હૃદયવાળા સ્થાપિત એવી શ્રી ઋષભાદિ તીર્થક્ર પ્રતિમા વિશે સ્થાપના રેલ નયન ને મનવાળો, એકાગ્ર પરિણામી, આરાધક આત્મા શાસ્ત્રજ્ઞ, દઢ ચારિત્રી, ગુણવાન, યોગ્ય શબ્દોચ્ચારથી અનુષ્ઠાન ક્રાવવાના અદ્વિતીય લક્ષ્યવાળા ગુરુના વચનને અબાધક, વિનયાદિ બહુમાન પ્રાપ્ત, શો-સંતાપાદિ રૂપ સર્વે દુષ્ટ શ્વાયદથીયુક્ત ભવસમુદ્રમાં નાવ સમાન, આગમ શાસ્ત્ર મધ્યે વર્તતા - ૪– એવા પંચમંગલ મહાભૃતધવાળા પાંચ અધ્યયન અને એક ચૂલિાવાળા, પ્રવચન દેવતાધિષ્ઠિત એવા જે ત્રણ પદ, એક આલાવાયુક્ત અને સાત અક્ષર પ્રમાણ, અનંતગમ પર્યાયને જણાવનાર સર્વ મહામંત્રી અને શ્રેષ્ઠ વિધાઓના પરમ બીજભૂત “નમો અરિહંતાણં' એવા પ્રકારનું પહેલું અધ્યયન વાચનાપૂર્વક ભણવું જોઈએ. પાંચ ઉપવાસ ક્યાં પછી પહેલાં અધ્યનની વાચના લીધા પછી તે દિવસે આયંબિલ તપથી પારણું ક્રવું જોઈએ. તે જ પ્રમાણે બીજા દિવસે અથત સાતમા દિવસે અનેક ગુણસંપદાયુક્ત પૂર્વોક્ત અર્થને સાધી આપનાર પૂર્વોક્ત ક્રમે બે પદયુક્ત એક આલાવો, પાંચ અક્ષર પ્રમાણ નમો સિદ્ધાણં એ બીજા અધ્યયનને ભણવું, તે દિવસે આયંબિલથી પારણું રે. એ પ્રમાણે પૂર્વોક્ત અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો, સાત અક્ષર પ્રમાણ “નમો આયરિયાણં' એવા ત્રીજા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ ક્રવું. તથા આગળ હેલા અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો અને સાત અક્ષર પ્રમાણ નમો ઉવઝાયાણં એવા ચોથા અધ્યયનનું પઠન ક્રવું, પારણે આયંબિલ ક્રવું. એ જ પ્રમાણે ચારપદ યુક્ત એક આલાવા ને નવ અક્ષર પ્રમાણ “નમો લોએ સવ્વસાહૂણં' એવા પાંચમાં અધ્યયનની વાચના લઇને ભણવું, તેમાં દશમાં દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy