________________
પ/ર૧૮ થી ૨૨૬
૩૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
wહાવાને ઉપયોગી જળપૂર્ણ કળશ હાથમાં લઈને ગીતગાન કરતી રહે છે.
હધે પશ્ચિમચકમાં રહેલની વક્તવ્યતા - સૂત્ર પૂર્વવતું. વિશેષ એ કે - તે પશ્ચિમ દિશાભાણવર્તી રુચકવાસીની કહેવી. તેમના નામો પધથી આ પ્રમાણે કહે છે - અલંબુસા, મિશ્રકેસી, પુંડરીકર ઈત્યાદિ - X - કૂટવ્યવસ્થા પૂર્વવતું. તેણી આઠે ઉત્તરરચકથી આવેલ હોવાથી જિનમાતાના ઉત્તરદિશા ભાગમાં હાથમાં ચામર લઈને આગાન-પરિગાન કરતી ત્યાં રહે છે.
ધે વિદિશાના રચકવાસીની દિશાકુમારી મહત્તરાના આગમનને કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - તે વિદિક ચકમાં વસનારી છે, તે જ રચનપર્વતના મસ્તકે ચોથા હજારમાં ચારે વિદિશામાં એક-એક કૂટમાં, ત્યાં વસનારી ચારે વિદિશાની કુમારી યાવતું વિચારે છે. અહીં સ્થાનાંગમાં વિદુકુમારી મહdરિકા કહેલ છે. આ બધીના ઈશાન આદિ ક્રમથી નામો આ પ્રમાણે છે - યિમ, ચિત્રકનકા, શહેરા, સૌદામિની. પૂર્વવત ચાવતું આપે ડરવું ન જોઈએ. વિદિશાથી આવેલ હોવાથી ભગવંત તીર્થકર અને તીર્થકરમાતાની ચારે વિદિશામાં દીપિકા હાથમાં લઈને આગાન-પરિગાના કરતી રહે છે.
હવે મધ્યરચવાસીનીનું આગમન-તે કાળે, તે સમયે મધ્યભાગવર્તી રયકવાસીની થતુ ૪૦૨૪ સુચકના શિરો વિસ્તારમાં બીજ હારે ચારે દિશાવત ચારે કૂટોમાં પૂર્વાદિક્રમથી ચારે ખૂણે વસે છે. અહીં છઠ્ઠા અંગની વૃત્તિમાં મલ્લિ અધ્યયનમાં રૂચકદ્વીપની અત્યંતઅદ્ધમાં વસનારી એમ કહેલ છે, તવ બહુ શ્રત જાણે. ચાર દિશાકુમારી યાવત્ વિચરે છે, તે આ પ્રમાણે - સૂપા ઈત્યાદિ, પૂર્વવતું. આપે ભયભીત થવું નહીં, એમ કહીને - - -
--- ભગવંત તીર્થકરની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે, કાપીને મોટો ખાડો ખોદે છે. તેમાં કાપેલ નાભિનાલને દાટે છે. દાટીને રનો વડે ત્યાં પીઠ બાંધે છે. તેની ઉપર હરિતાલિકા વાવે છે. ખાડો ખોદવો આદિ બધું ભગવંતના અવયવની આશાતના નિવારવાને માટે છે. પીઠ બાંધીને, પશ્ચિમ દિશા સિવાયની ત્રણે દિશામાં ત્રણ કદલીગૃહો બનાવે છે. પછી તે કદલીગૃહોના બહુ મધ્યદેશ ભાગમાં ત્રણ ચતુઃશાલક-ભવન વિશેષને બનાવે છે. પછી તે ચતુશાલકોના બહુમધ્ય દેશભાગમાં ત્રણ સિંહાસનો વિકુર્તે છે. તે સિંહાસનોનું વર્ણન પૂર્વવત્ કહેવું.
- હવે સિંહાસનની વિક્ર્વણા પછીનું કૃત્ય કહે છે - પછી તે ચકમધ્યમાં વસનારી ચારે દિશાકુમારી મહત્તરિકાઓ જ્યાં ભગવંત તીર્થકર અને તીર્થકની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભઘવંતને કરતલ સંપુટ વડે અને તીર્થકર માતાને બાહા વડે ગ્રહણ કરે ચે, ગ્રહણ કરીને જ્યાં કદલીગૃહ છે, જ્યાં ચતુ:શાલક છે,
જ્યાં સિંહાસન છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંત અને તીર્થકર માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને શતપાક અને સહસંપાક તેલ વડે...
..અહીં શતપાક એટલે બીજી બીજી ઔષધિના રસથી કે સો મુદ્રા વડે જે પકાવેલ છે, તે શતપાક. એ રીતે સહમ્રપાક તેલ પણ જાણવું. તેવા પ્રકારના સુગંધી
તેલ વડે અવ્યંજન-માલીશ કરે છે. માલીશ કરીને સુગંધી ગંધવર્તકથી ગંધદ્રવ્યોઉત્પલ કુષ્ઠાદિના ચૂર્ણ પીંડી અથવા ગંધયુક્ત ગોધૂમચૂર્ણ પીંડથી ઉદ્વર્તન કરે છે – ઘસેલા તેલનું અપનયન કરે છે.
ત્યારપછી તીર્થકર ભગવંતને બે હાથના પુટમાં લઈ, તીર્થકર માતાની બાહુ પકડીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલા છે, જ્યાં સિંહાસન છે, ત્યાં જાય છે. જઈને તીર્થકર ભગવંત તથા તેની માતાને સિંહાસને બેસાડે છે. બેસાડીને ત્રણ પ્રકારના ઉદક વડે સ્નાન કરાવે છે, તે ત્રણે જળ દશવિ છે :- ગંધોદક-કુંકુમાદિ મિશ્રિત, પુણોદક જાત્યાદિ મિશ્રિત, શુદ્ધોદક-માત્ર પાણી વડે, સ્નાન કરાવીને બઘાં. અલંકાર વડે વિભુષિત કરે છે.
ત્યારપછી તીર્થંકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહો વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ઉત્તરદિશાનું કદલીગૃહ છે. ત્યાં જે ચતુઃશાલામાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને અને તેની માતાને સિંહાસને બેસાડે છે, બેસાડીને આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી લઘુહિમવંત વર્ષધર પર્વતથી ગોશીષચંદન કાષ્ઠ લઈ આવો.
ત્યારે તે આભિયોગિક દેવોને સુચક મધ્યે રહેનારી ચારે દિશાકુમારીઓએ પૂર્વવત આજ્ઞા કરતાં હર્ષિત-સંતુષ્ટ થઈ ચાવતું વિનયથી વચન સ્વીકારે છે. પછી જદીથી લઘુ હિમવંત વર્ષધર પર્વતથી સસ ગોશીર્ષ ચંદન કાષ્ઠ લાવે છે. ત્યારે તે મધ્ય ચકવાસી ચારે દિશાકુમારીઓ શરક-બામ જેવા તીણમુખ અગ્નિ ઉત્પાદક કાઠ વિશેષ કરે છે. કરીને તે જ શક વડે અરણિ-લોકપ્રસિદ્ધ કાષ્ઠ વિશેષને સંયોજે છે. સંયોજીને શરક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે. કરીને અગ્નિને સંદીપન્ન કરે છે. પછી તેમાં ગોશીર્ષ - ચંદન કાષ્ઠના ટુકડા કરીને નાંખે છે. - X - અગ્નિને ઉજવાલિત કરે છે. ઉજવાલિત કરીને હવન ઉપયોગી ઇંધણ-સમીધરૂપ કાઠ નાંખે છે. પૂર્વે જે કાષ્ઠ પ્રક્ષેપ કહ્યું તે ઉદ્દીપન માટે હતું, આ કાષ્ઠ ક્ષેપણ રાખ કરવાને માટે છે. પછી અગ્નિ હોમ કરે છે. કરીને ભસ્મ કરે છે. • x -
ત્યારપછી જિનમાતાને શાકિની આદિ દુષ્ટ દેવતાથી અને દષ્ટિ દોષાદિથી રક્ષા કરનારી પોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરત્નોની રચનાથી ચિકિત બે પાષાણવૃત્ત ગોલકને ગ્રહણ કરે છે કરીને તીર્થકર ભગવંતના કાન પાસે પરસ્પર અફડાવીને સુંદર શબદ ઉત્પાદનપૂર્વક વગાડે છે. એના વડે બાળલીલાવંશ અન્ય આસકત ભગવંતને કહેવાનાર આશીર્વચનમાં હોંશીયાર કરે છે. પછી “ભગવંત! આપ પર્વતાયું થાઓ” એમ આશીર્વચન કહે છે.
ઉક્ત બધું કાર્ય કર્યા પછી રુચકમળ વસતી ચારે દિશા કુમારી મહરિકા તીર્થકર ભગવંતને કરતલપુટમાં અને જિનમાતાને બાહા વડે ગ્રહણ કરીને જયાં તીર્થકરનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને તીર્થકર માતાને શય્યામાં સુવડાવે છે, સુવડાવીને તીર્થકર માતાની પાશ્વમાં સ્થાપે છે. સ્થાપીને કંઈક નીકટમાં ગીત ગાન કરતી રહે છે.