SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૧૦૨ ૧ જો આ સુચરિત, નિયમ, બ્રહ્મચર્ય પાલનનું કોઈ ક્લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આવા પ્રકારના ઔદારિક માનુષિક ભોગો ભોગવતા વિચરીએ. કેટલાક સાધુઓએ વિચાર્યું કે અરે ! આ ચેલણા દેવી મોટી ઋદ્ધિવાળી છે. યાવત્ ઘણી સુખી છે. તે સ્નાન રી, બલિર્મ કરી, યાવત્ બધા અલંકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાની સાથે ઔદારિક માનુષિક ભોગોને ભોગવતી વિચરી રહી છે. અમે દેવલોક્ની દેવી તો જોઈ નથી. પણ અમારે તો આ ચેલણા જ સાક્ષાત દેવી છે. જો અમારા સુચરિત તપ, નિયમ, બ્રહ્મચર્યનું કોઈ ક્લ્યાણકારી ફળ વિશેષ હોય તો ભવિષ્યમાં અમે પણ આવા ભોગોને ભોગવનારા થઈએ. એમ કેટલાક સાધુ સાધ્વીએ સંક્લ્પ ર્યો. [૧૦૩] શ્રમણ ભગવંત મહાવીરે ઘણા નિગ્રન્થ-નિગ્રન્થીને આમંત્રિત કરીને આ પ્રમાણે કહ્યું પ્રશ્ન હે આર્યો ! શ્રેણિક રાજા અને યેલણા દેવીને જોઈને આવા પ્રકારનો - અધ્યવસાય યાવત્ વિચાર ઉત્પન થયો કે અહો ! શ્રેણિક રાજા મહર્ક્ટિક છે યાવત્ આ શ્રેષ્ઠ થશે ? અહો ! ચેલણા દેવી મહર્ક્ટિક છે સાવત્ આ શ્રેષ્ઠ થશે ? હે આર્યો ! શું આ વૃતાંત યથાર્થ છે ? ઉત્તર હા, ભગવંત ! આ વૃત્તાંત યથાર્થ છે. . હૈ આયુષ્યમાન શ્રમણો ! મે ધર્મનું નિરૂપણ કરેલ છે. આ નિગ્રન્થ પ્રવયન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, પ્રતિપૂર્ણ છે, અદ્વિતીય છે, શુદ્ધ છે, ન્યાય સંગત છે, શલ્યોનો સંહાર કરનારું છે. સિદ્ધિ-મુક્તિ-દિર્યાણ અને નિર્વાણનો માર્ગ છે. આ જ યથાર્થ છે. સદા શાશ્વત છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો આજ માર્ગ છે. - આ સર્વજ્ઞ પ્રજ્ઞપ્ત ધર્મના આરાધક સિદ્ધ, બુર્દ, મુક્ત થઈને નિર્વાણ પ્રાપ્ત થાય છે. સર્વે દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિગ્રન્થ વલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને આરાધના કરતા ભુખ-તરસ, ઠંડી-ગરમી આદિ અનેક પરિગ્રહ અને ઉપસર્ગોથી પીડિત થતા પણ કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય અને તે ઉદિત કામવાસનાના શમન માટે પ્રયત્ન કરતો હોય ત્યારે વિશુદ્ધ માતા-પિતાના પક્ષના ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજકુમારને આવતા-જતા જુએ. તેમાંથી કોઈના ઘરમાં પ્રવેશ કરતા કે નીકળતી વખતે છત્ર ઝારી આદિ ગ્રહણ રેલા અનેક દાસ-દાસી, નોર અને ર્મ પુરૂષો આગળ-આગળ ચાલતા હોય. ત્યારપછી તે રાજક્મારની આગળ ઉત્તમ અશ્વ, બંને બાજુ ગજરાજ અને પાછળ-પાછળ શ્રેષ્ઠ સુસજ્જિત રથ ચાલતો હોય, અને તે અનેક પગે ચાલનારા પુરૂષોથી ઘેરાયેલો રહેતો હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy