SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ દશાશ્રુતસ્કંધ-છેદસૂરા-૩ પ્રમાણે રીશું. - આ પ્રશ્નરે શ્રેણિક રાજાને આજ્ઞાને તેઓએ વિનયપૂર્વક સાંભળી ત્યાર પછી રાજમહેલથી નીળ્યા. રાજગૃહના મધ્યભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા. બગીચો યાવત્ ઘાસના ગોદામમાં રાજા શ્રેણિક્તા સેવક અધિકારીને તેઓએ આ પ્રમાણે કહ્યું - તે બધું પૂર્વવત જણાવવું. - યાવત - શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ જ્હો, તમારા માટે પણ આ વાત હર્પારી બને. એ પ્રમાણે બે, ત્રણ વખત કહ્યું. ત્યાર પછી તેઓ જે દિશાથી આવ્યા હતા. તે તરફ પાછા ચાલ્યા. [૧૬] તે કાળે અને તે સમયમાં પંચયામ ધર્મપ્રર્વતક તીર્થકર ભગવંત મહાવીર ચાવતુ ગ્રામાનુગ્રામ વિચરતા યાવત આત્મ સાધના ક્રતા ગુણશીલ ચેત્યમાં પધાર્યા. તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોમાં થઈને યાવત પર્ષદા નગરની બહાર નીકળી યાવત્ પ્રભુને પર્યાપાસના ક્રવા લાગી. તે સમયે શ્રેણિક રાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. તેમણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા ક્રી વંદન, નમસ્કાર ક્ય, પછી પરમાત્માનું નામ અને ગોત્ર પૂછળ્યા અને તેને હૃદયમાં ધારણ ક્ય. ત્યાર પછી તેઓ એવંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત ક્રી કે- હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભીસા જેઓના દર્શનની ઇચ્છા સ્પૃહા તથા અભિલાષા રે છે, તથા જેમની ગોત્ર સાંભળીને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ - યાવત્ - પ્રસન્ન થાય છે. તે આદિક્ર તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર - યાવત - સર્વજ્ઞ - સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલા છે – સમોસર્યા છે. આ જ સજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમથી આત્માને ભાવિત જતા રહેલા છે. હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજાને આ વૃતાંત હો કે “તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ. એ પ્રમાણે તેઓએ પરસ્પર આ વચન સાંભળ્યું સ્વીકાર્યું. ત્યાથી તે સેવક અધિકારી રાજગૃહી નગરમાં આવ્યા - યાવત - આ પ્રમાણે બોલ્યા કે – “ હે સ્વામી ! જેના દર્શનની આપ ઇચ્છા ક્રો છો તે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ચૈત્યમાં - યાવત - બિરાજીત છે. તેથી હે દેવાનુપ્રિય ! અમે આપને આ વાતનું નિવેદન ક્રીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ. ]િ તે સમયે શ્રેણિક રાજા તે પુરૂષો પાસે આ સંવાદ સાંભળી અવધારી, હદયથી હર્ષિત અને સંતુષ્ટ થયા. - યાવતુ - તે સિંહાસન થકી ઉઠ્યા. ઉઠીને પછી જેમ ઉવવાઈ સૂત્રમાં ક્રેણિક અધિક્ષર હેલ છે, તે પ્રમાણે વંદન, નમસ્કાર ક્ય. પછી તે સેવક પુરૂષોના સત્કાર અને સન્માન ક્ય. પ્રિતીપૂર્વક આજીવિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy