SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ શસ્ત્રોના અર્થો ક્થન કરવા-રાવવા, તે અપ્રશસ્ત જ્ઞાન કુશીલ. આ પ્રમાણે પાપ શ્રુતોની વાચના-વિચારણા-પરાવર્તન, તેનું શોધ-સંશોધન, તેનું શ્રવણ એ અપ્રશસ્ત જ્ઞાન કુશીલ, [૪૮૯] તેમાં સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ પણ બે પ્રકારે છે – આગમથી, નોઆગમથી. આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચે જ્ઞાનની કે તે જ્ઞાનીની આશાતના નાર તે સુપ્રશસ્તજ્ઞાન કુશીલ. [૪૯૦] નોઆગમથી સુપ્રશસ્ત જ્ઞાનશીલ આઠ ભેદે જાણવા તે આ પ્રકારેઅકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે-ભણાવે. અવિનયથી સુપ્રશસ્તજ્ઞાન ગ્રહણ રે-રાવે. તેને અબહુમાનથી ભણે, ઉપધાન ર્યા વિના ભણે, જેની પાસે સૂત્રાર્થ ભણ્યા હોય તેને છૂપાવે. તે સ્વર-વ્યંજન રહિત કે હીનાધિક અક્ષર ભણે-ભણાવે. સૂત્ર-અર્થતદુભય વિપરીત પણે ભણે-ભણાવે. સંદેહવાળા સૂત્રાદિ ભણે-ભણાવે તે આઠ ભેદ. [૪૯૧] આ આઠે પ્રકારના પદોને જે કોઈ ઉપધાન વહન ર્યા વિના સુપ્રશસ્ત જ્ઞાન ભણે કે ભણાવે કે ભણતા-ભણાવતાને સારા માની અનુમોદે. તે મહાપાપી સુપ્રશસ્ત જ્ઞાનની મહા આશાતના કરનારો થાય છે. [૪૯૨] ભગવન્ ! જો એમ છે તો શું પંચમંગલના ઉપધાન વા જોઈએ ? ગૌતમ ! પહેલું જ્ઞાન-પછી દયા એટલે સંયમ અર્થાત્ જ્ઞાનથી ચાસ્ત્રિ-દયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો, પ્રાણો, ભૂતો, સત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. તેથી બીજા જીવોને સંઘટ્ટન રવા, પરિતાપના-ક્લિામણાઉપદ્રવાદિ દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ આપવા ઇત્યાદિથી દૂર રહેનાર થાય છે. એમ કરવાથી ર્મનો આશ્રવ થતો નથી. તેનાથી કર્મ આવવાના કારણભૂત આશ્રવ દ્વારો બંધ થાય છે તેથી ઇંદ્રિય દમન ઉપશમ થાય. તેનાથી શત્રુ-મિત્રમાં સમાનભાવ સહિતપણું થાય છે. શત્રુમિત્ર પ્રત્યે સમાનભાવથી રાગ દ્વે, રહિત પણું, તેનાથી ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા થવાથી ક્યાય રહિતપણું પ્રાપ્ત થાય. તેનાથી સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેનાથી અજ્ઞાન, મોહ, મિથ્યાત્વનો ક્ષય થાય છે. તેથી વિવેક આવે. વિવેક્થી હેય ઉપાદેય પદાર્થોની યથાર્થ વિચારણા તેમજ એકાંત મોક્ષ માટે દૃઢ નિશ્ચય થાય છે. તેથી અહિતનો પરિત્યાગ અને હિતનું આચરણ થાય તેવા કાર્યમાં અતિશય ઉધમ કરનારો થાય. પછી ઉત્તરોત્તર પરમાર્થ સ્વરૂપ પવિત્ર ઉત્તમ-ક્ષમાદિ દશ પ્રારનો અહિંસા લક્ષણ ધર્માનુષ્ઠાન કરવા અને કરાવવામાં એકાગ્ર અને આસક્ત ચિત્તવાળો થાય છે. પછી અહિંસા લક્ષણાદિ ધર્મનું અનુષ્ઠાનોનું સેવન વારાવવાનું. તેમાં એકાગ્રતા અને આસક્ત ચિત્ત આત્માને સર્વોત્તમ એવી ક્ષમામૃદુતા-સરળતા તથા બાહ્ય ધન, સુવર્ણાદિ પરિગ્રહ અને કામ ક્રોધાદિ અત્યંતર પરિગ્સ સ્વરૂપ સર્વ સંગનો પરિત્યાગ થાય. સર્વોત્તમ એવા અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્સ્ટવાળા તપ અને ચરણના અનુષ્ઠાનોમાં આત્મ રમણતા અને પરમાનંદ પ્રગટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy