SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૪/૪૬ ૧૪૩ ૧૪૪ સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અશ્વિની નક્ષત્ર પશ્ચિમ ભાગ સમક્ષેત્ર, ૩૦-મુહર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે. એ રીતે અશ્વિની નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે. પછી યોગને અનુપરિવર્તે છે. પછી સાંજે ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પે છે. ભરણી નક્ષત્ર રાત્રિગત, અખાદ્ધ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. બીજા દિવસે યોગ ન કરે, એમ ભરણી નક્ષત્ર એક રાત્રિ ચંદ્ર સાથે યોગ કરે છે, કરીને યોગને અનુપરિવર્તે છે. પછી પ્રાત:કાળે ચંદ્ર કૃતિકાને સોંપે છે. કૃતિકા નક્ષત્ર પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦-મહત્ત છે. તે પહેલાં સાંજે ચંદ્ર સાથે યોગ કરે છે. કરીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને પ્રાત:કાળે ચંદ્ર રોહિણી નક્ષત્રને સોંપે છે. રોહિણી-ઉત્તર ભાદ્રપદ માફક, મૃગશીર-ધનિષ્ઠા માફક, આદ્ર-શતભિષા માફક, પુનર્વસુ - ઉત્તરાભાદ્રપદ માફક, પુષ્ય-ધનિષ્ઠા માફક, આશ્લેષા - શતભિષા માફક, મઘા-પૂવ ફાગુની, પૂર્વ ફાલ્ગની - પૂર્વ ભાદ્રપદવત, ઉત્તરા ફાલ્ગની • ઉત્તરા ભાદ્ધપEવતુ, હા અને ચિત્રા-ધનિષ્ઠાવતુ, રાતી-શતભિષાવતું, વિશાખાઉત્તરાભાદ્રપદવતુ, અનુરાધા-ધનિષ્ઠા વત, શતભિષા મૂળ અને પૂવષાઢા - પૂર્વભાદ્રપદવતુ અને ઉત્તરાષાઢા - ઉત્તરાભાદ્રપદ માફક ગણવું. • વિવેચન-૪૬ : ભગવન આપે કઈ રીતે યોગની આદિ કહેલ છે ? અહીં નિશ્ચયનય મતથી ચંદ્રયોગની આદિ છે, બધાં જ નક્ષત્રોનું પ્રતિનિયત કાળ પ્રમાણ છે, તેથી તે કરણવશથી જાણવું અને તે કરણને જ્યોતિષ કરંડકમાં યુતિપૂર્વક ભાવિત કરેલ છે, તેથી તે ત્યાંથી અવધારવું. અહીં તે વ્યવહાયને આશ્રીને બહુલતાથી જે નગની જ્યારે ચંદ્રયોગની આદિ થાય છે, તે જણાવે છે - અભિજિત, શ્રવણ નામક બે નક્ષત્ર પશ્ચાત્ ભાગ, સમોગ છે. અહીં અભિજિત નમ સમક્ષેત્ર નથી, અપાદ્ધ ક્ષેત્ર નથી કે હુયદ્ધક્ષેત્ર પણ નથી. કેવળ શ્રવણ નક્ષત્ર સાથે સંબદ્ધ જોડવો, આ અભેદ ઉપચારથી છે. તો પણ સમક્ષેત્રને કલ્પીને સમહોત્રા એમ કહ્યું. સાતિરેક ૩૯ મુહર્ત પ્રમાણ છે. તેથી કહે છે - સાતિરેક નવ મુહd. અભિજિત 30 મુહૂર્ત છે, શ્રવણના એમ ઉભય મીલનથી થોક્ત મુહર્ત પરિમાણ થાય છે. તેથી ચંદ્રયોગના, પહેલા સંધ્યાકાળે, આ દિવસના કેટલામાં ચરમ ભાગથી આરંભીને રાત્રિના કેટલા ભાગ સુધી, હજી સુધી પણ પરિકૂટ નામંડલ આલોક જેટલો કાળ વિશેષ, સંધ્યાકાળે વિવક્ષિત જાણવો. તેમાં સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગ જોડે છે. અહીં અભિજિત નક્ષત્ર જોડે યુગની આદિમાં પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગને જોડે છે, તો પણ શ્રવણ સાથે સંબદ્ધ અહીં તેમ વિવા કરી છે, શ્રવણનામ મધ્યાહ્ન થકી ઉચે જાય છે, દિવસમાં ચંદ્ર સાથે યોગ પામરે છે. પછી તેના સાહચર્યથી તે પણ સંધ્યા સમયે ચંદ્ર સાથે યુજ્યમાન વિવક્ષિત કરીને સામાન્યથી સંધ્યા ચંદ્ર સાથે યોગ જોડે છે તેમ કહ્યું. અથવા યુગની આદિ અતિરિચ્ય અન્યદા બહુલતાને આશ્રીને આ કહ્યું, તેથી કોઈ દોષ નથી. પછી આગળ બીજા અન્ય સાતિરેક દિવસ સુધી. આ જ ઉપસંહારથી કહે છે - એમ ઉકત પ્રકારથી નિશ્ચયે અભિજિત અને શ્રવણ બે નક્ષત્ર સાંજના સમયથી આરંભીને એક રાત્રિ અને એક સાતિરેક દિવસ ચંદ્રની સાથે સાદ્ધ યોગ યોજે છે. આટલો કાળ યોગ જોડીને ત્યારપછી યોગને અનુપરિવર્તે છે, અથતિ પોતે ચ્યવે છે. યોગને અનુપરિવર્તીને સાંજે દિવસના કેટલામાં પશ્ચાદ્ ભાગમાં ચંદ્રને ધનિષ્ઠામાં સમર્પે છે. એ પ્રમાણે અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા સંધ્યા સમયમાં ચંદ્ર સાથે પહેલાથી યોગને જોડે છે. તેના વડે આ ત્રણે પણ ૫aiદ્ ભાગવાળા જાણવા. પછી સર્મપણ પછી ઘનિષ્ઠા નક્ષત્ર પશ્ચાદભાગ છે. સાંજ સમયમાં તે પ્રથમથી ચંદ્ર સાથે પુજ્યમાન હોવાથી એમ કહ્યું સમક્ષેત્ર 30 મુહુર્ત તેને પ્રથમથી સંધ્યા સમયમાં ચંદ્ર સાથે યોગ કરે છે. ચંદ્ર સાથે યોગ જોડીને પછી સંધ્યા સમયથી આગળ, પછી રાત્રિ અને બીજા દિવસ સુધી યોગને જોડે છે. આ જ વાત ઉપસંહાર થકી કહે છે. તે સુગમ છે. યોગને અનુપરિવર્તાવીને સાંજ સમયમાં ચંદ્ર શતભિષજને સમર્પે છે - - આ નક્ષત્ર સમિગત જાણવું. તથા કહે છે - તેના સમર્પણ પછી શતભિષજુ નક્ષત્ર રાત્રિગત, અખાદ્ધ ક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે, તે પહેલાથી ચંદ્રની સાથે યોગ જોડે છે અને તે તાયુક્ત હોવાથી બીજે દિવસે પ્રાપ્ત થતું નથી. કેમકે ૧૫-મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ રાત્રિ પછી યોગને આશ્રીને પસિમાપ્તિ પામે છે. •x• યોગને અનુપરિવર્તિને સવારે ચંદ્ર પૂર્વ પ્રૌઠપદ - પૂર્વાભાદ્રપદને સોંપે છે. આ પૂર્વપ્રોઠપદા નામનો પ્રાત:કાળે ચંદ્રની સાથે પહેલાથી યોગ પ્રવૃત છે, તેથી તે પૂર્વભાગ કહેવાય છે. સમર્પણ પછી પૂર્વપોષ્ઠપદા નક્ષત્ર વિશે પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦ મુહૂર્ત છે. તેથી પહેલા પ્રાતઃકાળે ચંદ્રની સાથે યોગ કરે છે અને તે તે પ્રમાણે હોવાથી પ્રાત:સમયથી આગળ તે સર્વ દિવસ અને બીજી રાત્રિ સુધી વર્તે છે. • x • યોગને અનુપરિવર્તાવીને સવારે ચંદ્રને ઉત્તર પ્રોઠપદ નક્ષત્રને સમર્પે છે. આ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ઉકત પ્રકારથી સવારે ચંદ્ર સાથે યોગને પામે છે. માગ પહેલું ૧૫-મુહd અધિક દૂર કરીને સમોને કભીને જ્યારે યોગને વિચારે છે, ત્યારે રાત્રે પણ યોગ થાય છે, એ રીતે ઉભય ભાગને જાણવું. પછી સમર્પણ અનંતર ઉત્તર પઠપદા નક્ષત્ર નિશે ઉભયભાગ, હયદ્ધક્ષેત્ર, ૪પ-મહd છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તે તથા પ્રકારે હોવાથી તે આખો દિવસ અને બીજી રાત્રિ, પછીનો બીજા દિવસ સુધી વર્તે છે. •x• યોગને પરિવર્તિત કરીને સંધ્યા સમયે ચંદ્રને રેવતી નક્ષત્રને સમર્પે છે. તે રેવતી નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી તે પશ્ચાદ્ ભાગ જાણવું. * * * * * આ ચંદ્ર સાથે યુદ્ધ થઈને સંધ્યા સમયથી આગળ આખી સમિ
SR No.009014
Book TitleAgam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy