SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ૩/૩ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ લાલ ભાગ, બંધજીવ-મધ્યાë વિકશતા પુષ્પ, સંમતિ હિંગલોનો સમૂહ, સિંદુર, કુંકમ, કબૂતરના પગ, કોકિલના નેત્ર, અધરોષ્ઠ-તે સામુદ્રિકમાં અતિ લાલવણ વર્ણવેલ છે. રતિદ-મનોહર અતિરિક્ત-અધિક અરુણ અશોકવૃક્ષ, આવા સુવર્ણ, કિંશુક-પલાપપુષ્પ તથા ગાતાલ, સુરેન્દ્રગોપક-વર્ષામાં લાલવર્ણા ક્ષદ્ધ જંતુ વિશેષ તેની સર્દેશ પ્રભા જેની છે તે, એવો પ્રકાશ - તેજનો પ્રસાર જેનો છે . બિંબફળ, શિલડવાલ - અહીં અશ્લીલ શબ્દ સમાન – “શ્રીને લાવે છે તેનું ગ્લીલ થયું, એવો જે પ્રવાલ, તે ઊીલાવાલ - પરિકર્મિત વિઠ્ઠમ અથવા શિલાપવાલ. ઉગતો સૂર્ય, તેની સમાન, છ ઋતુમાં થનાર સુગંધી અગણિત પુષ્પ અને ગ્રથિતપુષ્પો જેમાં છે તે. ઉંચો કરેલ શેત વિજ જેમાં છે છે. મહામેઘનું જે ગર્જન, તેની જેમ ગંભીર નિગ્ધ ઘોષ જેનો છે તે. • x - પ્રભાતે ચાકમતપના પારણા દિવસે, • x • પૌષધિક-રંત પારિત પૌષધવત, તેવો નરપતિ ચતુર્ઘટ અશ્વરથમાં આરૂઢ થયો. સશ્રીક નામક પૃથ્વી વિજયલાભ નામે પ્રખ્યાત છે. અહીં બેઠેલ પુરુષ પૃથ્વીનો વિજય પામે છે એવું સાત્વર્થ નામ છે. કેવો નસ્પતિ ? લોક વિશ્રત યશવાળો, અહત-કચારેય પણ અવયવમાં અખંડિત અથવા સબ અખલિત ચાલનારો રથ. રથમાં બેસીને ભરતે શું કર્યું ? પછી ભરતરાજા ચતુર્ઘટ અશ્વરથમાં બેઠો, બાકી પૂર્વવતુ. - x • માગધતીર્થના આલાવા મુજબ જાણવું. હવે કહે છે - વરદામ નામક તીર્થ-અવતરણમાથી લવણસમુદ્રમાં અવગાહે છે. “બાકી પૂર્વવત” એ વચનથી- અશ્વ, હસ્તિ, સ્થ, પ્રવર યોદ્ધાયુક્ત - સંપરિવૃત, મહા ભટ્ટ-ચડગર પચકવૃંદ પરિપ્તિ , ચક્કરમાં દૈશિત માર્ગે અનેક હજાર રાજા દ્વારા અનુસરતા માર્ગે, મહા-ઉત્કૃષ્ટ સીહનાદ બોલ કલકલરવથી પ્રાભિત મહાસમુદ્રના સ્વ સમાન કરતાં-કરતાં. કેટલે દૂર લવણસમુદ્રમાં અવગાહે છે ? જ્યાં સુધી થના કૂપર ભીના થાય છે. અહીં ચાવતું પદ સંગ્રાહ્ય પદ સંગ્રાહક નથી, પરંતુ જળનું અવગાહ પ્રમાણને સૂચનાર્થે છે. અહીં પણ માગઘદેવ સાધનાધિકારમાં કહેલ સબ પ્રીતિદાન સુધી કહેવું. તે તીવધિપસુરના પ્રીતિદાન શબ્દથી-પ્રીતિશાનાર્થે વિવક્ષિત ચૂડામણિ આદિ વસ્તુ કહે છે. અહીં “ચાવતું દક્ષિણી તપાલ” સુધી કહ્યું, - x - ચાવતુ અષ્ટાલિકા મહોત્સવ કરે છે. ઉકત વાક્યોનો આ અર્થ છે – પ્રીતિદાન નિમિતે ચૂડામણી આદિ વસ્તુ ગ્રહણ પ્રતિપાદક સૂત્ર છે. તેનો સમુદિત અર્થ આ છે - અશ્વોને રોકવા, રથ ઉભો રાખવો, ધનુષ ઉપાડવું, બાણ છોડવું -x - પ્રીતિદાન સૂત્ર સુધી માગપતીયધિકારના સૂગવત્ જાણવું. વિશેષ એ કે – પ્રીતિદાનમાં ચૂડામણિ અને મનોહર સર્વ વિષઅપહારી મસ્તકના ભૂષણરૂપ, વક્ષઃના ભૂષણરૂપ, ડોકનું આભરણ, કટિ મેખલાં, બુટિક લેવા. તે સૂત્ર ક્યાં સુધી કહેવું ? “હું દક્ષિણ દિશાનો સતપાલ છું” સુધી. પ્રીતિવાક્ય, ભેંટણું ધરવુંભરત દ્વારા તેનો સ્વીકાર કરવો, દેવનું સન્માન, વિદાય દેવી, રથ પાછો વાળવો, છાવણીમાં જવું, નાનગૃહમાં જવું, નાન-ભોજન કરવું, શ્રેણિ-પ્રશ્રેણિને બોલાવવાનું સૂત્ર કહેવું. ક્યાં સુધી ? અઢાર શ્રેણિ-પ્રશ્રેણિ વડે અટાલિકા મહામહોત્સવ કરે છે આજ્ઞા પાછી સોંપે છે. હવે પ્રભાસતીર્થની સાધના માટે ચાલે છે - બધું પૂર્વવતું. વિશેષ એ કે - વાયવ્ય દિશામાં, શુદ્ધ દક્ષિણવર્તી વરદામતીર્થથી શુદ્ધ પશ્ચિમવર્તી પ્રભાસમાં જવાને માટે નીકળ્યો, કેમકે આ જ માર્ગ સરળ છે અન્યથા વરદામથી પશ્ચિમમાં જતાં અનુવારિધિવેલ જાથી પ્રભાસતીર્યની પ્રાપ્તિ દૂરસ્થી થાત. પ્રભાસ તીર્થ, જ્યાં સિંધુ નદી સમુદ્રમાં પ્રવેશે છે. હવે તેવા ચક્રરત્નને જોઈને જે રાજા કરે છે, તે કહે છે - બધું પૂર્વવત. માત્ર પ્રિતીદાનમાં ભેદ છે, • x - રત્નમાળા, મુગટ, દિવ્ય મોતીનો ઢગલો, સુવર્ણરાશિ. બાકી આ પ્રીતિદાનનો સ્વીકાર, દેવ સન્માન, વિદાય ઈત્યાદિ માગધ દેવાધિકાર સમાન કહેવું. - x • હવે સિંધુદેવી સાધનાધિકાર – • સૂત્ર-૩૪ : ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પ્રભાસતિર્થકુમાર દેવના અષ્ટાહિકા મહામહોત્સવ નિવતી ગયા પછી આયુધગૃહશાળાથી નીકળ્યું, નીકળીને ચાવ4 ભરતલને પૂરતા સિંધુ મહાનદીથી દક્ષિણી કૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન અભિમુખ પ્રયાણ કર્યું. ત્યારપછી તે ભરત રાજ તે દિવ્ય ચક્રનને સિંદુ મહાનદીના દક્ષિણી કૂળથી પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવનની અભિમુખ જતું જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ ચિત્ત થઈ, પૂર્વવત્ યાવતું જ્યાં સિંધુદેવીનું ભવન છે, ત્યાં જાય છે, જઈને સિંદુ દેવીના ભવનની કંઈક નીકટ બાર યોજન લાંબી, નવી યોજના પહોળી શ્રેષ્ઠ નગરસદેશ વિજય રૂંધાવાર નિવેશ કરે છે, યાવત સિંધુદેવી . નિમિતે કમભકત સ્વીકાર કરે છે, કરીને પૌષધશાળામાં પૌષધિક બહાચારી થઈ રાવત દર્ભના સંતાકે બેસી અઠ્ઠમભક્તિથી સિંધુદેવીને મનમાં કરીને રહ્યો. ત્યારપછી તે ભરતરાજ અક્રમભક્ત પરિણમમાણ થતાં સિંધુદેવીનું આસન ચલિત થયું, ત્યારે તે સિંધુદેવી આસનને ચલિત થયું જુએ છે. જોઈને અવધિજ્ઞાન પ્રયોજે છે, પ્રયોજીને ભરત રાજાને અવધિ વડે જુએ છે, જોઈને તેણીને આ આવા સ્વરૂપનો અભ્યર્થિત ચિંતિત, પાર્શિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. નિશે જંબૂઢીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ ઉતpx થયો છે. તો અતીત-વમાન-અનાગત એવો જીત-કહ્યુ છે કે સિંધુદેવી ભરતના રાજાને ભેંટણું કરે, તો પણ જઉં અને ભરતરાજાને ભેંટણું કરું. એમ વિચારી સિંધુદેવી રનમય ૧૦૦૮ કળશ, વિવિધ મણિકનક-રતનમય ત્રિયુકત સ્વર્ણ નિર્મિત કે ભદ્રાસન, કટક અને કુટિત યાવતુ આભરણોને લે છે. લઈને તેણી ઉત્કૃષ્ટી યાવતુ ગતિથી જઈ આ પ્રમાણે બોલી – દેવાનધિય વડે કેવલકથ ભરત જીતાયું છે, હું આપ દેવાનુપિયની દેશવાસિની છું. હું આપ દેવાનુપિયની આજ્ઞાવત દાસી છું. હે દેવાનુપિયા આપ મારું આ આવા સ્વરૂપનું પ્રીતિદાન સ્વીકાર કરો. એમ કહીને ૧oo૮ રનમયી કુંભો, વિવિધમણીસુવર્ણ-કટક ચાવત્ પૂર્વવત ચાવત વિદાય આપી. ત્યારપછી તે ભરત રાજ પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને જ્યાં સ્નાનગૃહ
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy