SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ૬-૧૦૨૦ થી ૧૦૨૪ - ગૌતમ ! અનેક કોડો વર્ષથી એઠાં કરેલા પાપકર્મો સૂર્યથી જેમ હીમ ઓગળી જાય તેમ પ્રાયશ્ચિરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધારવાળી રાત્રિ હોય, પણ સૂર્યના ઉદયથી અંધશ્નર ચાલ્યો જાય, તે પ્રાયશ્ચિતરૂપી સૂર્યથી પાપરૂપી અંધકાર ચાલ્યા જાય છે પરંતુ પ્રાયશ્ચિત ક્રનારને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રમાણે શાસ્ત્રમાં ધેલ હોય એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર પરાક્રમને છૂપાવ્યા વિના અશઠભાવથી પાપ શલ્યનો ઉદ્ધાર કવો. બીજું સર્વથા આ પ્રમાણે પ્રાયશ્ચિત ક્રી તે પણ જે આ પ્રમાણે બોલતો નથી. તેણે શલ્યનો થોડો પણ કદાચ ઉદ્ધાર ક્ય હોય તો પણ તે લાંબો કાળ ચારે ગતિમાં ભ્રમણ ક્રે છે. [૧૦૨૫ થી ૧૦૨૭] ભગવન! આલોચના કોના પાસે ક્રવી ? પ્રાયશ્ચિત કોણ આપી શકે ? પ્રાયશ્ચિત કોને આપી શકાય ? ગૌતમ ! સો યોજન દૂર જઈને પણ વળી પાસે શુદ્ધ ભાવથી આલોચના કરી શકાય. કેવળ જ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવિધજ્ઞાની પાસે, તેના અભાવમાં મતિ-શ્રુત જ્ઞાની પાસે, જેના જ્ઞાન અતિશય વધુ નિર્મળ હોય, ચડીયાતા હોય તેમની પાસે આલોચના દેવાય. [૧૦૨૮ થી ૧૦૩૦] જે ગુરુ ઉત્સર્ગમાર્ગની પ્રરૂપણા ક્રતા હોય, ઉત્સર્ગમાર્ગે પ્રયાણ ક્રતા હોય, ઉત્સર્ગમાર્ગની રુચિ ક્રતા હોય, ઉપશાંતા સ્વભાવી હોય, ઈન્દ્રિયોનું દમન ક્રનારા હોય, સંયમી હોય, તપસ્વી હોય, સંમિતિ ગુમિની પ્રધાનતાવાળા હોય, દેટ ચારિત્રના પાલક હોય, અસઠ ભાવવાળા હોય, તેવા ગીતાર્થે ગુરુની પાસે પોતાના અપરાધો નિવેદન વા,પ્રગટ ક્રવા અને પ્રાયશ્ચિત સ્વીકારવું. પોતે આલોચના ક્રવી કે બીજા પાસે ક્રાવવી. તેમજ હંમેશા ગુરુ મહારાજે કહેલ પ્રાયશ્ચિતનુસાર પ્રાયશ્ચિત આચરે. [૧૯૩૧ થી ૧૦૩૫] ભગવન ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત ક્રતું હોય ? પ્રાયશ્ચિત લાગવાના સ્થાનો કેટલાં અને ક્યાં ક્યાં? તે કહો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્કૂલના થવાથી આવેલા પ્રાયશ્ચિત જતાં સંયતી સાધ્વીને તેના પ્રતાં નવગણું પ્રાયશ્ચિત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના રે તો સો ગણું પ્રાયશ્ચિત આવે કેમ કે સામાન્યથી તેની યોનિના મધ્યભાગે નવલાખ પંચેન્દ્રિય જીવો નિવાસ ક્રીને રહેલાં હોય છે. તે સર્વને કેવલી ભગવંતો જુએ છે.તે જીવોને માત્ર કેવલજ્ઞાનથી જોઈ શકાય છે, અવધિજ્ઞાની દેખે પણ મન:પર્યવજ્ઞાની દેખી ન શકે. [૧૦૩] તે સાધ્વી કે કોઈ પણ સ્ત્રી પુરુષના સંસર્ગમાં આવે તો પાણીમાં જેમ તલ પીલાય તેવી રીતે તે યોનિમાં રહેલા સર્વે જીવો રતિક્રીડામાં મદોન્મત થાય ત્યારે યોનિમાં રહેલાં પંચેન્દ્રિય જીવોનું મથન થાય છે. ભસ્મીભૂત થાય છે. [૧૦૩૭ થી ૧૦૪૧] સ્ત્રીઓ જ્યારે ચાલે છે, ત્યારે તે જીવોગાઢ પીડા પામે છે, પેશાબ ક્રે છે, ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy