________________ 2/52,53 205 | [સમાધાન] બીજા આરામાં પુર-આદિ નિવેશ, રાજનીતિ-વ્યવસ્થાદિકૃત જાતિસ્મરણવાળા પુરુષ વિશેષ દ્વારા અથવા ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના પ્રયોગથી કે પછી કાલાનુભાવજનિત નૈપુણ્યથી તેનો સુસંભવ હોવાથી કહ્યું છે... ...અન્યથા કઈ રીતે આ જ ગ્રંથમાં પ્રસ્તુત આરાને આશ્રીને પુકર સંવર્ઘકાદિ પાંચ મહામેઘની વૃષ્ટિ પછી વૃક્ષાદિ વડે અને ઔષધિ વડે ભાસુર સંજાત થતાં ભરત ભૂમિમાં તત્કાલીન મનુષ્યો બિલોથી નીકળીને માંસાદિ ભક્ષણ નિયમ મર્યાદાને ધારણ કરે છે અને તેનો લોપ કરનારને પંક્તિની બહાર કરશે, એ અર્થનું અભિધાપક પૂર્વોક્ત સૂત્ર સંગત થઈ શકે ? - હવે મનુષ્યનું સ્વરૂપ કહે છે - બધું અવસર્પિણીના દુઃષમ આરાના મનુષ્યનું સ્વરૂપ છે તેમ કહેવું. વિશેષ એ કે સિદ્ધ થતાં નથી અથતિ સર્વ કર્મક્ષય લક્ષણ સિદ્ધિને પામતાં નથી. કેમકે ચાસ્ત્રિધર્મની પ્રવૃત્તિનો અભાવ છે * x * એ રીતે ઉત્સર્પિણીનો બીજો આરો પુરો થયો. તે આરામાં - દુઃષમા નામના આરામાં 21,000 વર્ષનો કાળ વ્યતિક્રાંત થયા પછી અનંતા વર્ણપયય વડે ચાવતુ વધતાં-વધતાં એ અવસરમાં દુઃષમ સુષમા નામક કાળ, ઉત્સર્પિણીનો ત્રીજો આરો હે શ્રમણ ! પ્રાપ્ત થશે, ઈત્યાદિ પૂર્વવતું. અવસર્પિણીના ચોથા આરા સમાન ઉત્સર્પિણીનો ત્રીજો આરો છે, તેના સાર્દેશ્યને પ્રગટ કરતાં કહે છે - - પ્રાયઃ પૂર્વે વ્યાખ્યાયિત કરેલ અર્થ છે. તેમાં પદાનાભ આદિ તેવીશ તીર્થકરો થશે, કેમકે ચોવીશમાં ભદ્રક નામના તીર્થકર ચોથા આરામાં ઉત્પન્ન થવાના છે. અગિયાર ચક્રવર્તી ભરતાદિ, વીર ચરિત્રમાં દીર્ધદંત આદિ, બારમાં અરિષ્ઠ નામક ચક્રવર્તી ચોથા આરામાં કહ્યા છે. નવ બલદેવો - જયંત આદિ, નવ વાસુદેવ નંદી આદિ. જો કે તિલકાદિ પ્રતિવાસુદેવો અહીં કા નથી, તેમાં પૂર્વોક્ત હેતુ જ જાણવો. - એ રીતે ચક્રવર્તી આદિ થશે. - ત્રીજો આરો પૂર્ણ થયો, હવે ઉત્સર્પિણીનો ચોથો આરો કહે છે - તે આરામાં 42,000 વર્ષ જૂના કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વર્ણપયરિયોથી, ચાવતુ વૃદ્ધિ પામતા-પામતાં પ્રરતાવિત સુષમ દુઃષમા નામનો આરો-ઉત્સર્પિણીના ચોથા આર રૂપ કાળ પ્રાપ્ત થશે. તે આરો ત્રણ ભેદે વિભાગ પામશે. પહેલો * મધ્યમ અને પાછલો ભાગ. તેમાં આધ ત્રિભાગનું સ્વરૂપ કહે છે - ભગવન ! તે આરામાં પહેલાં ભાગમાં ભરતક્ષેત્રના કેવા આકારભાવ પ્રત્યવતાર થશે ? ગૌતમ ! બહુસમ રમણીય યાવત્ થશે ચાવત્ શબ્દથી પૂર્ણ પણ ભૂમિવર્ણકનો લાવો લેવો. મનુષ્યનો પ્રશ્ન ભગવન સ્વયં કહે છે - તત્કાલીન મનુષ્યોની જે અવસર્પિણીના ત્રીજા આરાની પાછલના મિભાગમાં જે 206 જંબૂતીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વકતવ્યતા છે, તે અહીં પણ કહેવી. અહીં અપવાદસૂત્ર કહે છે - કુલકરોને લઈને તે વક્તવ્યતા કહેવી જોઈએ. એ પ્રમાણે ઋષભદેવને પણ વર્જવા. અવસર્પિણીમાં કુલકરોએ સંપાદિત કરેલ દંડનીતિ આદિ માફક ઋષભસ્વામી સંપાધ અન્નપાકાદિ પ્રક્યિા, શિલ-કળાનું ઉપદર્શનાદિની માફક ઉત્સર્પિણીમાં પણ બીજા આરાના ભાવિ કુલકર પ્રવર્તિત તેમની તે વખતે અનુવર્તનારી, તેના પ્રતિપાદક પુરણના કથનના પ્રયોજનના અભાવથી, જેમ અવસર્પિણીના બીજા આરાના ત્રીજા ભાગમાં કુલકરોના સ્વરૂપ, ઋષભ સ્વામીનું સ્વરૂપ પૂર્વે કહ્યું, તે રીતે અહીં કહેવું નહીં. અથવા ઋષભસ્વામીના વર્જનથી ઋષભસ્વામીનો આલાવો વર્જવો જોઈએ. એમ તાત્પર્ય છે. તેથી ઋષભ સ્વામીનો આલાવો વર્જીને ભદ્રકૃત તીર્થકરનો આલાવો કરવો જોઈએ. કેમકે ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકરના પ્રાયઃ અવસર્પિણીના પ્રથમ તીર્થકરના સમાન શીલપણાથી (એમ કહી અન્યથા ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકર ક્યારે સંભવે છે, એવા સંશયાદિ પણ થાય. * x - હવે કુલર વિષયક વાચનાભેદ કહે છે - બીજા આચાર્યો કહે છે - તે આરાના પ્રથમ બિભાગમાં આ કહેવાનાર પંદર કુલકરો ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે - સુમતિથી ઋષભ પર્યન્ત. ક્યાંક “સમુચી” એવો પાઠ છે, તેમાં “સંમતિ” શબ્દ પ્રાકૃતના નિયમથી ‘મુt ' થયો હોય અથવા “સમુચિ” એ પ્રમાણે ચાવત્ શબ્દથી પૂર્વોક્ત “પ્રતિશ્રુતિ' આદિ જ ગ્રહણ કરવા. વાંચનાંતર અનુસારથી જે કુલકર સંભવ નિરૂપિત છે, તેના સિવાયના બાકીના પાંચ-પાંચ પુરુષ પર્વ સંપાધમાન નવ-નવ દંડનીતિ આદિ તે પ્રમાણે પૂર્વોક્ત જ જાણવી. અહીં જ દંડનીતિક્રમ વિશેષ સ્વરૂપને કહે છે - દંડનીતિ કુલકર વડે સંપાઈ હા-કાર આદિ પ્રતિલોમ-પશ્ચાનુપૂર્વી થતી જાણવી * અથ;િ બુદ્ધિપથમાં પ્રાપ્ય છે. પહેલાં પંચકની ધિક્કાર આદિ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય અપરાધીને યથાયોગ્ય ત્રણે છે. બીજા પંચકની કાળાનુભાવથી ઉત્કૃષ્ટ અપરાધ કરનારને ત્રીજી અને મધ્યમજઘન્ય અપરાધમાં “માકાર” અને હાકારરૂપ બે, ત્રીજા કુલકર પંચકને પૂર્વ અપરાધદ્વય ધારણ કરનારને બે જઘન્ય અપરાધમાં ‘હાકાર'રૂપ પહેલી દંડનીતિ છે. અહીં દંડનીતિઓએ ઉપલક્ષણ છે, તેનાથી શરીર અને આયુ - પ્રમાણાદિ પણ યથાસંભવ પ્રતિલોમ - પશ્ચાનુપૂર્વીપણે જાણવું. બીજી વાસનાના સૂત્રનો આ ભાવ છે - અહીં વ્યવચ્છિન્ન સજધર્મમાં કાલાનુભાવથી પાતળા-પાતળા કપાયોથી શાસન કરનારા અગ્રતેજસ્ક દંડ કરશે