SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧૮૫ 33 [૧૮૫] જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિહાર કરતા પોતાના માથાને ઢાંકે કે ઢાંક્નારને અનુમોદે. [૧૮૬] જે સાધુ-સાધ્વી શણ ઉન કે સુતર કે તેવા પદાર્થમાંથી વશીકરણનો દોરો બનાવે કે બનાવનારની અનુમોદના કરે. [૧૮૭] જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના મુળ સ્થાનમાં, ઘરના પ્રમુખદ્વાર સ્થાનમાં, ઘરના ઉપદ્વાર સ્થાનમાં, દ્વારના મધ્ય સ્થાનમાં, ઘરના આંગણામાં, ઘરની પરિશેષ ભૂમિમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે. [૧૮૮] જે સાધુ-સાધ્વી મૃતગૃહમાં, મૃતઘ્ની રાખવાળા સ્થાનમાં મૃતક્ના સ્તૂપ ઉપર, મૃતક્ના આશ્રય સ્થાને, મૃતક્ના લયનમાં, મૃતની સ્થળભૂમિમાં કે સ્મશાનની ચોતરફ મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે. [૧૮૯] જે સાધુ-સાધ્વી કોલસા બનાવવાના સ્થાને, ક્ષારાદિ બનાવવાના સ્થાને, પશુને ડામ દેવાના સ્થાને, ઘાસ સળગાવવાના સ્થાને, ભૂસું સળગાવવાના સ્થાને, મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૯૦] જે સાધુ-સાધ્વી નવી હળ ચલાવેલ ભૂમિમાં, નવી માટીની ખાણમાં, જ્યાં લોકો મળ-મૂત્રાદિ તજતાં હોય કે ન તજતાં હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. [૧૯૧] જે સાધુ-સાધ્વી ઘણાં કાદવ કે ઓછા પાણીવાળા સ્થાનમાં, કીચડના સ્થાનમાં કે ફૂગવાળા સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના રે. [૧૯૨] જે સાધુ-સાધ્વી ગૂલર, વડ, પીપળાદિના ફળ સંગ્રહ વાના સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. [૧૯૩] જે સાધુ-સાધ્વી પાંદડાવાળી ભાજી, બીજા શાક, મૂળ, કોથમીર, વનસ્પતી, કોસ્તુભ, જીરુ, દમનક, મરુક વનસ્પતિ વિશેષતા સંગ્રહ સ્થાને કે ઉત્પન્ન થનાર વાડીમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૯૪] જે સાધુ-સાધ્વી શેરડી, ચોખા, સુંભ કે ક્પાસના ખેતરમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. [૧૯૫] જે સાધુ-સાધ્વી અશોક-સપ્તપર્ણ-ચંપક-આમના વનમાં કે બીજા કોઈ વનમાં જે પુત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. [૧૯૬] જે સાધુ-સાધ્વી રાત્રે કે વિકાલે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલા પરઠવે કે પરઠવનારને અનુમોદે. ઉક્ત કોઈપણ દોષ સેવનારને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહે છે. નિશીથસૂત્ર-ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂત્રાનુવાદ પૂર્ણ 29 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy