SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નિશીથછેદસૂત્ર - સૂત્રાનુવાદ ઉદ્દેશો-૧૪ · નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૮૬૩ થી ૯૦૪ એટલે કે કુલ-૪૧ સૂત્રો છે, તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે, જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પણ કહે છે. ૬૨ • પ્રત્યેક સૂત્રને અંતે આ ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય જોડી દેવું. [૬૩] જે સાધુ-સાધ્વી પાત્ર ખરીદે, ખરીદાવે, ખરીદીને લાવેલું કોઈ આપે તે લે કે લેનારને અનુમોદે. [૮૬૪] જે સાધુ-સાધ્વી પાત્ર ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લાવેલું કોઈ આપે તે લે કે લેનારને અનુમોદે. [૮૬૫] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ અન્ય પાત્ર સાથે બદલે, બદલાવડાવે, બદલેલ કોઈ આપે તે લે, લેનારને અનુમોદે. [૬૬] જે સાધુ-સાધ્વી છીનવેલું, અનિસૃષ્ટ, અભ્યાહતપાત્ર કોઈ આપે તો લે, લેનારની અનુમોદના કરે. [૮૬૭] જે સાધુ-સાધ્વી ગણીના નિમિત્તે અધિક પાત્ર લઈ ગણીને પૂછ્યા વિના કે નિમંત્ર્યા વિના બીજાને આપે કે અનુમોદે. [૬૮] જે સાધુ બાળ સાધુ-સાધ્વી માટે કે વૃદ્ધ સાધુ-સાધ્વી જેના હાથ, પગ, કાન, નાક, હોઠ છેદાયા નથી. અશક્ત છે, તેને અતિરિક્ત પાત્ર રાખવા અનુરૂપ દે કે દેનારને અનુમોદે. [૮૬૯] જે સાધુ ઉપરોક્ત બાળઆદિમાં જેના હાથ-પગ ચાહિ છેદાયા છે. તેવા અશક્તને વધુ પાત્ર રાખવા અનુજ્ઞાન આપે કે ન આપનારને અનુમોદે. [૮૦] જે સાધુ-સાધ્વી ખંડિત, અસ્થિર, અધેવ, અધારણીય પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે. [૮૭૧] જે સાધુ-સાધ્વી અખંડિત સ્થિર, ધ્રુવ, ધારણીય પાત્રને ધારણ ન કરે કે ધારણ ન કરનારને અનુમોદે. [૮૭૨, ૮૭૩] જે સાધુ-સાધ્વી સારા વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે કે નારને અનુમોદે અથવા વિવર્ણ પાત્રને સારા વર્ણવાળા કરે કે નારને અનુમોદે. [૮૪ થી ૮૭૭] જે સાધુ-સાધ્વી મને નવું પાત્ર મળતું નથી' એવું વિચારી ઘણાં દિવસ સુધી અહીં હેલાં ચાર દોષ સેવે કે સેવનારની અનુમોદના કરે :[૮] પાત્રને થોડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે વારંવાર ધ્રુવે. [૮૫] પાત્રને સાથે રાખેલા અચિત્ત શીત કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે વારંવાર ધ્રુવે. [૮૭૬] પાત્રને થોડાં કે ઘણાં લોધ્ર, ક્ચ્છ, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે વારંવાર લેપ કરે. [૮૭૭] રાત્રે રાખેલા લોધ્રાદિથી એક કે અનેક્વાર લેપ રે. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy