________________
૨૪૪
૧૩
૧૩૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
હે ભગવંતના શ્રમણોનું વર્ણસૂત્ર કહે છે – અરહંત ઋષભના ઘણાં અંતેવાસી • શિષ્યો હતા, તે ગૃહસ્થ પણ હોઈ શકે, તેવી અણગાર ભગવંત પૂજ્ય કહ્યા છે. તેમાં કેટલાંક એક માસ પર્યાય - ચાપિાલન જેમને છે તેવા કહ્યા. જેમ ઉવવાઈ ઉપાંગ સૂત્રમાં સર્વે અણગાનું વર્ણન છે, તે પ્રમાણે અહીં પણ કહેવું.
તે ક્યાં સુધી કહેવું ? તે કહે છે – જેમના ઉર્ધ્વજાનુ છે, તે ઉર્ધ્વજાનુવાળા. શુદ્ધ પૃથ્વીના આસનને વજીને ઔપગ્રહિક નિષધાના અભાવે ઉકટુક આસનવાળા જાણવા. અધોશિર - અધોમુખ, ઉર્વ કે તીર્દી વિક્ષિપ્તદૃષ્ટિવાળા નહીં.
વળી ધ્યાનરૂપ કોઠ-કોઠી, તેને પામેલા. તેમાં પ્રવેશેલા. જેમ કોઠીમાં નાંખેલ ધાન્ય વિખેરાઈ જતું નથી, તેમ અણગારો વિષયોમાં ન ફેલાયેલી ઈન્દ્રિયોવાળા હોય છે.
સંયમ વડે • સંવર વડે, તપથી - અનશનાદિથી. અહીં સંયમ અને તપનું ગ્રહણ મોક્ષાના પ્રધાન અંગપણાથી છે. તેમાં સંયમનું મુખ્યપણું નવા કર્મોનું ઉપાદાના ન કરવાના હેતુથી છે અને તપનું ઉપાદાન જૂના કર્મોની નિર્જસના હેતુપણાથી છે. કેમકે નવા કર્મોનું અનુપાદાન અને જૂના કર્મોના ક્ષયથી સર્વ કર્મક્ષય લક્ષણ મોક્ષ છે.
આત્માને ભાવિત કરતાં - તેમાં વાસ કરતા રહે છે.
અહીં યાવત પદથી સંગ્રાહ્ય - “કેટલાંક બે માસ પર્યાય વાળા હતા” ઈત્યાદિ ઉવવાઈ ગ્રંથમાં છે. તે વિસ્તાર ભયથી અને લખતા નથી, ત્યાંથી જાણી લેવું.
હવે ઋષભ સ્વામીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી કેટલા કાળના અંતરે ભવ્યોનું સિદ્ધિગમન ચાલુ થયું અને કેટલા કાળ સુધી તે અનુવર્યું તે કહે છે -
ભગવંત ઋષભને બે પ્રકારે ભવનો અંત કરનારા એટલે કે અંતકરો - મુકિતમાં જનારા થયા, તેમની ભૂમિ અર્થાતુ કાળ, કાળના આધારપણાના કારણત્વથી ભૂમિપણે ઓળખાવાય છે. તે આ રીતે - યુગ એટલે પાંચ વર્ષ પ્રમાણ કાળવિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃયુગાદિ, તે ક્રમવર્તી, તેના સાધચ્ચેથી ક્રમવર્તી ગુરુ શિષ્યપ્રશિયાદિ રૂપ પરમો, તે પણ સાધ્યવસાનલક્ષણની અભેદ પ્રતિપત્તિથી યુગ અર્થાત પટ્ટપદ્ધતિ પુરુષો અર્થ જાણવો. તેમના વડે અમિત અંતકર ભૂમિ તે યુગાંતકર ભૂમિ કહેવાય.
- પર્યાય - તીર્થકરના કેવલિપણાનો કાળ, તેની અપેક્ષાથી તકર ભૂમિ. શો અર્થ છે ? ઋષભજિનના આટલો કેવલપર્યાયકાળ વીત્યા પછી મુક્તિગમત પ્રવૃત્ત થયું.
તેમાં યુગાંતકભૂમિ અસંખ્યાત પુરુષ - પાટે આવેલા, તે યુગાનિ-પૂર્વોક્ત યુક્તિથી પુરુષો, પુરપયુગ. * * * ભગવંત ઋષભથી લઈને ભગવંત અજિતના તીર્થ સુધીમાં ભગવંત રાષભની પદ્ધ પરંપરામાં આરૂઢ અસંખ્યાતા સિદ્ધ થયા અર્થાત્ તેટલો કાળ મુકિતગમનમાં વિરહ ન થયો, એમ જાણવું.
જે આદિત્યયશ વગેરે ઋષભદેવના વંશજ રાજાઓ ચૌદ લાખ પ્રમાણનું
ક્રમથી પહેલાથી સિદ્ધિગમન, પછી એક સવસિદ્ધ ગયાં, ઈત્યાદિ અનેક રીતિથી અજિતજિનના પિતા સુધી મર્યાદા કરીને નંદીસૂત્રની ચૂર્ણિ, વૃત્તિ, સિદ્ધદંડિકાદિમાં સવર્થિસિદ્ધ સુધી ગમન છે તેમ જણાવેલું છે, તે સિદ્ધિ ગમ કહ્યો. તે કોશલાપટ્ટપતિને આશ્રીને જાણવો. પણ આ પુંડરીકગણધરદિને આશ્રીને વિશેષ છે.
તથા પર્યાયાંતકર ભૂમિ, તેમને અંતર્મુહર્તનો કેવળજ્ઞાન પર્યાય જેનો છે, તે છે.
આ પ્રમાણે ઋષભદેવમાં અંત - ભવનો અંત કરાયો, પરંતુ તે પૂર્વે નહીં. જે ભગવંતની માતા મરદેવા પહેલાં સિદ્ધ થયા, તે ભગવંત કપભના કેવલ ઉત્પત્તિના અનંતર મુહૂર્ત પછી જ સિદ્ધ થયા.
હવે જન્મ કલ્યાણકાદિ નબો કહે છે - • સૂત્ર-૪૫ -
અરહંત ઋાભને પાંચ વસ્તુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને છઠ્ઠી અભિજિd નક્ષત્રમાં થઈ. તે આ પ્રમાણે -
ઉત્તરાષાઢા નફામાં સુભા, ચવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચાવતુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક પામ્યા, ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડ થઈને ગૃહવાસ છોડી અનગાર-પdજ્યા લીધી. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત ચાવતુ અમુત્પન્ન થયા.
અભિજિત નક્ષત્રમાં ભગવંત નિર્વાણ પામ્યા. • વિવેચન-૪૫ -
અરહંત ઠાભ પાંચ વસ્તુમાં - ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર વડે ભોગવાય છે, તેમાં તથા છઠ્ઠા અભિજિત નક્ષત્રમાં - નિર્વાણરૂપ વસ્તુ બની. - x -
ઉક્ત અર્થને જ કહે છે - તે આ પ્રમાણે :- ઉત્તરાષાઢા વડે યુક્ત ચંદ્ર. - x • ટ્યુતઃ સવથિસિદ્ધ નામના મહાવિમાનથી નીકળી, ચ્યવીને ગર્ભમાં આવ્યા - મરુદેવાની કુક્ષિમાં અવતર્યા.
જાત-ભવિાસથી નીકળ્યા, રાજ્યાભિષેકને પ્રાપ્ત થયા, મુંડ થઈને - ઘર છોડીને અનગારિતા - સાધુતામાં દીક્ષા પામ્યા. અનંત એવું ચાવતુ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચાવતુ પદ સંગ્રહ પૂર્વવત.
અભિજિત્ યુક્ત ચંદ્રમાં પરિનિવૃત - સિદ્ધિમાં ગયા.
(શંકા) આ જ વિભાગ સૂત્રના બળથી આદિ દેવના છ કલ્યાણકો પ્રાપ્ત થાય છે. - - - ના, કલ્યાણક તે જ છે જેમાં આસન કંપવા યુક્ત અવધિથી સર્વે સરાસરેન્દ્રો આચાર સમજી વિધિ-મહોત્સવે એકસાથે સંબ્રામ સહિત હાજર થાય છે. તે અહીં છ કલ્યાણક વડે આપે નિરૂપણ કરેલા હોવાથી રાજ્યાભિષેક પણ તેની સમાન છે. તેને ભગવંત મહાવીરના ગભવિહાવતુ જાણવું. પણ તે કલ્યાણક નથી. અનંતર કહેલ લક્ષણના યોગથી કહ્યું, તેથી નિરર્થક આ કલ્યાણક અધિકારમાં તેનું