________________
પપ
3-૯૨
આગળ સર્વોત્તમ ૧૭ પ્રકરે સંયમાનુષ્ઠાન પાલન ક્રવાને બદ્ધલક્ષણપણું પ્રાપ્ત થાય. સર્વોત્તમ સત્ય વાણી બોલવી, છકાય જીવોનું હિત, પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ છુપાવ્યા વિના મોક્ષ માર્ગ સાધનામાં કટિબદ્ધ થયેલ, સ્વાધ્યાયધ્યાનરૂપી જળ વડે પાપદ્મ રૂપી મલના લેપને ધોનારો થાય છે. વળી અગ્નિનતા, પરમ પવિત્રતા યુક્ત, સર્વ ભાવ યુક્ત, સુવિશુદ્ધ સર્વ દોષ રહિત, નવગુતિ સહિત ૧૮ પ્રકારના અબ્રહ્મનો ત્યાગ ક્રનાર થાય છે.
ત્યાર પછી આ સર્વોત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા, તપ, સંયમ, સત્ય, શોચ, આચિન્ય, અતિ દુર્ધર, બ્રહ્મવત ધારણ ક્રવું, ઇત્યાદિ શુભ અનુષ્ઠાનોથી સર્વ સમારંભનો ત્યાગ ક્રવાર થાય છે. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ સ્થાવર જીવો બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા જીવોનું તથા અજીપકાયના સંરંભ, સમારંભ, આરંભને મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધ શ્રોત્રાદિ ઇંદ્રિયોના વિષયોના સંવરપૂર્વક આહરાદિ ચાર સંજ્ઞાઓનો ત્યાગ ક્રીને પાપોને વોસિરાવે છે.
પછી નિર્મળ ૧૮૦૦૦ શીલાંગ ધાર નાર હોવાથી અસ્કિત, અખંડિત, અમલિન, અવિરાધિત, સુંદર ઉગ્ર-ઉગ્રતર, આશ્ચર્ય ઉત્પન્ન કરનાર અભિગ્રહોનો નિર્વાહ કનાર થાય છે. પછી દેવ, મનુષ્ય, તિર્યચે રેલા ઘોર પરીષહ ઉપસર્ગોને સમભાવે સહન ક્રવાર થાય છે. પછી અહોરાબાદિ પ્રતિમા વિશે મહાપ્રયત્ન ક્રનાર થાય છે. પછી શરીરની મમતાં વગરનો થાય છે. શરીર નિપ્રતિર્મપણાવાળો થવાથી શુક્લ ધ્યાનમાં અડોલપણું પામે છે.
પછી અનાદિ ભવ પરંપરાથી એક્કા રેલા સમગ્ર આઠ પ્રકારના કર્મરાશિનો ક્ષય ક્રનાર બને ચે. ચારે ગતિ રૂપ ભવના કેદખાનામાંથી બહાર નીકળી, સર્વ દુઃખથી વિમુક્ત બની, મો9માં ગમન ક્રનારો થાય છે. ત્યાં હમેશાં જન્મ-જરા-મરણઅનિષ્ટ સંયોગ-ઇષ્ટ વિયોગ-સંતાપ-ઉદ્વેગ-અપયશ-વેદના આદિ દુઃખો હોતા નથી. ત્યાં એકાંતિક, આત્યંતિક, નિરુપદ્રવતાવાળું, મળેલું ફરી ચાલ્યું ન જાય તેવું, અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરંતર, સર્વોતમ સુખ મોક્ષમાં હોય છે.
આ સર્વ સુખનું મૂળ કારણ જ્ઞાન છે. જ્ઞાનથી જ પ્રવૃત્તિ શરૂ થાય છે. એíતિક, આત્યંતિક, પરમ શાશ્વત સુખેચ્છએ પહેલા તો સાદર સામાયિક્ટી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન કલગ્રહણ વિધિ સહિત, આયંબિલાદિ તપ, શાસ્ત્રોક્ત વિધિથી વહેવા. હિંસાદિ પાંચને ત્રિવિધ ત્રિવિધે ત્યાગ ક્રીને પાપનું પ્રતિક્રમણ કરીને સૂત્રોના સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષર, હિનાધિક ન બોલાય તેમ પદચ્છેદ દોષ, ગાથાબદ્ધ ક્રમસર, પૂર્વાનુપૂર્વી આદિ યુક્ત જ્ઞાન એíતે સુંદર સમજવું.
ગૌતમ! અનાદિ-અનંત, અપાર, અતિ વિશાળ એવા સ્વયં ભૂરમણ સમુદ્રવત દુરવગાહ, અને સર્વ સુખના હેતુભૂત એવા આ જ્ઞાન સમુદ્રને પાર પામવા ઇષ્ટદેવતાને નમસ્કાર ક્રવો જોઈએ, તે વિના પાર ન પામી શકય. ગૌતમ ! તે ઇષ્ટદેવ એટલે નવક્ષર અર્થાત પંચમંગલ. તે સિવાય કોઇ ઇષ્ટ દેવ મંગલ સ્વરૂપ નથી. માટે પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org