________________
૩૦/-|-/૫૭૪
અદૃષ્ટાંત, અવર્ણ, અસંસ્થાન, પ્રમાણ, અપત્યાવતાર વડે જુએ છે, જાણતો નથી ? હા, ગૌતમ ! કેવલી યાવત્ જુએ છે, પણ જાણતો નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! તેમને દર્શન અનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે. તેથી એમ કહેવાય છે કે કેવલી આ રત્નપભા પૃથ્વીને અનાકાર વડે સાવત્ દેખે છે, પણ જાણતો નથી. એમ ઈષપામ્ભારા પૃથ્વી, પરમાણુ પુદ્ગલ અને અનંત પ્રદેશી કંધને દેખે છે, પણ જાણતો નથી.
• વિવેચન-૫૪ :
૧૩૭
- પરમ
કેવળજ્ઞાન અને દર્શન જેમને છે, તે કેવલી કહેવાય છે. ભવંત કલ્યાણયોગી. આ પ્રત્યક્ષ જણાતી રત્નપ્રભા પૃથ્વીને આકારના ભેદો વડે, જેમકે - આ રત્નપ્રભા પૃથ્વીના ખકાંડ, પંકકાંડ, અકાંડ ત્રણ ભેદથી છે. ખરકાંડ સોળ ભેદે
છે ઈત્યાદિ. હેતુ – યુક્તિ વડે, તે આ પ્રમાણે - શા કારણે રત્નપ્રભા કહેવાય છે ? કેમકે તેનો રત્નમય કાંડ છે, માટે રત્નપ્રભા કહેવાય - ૪ - ઉપમાઓ વડે, તે આ રીતે – રત્નપ્રભામાં રત્નપ્રભાદિ કાંડો વર્ણ વિભાગની અપેક્ષા વડે કેવા છે ? પારાગ મણિ જેવા વર્ણના છે ? ઈત્યાદિ. દૃષ્ટાંતો વડે - પ્રમાણ વડે જાણેલો છે વિવક્ષિત સાધ્ય અને સાધનના વ્યાપ્તિરૂપ સંબંધનો પરિચ્છેદ, જેમને વિશે તે દૃષ્ટાંત.
- X + X -
વર્ણો વડે - શુક્લાદિ વર્ણના વિભાગ વડે. તેઓના જ અધિક અને ઓછા સંખ્યાતા, અસંખ્યાતા, અનંતગુણ વિભાગ વડે વર્ણનું ગ્રહણ ઉપલક્ષણ - ગંધાદિનું સૂચક છે. તેથી ગંધ, રસ, સ્પર્શના વિભાગ વડે જાણવું. સંસ્થાનો વડે, તે રત્નપ્રભામાં ભવન અને નારકના સંસ્થાનો છે, જેમકે - તે ભવનો બહાસ્થી વૃત્ત અને અંદર ચોખૂણા છે, ઈત્યાદિ. એ રીતે નકાવાસ સંસ્થાનાદ કહે, પ્રમાણો વડે પરિમાણ વડે. જેમકે તે ૧,૮૦૦,૦૦ યોજન જાડાઈ તથા લંબાઈ-પહોળાઈમાં એક રાજપ્રમાણ છે. પ્રત્યવતારો વડે પ્રતિ-સર્વથા, અવતીર્ય-વ્યાપ્ત થાય જેઓ વડે તે પ્રત્યવતાર. તે અહીં ઘનોદધિ વગેરેના વલયો જાણવા. તે વલયો સર્વે દિશા અને વિદિશામાં આ રત્નપ્રભાને વીંટીને રહેલા છે.
-
જે સમયે આકારાદિ સહિત રત્નપ્રભાને જાણે છે, તે સમયે કેવળદર્શનથી દેખે છે એટલે કેવળ દર્શનનો વિષય કરે છે ? ગૌતમ ! એ અર્થયુક્તિયુક્ત નથી. • x
- કેમકે - x - અહીં જ્ઞાન વડે જાણતો હોય તે ‘જાણે છે' એમ કહેવાય છે, દર્શન વડે જાણતો હોય તે ‘દેખે છે' એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર છે - x - વિશેષણોને ગ્રહણ કરતો હોય તે બોધ જ્ઞાન કહેવાય. દર્શન અનાકાર છે. કેમકે - વિશેષોને નિર્વિશેષપણે જાણવાત તે દર્શન. તેમાં જ્ઞાન અને દર્શન જીવને તેવા પ્રકારના સ્વભાવથી અંશતઃ ઉત્પન્ન થતાં નથી. - ૪ - તથા સ્વભાવથી જ્યારે જ્ઞાન હોય ત્યારે સર્વપ્રદેશમાં જ્ઞાન હોય, જ્યારે દર્શન હોય ત્યારે સર્વ પ્રદેશોમાં દર્શન જ હોય. કેમકે જ્ઞાન અને દર્શન સાકાર અને અનાકારપણે પરસ્પર વિરુદ્ધ છે. - x -
E:\Maharaj Sahelb\Adhayan-40\Book-40B (PROOF-1) (69)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તેથી જે સમયે જાણે છે, તે સમયે જોતો નથી. જે સમયે જુએ છે, તે સમયે જાણતો નથી.
- X -
૧૩૮
-
[શ્રી મલયગિરિજી કહે છે કે−] ઉક્ત કથન દ્વારા, વાદી સિદ્ધસેન દિવાકરે જે કહ્યું છે કે કેવલી એક સમયે જાણે અને જુએ છે' - તેનું પણ ખંડન કરેલ સમજવું. કેમકે આ સૂત્ર વડે સાક્ષાત્ યુક્તિપર્વક જ્ઞાન અને દર્શનના ઉપયોગને ક્રમશઃ સ્થાપેલ છે. એ પ્રમાણે શર્કરાપ્રભાથી તમસ્તમપ્રભા, સૌધર્મથી અનુત્તર વિમાન, ઈપપ્પા ભારા ઈત્યાદિ બધાંને વિચારવા. શેષ વૃત્તિ સુગમ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ